Tuesday, September 16, 2025

હાઉસીંગની પ્રથમ રિડેવલપમેન્ટ સ્કીમ રામેશ્વર એપાર્ટમેન્ટનું રેરામાં રજીસ્ટ્રેશન થતા હાઉસીંગ રહીશોમાં ઉત્સાહ

Share

Share

અમદાવાદ : નારણપુરાના સોલારોડ વિસ્તારમાં આવેલ રામેશ્વર એપાર્ટમેન્ટના રેરા રજીસ્ટ્રેશન નંબર ઈસ્યુ થવાથી પ્રોજેક્ટની સુરક્ષા અને સફળતા બંને નિશ્ચિત થઈ ગયા છે. રામેશ્વર એપાર્ટમેન્ટના રહીશો અને એસોસિયેશનમાં ઉત્સાહનો માહોલ છે. અમદાવાદ નહીં પરંતુ ગુજરાતની પ્રથમ મોટી સ્વેચ્છાએ જનાર સોસાયટી બધા પડાવ પાર કરી નવા નવા બેંચમાર્ક રિડેવલપમેન્ટમાં હાંસિલ કરી લીધા છે.તમને જણાવી દઈએ કે રેરા રજીસ્ટ્રેશન હેઠળ આવતા ઘર ખરીદનાર અને વેચનાર બંનેના અધિકારોનું રક્ષણ થાય છે, જેને કારણે આવનારા સમયમાં અનેક હાઉસીંગ સોસાયટીઓ રિડેવલપમેન્ટમાં જોડાય અને વેગવંતુ રિડેવલપમેન્ટ થાય એવી આશા હાઉસીંગના રહીશો વ્યક્ત કરી રહ્યા છે.

રામેશ્વર એપાર્ટમેન્ટના પ્રમુખ સંદિપ ત્રિવેદીના જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2016 જાહેર આવાસોના રિડેવલપમેન્ટ માટે લેવલ પોલિસીને ખરા અર્થમાં હવે વેગ મળશે. કોઈ પણ નવી વાત, જરૂરિયાત કે વિષયને સ્વીકારતા પહેલા ઘણી શંકા કુશંકાઓ જનમાનસમાં સ્વભાવગત રહેતી હોય છે. માટે જ્યાં સુધી કોઈ એક નિશ્ચિત ઉદાહરણ પ્રજા સમક્ષ ના આવે ત્યાં સુધી લોકો તેને સ્વીકારતા નથી. તે વિષયને લઇ ખોટી વાતો અને ખોટો ભ્રમ સમાજમાં ફેલાય છે ક્યારેક અંધકારમય વાતાવરણ પણ બનતું હોય છે, લોકો દિશાહીન થઈ વિષયની ગંભીરતા ને અવગણી લાલચમાં ફસાતા હોય છે. કેટલાક તકસાધુ કે ખોટા લોકો તેનો અર્થ અનર્થ કરી ગેરસમજ પણ ઊભી કરતા હોય છે. આવું જ કંઈક રિડેવલપમેન્ટ અને તેની પોલિસીને લઇ ગુજરાતની હાઉસિંગ કોલોનીઓ જોવા મળતું હતું. જેથી 6 થી 7 વર્ષ વીતવા છતાં પણ પોલિસી સફળ ના થઈ.

પરંતુ અમદાવાદની અને તેમાં પણ નારણપુરાની ખમીરવંતી હાઉસિંગ પ્રજામાં એક નવીન જોશ અને ઉત્સાહ દેખાયો અને પોલિસીને સફળ બનાવવા ભગીરથ પ્રયાસ રામેશ્વર એપાર્ટમેન્ટએ વર્ષ-2021-2022માં કર્યો અને તે સોસાયટી બહુમત રીતે સ્વેચ્છાએ રિડેવલપમેન્ટમાં નિયમ મુજબ ગઈ.વર્ષોની મહેનત રંગ લાવી અનેક સમસ્યાઓ બાદ તેઓ સફળ થયા અને આ સપ્તાહમાં તે સોસાયટીનો રેરા નંબર જનરેટ થતા તે પ્રોજેક્ટ બધી રીતે સુરક્ષિત થઈ ગયો છે.રામેશ્વર એપાર્ટમેન્ટ સમગ્ર ગુજરાતની પહેલી મોટી સ્કીમ છે જે નવા નીતિ નિયમો મુજબ આગળ વધતી રહી, દરેક મોરચે લડત આપતી રહી અને નવા નવા પેપરવર્ક ને લઇ સમયનો ભોગ આપી આજે સફળ થઈ છે.

હવે બીજી સોસાયટીઓમાં આટલી તકલીફ નહિ પડે, તેઓને રામેશ્વર એપાર્ટમેન્ટના પદચિન્હો પર ફક્ત ચાલવાનું છે, ડોક્યુમેન્ટ્‌સ રૂપરેખા નિશ્ચિત થવાથી બીજી સોસાયટીમાં દરેક કાર્યમાં સરળતા રહેશે. રામેશ્વર એપાર્ટમેન્ટના રહીશોનો અનુભવ અને લાભ બીજી સોસાયટીઓ મેળવી શકશે. લોકો પાસે હવે બધી સચોટ માહિતી ઉપલબ્ધ છે, કોઈ એક સોસાયટીમાં કાયદાકીય બધા સર્ટિફિકેટ આવી ગયા છે, નિયમિત ભાડું મળે છે અને સોસાયટી જમીન પર હાલ બાંધકામ પણ ચાલુ છે તે બધું પ્રજાની નજર સમક્ષ દેખાય છે જે પ્રજામાં અનેરો વિશ્વાસ પૂરો પાડે છે અને ખાતરી પણ આપે છે કે હવે કોઈ શંકા કે સમસ્યાને સ્થાન નથી જેથી ચોક્કસ દિશા હવે મળી ગઈ છે.

હાલમાં અનેક સોસાયટીઓ ટેન્ડર જાહેર થયેલા છે, કેટલીક સોસાયટીઓ તૂટી ગઈ કે ખાલી થઈ ગઈ છે, કેટલીક સોસાયટીઓ પણ રેરામાં અરજી કરવા જશે. ઉપરાંત બીજી અનેક સોસાયટીઓ હવે રિડેવલપમેન્ટમાં ઉપરોક્ત સફળતાને કારણે જોડાશે! સોસાયટી રહીશોમાં રહેલા ડરનો અંત હવે થઈ ગયો છે માટે સોસાયટી લેવલે 75% કે તેથી વધુ બહુમત મેળવવામાં હવે સરળતા રહેશે. સોસાયટી હોદ્દેદારોને પણ કામ કરવામાં સરળતા રહેશે સાથ મળશે અને અનુભવનો લાભ પણ મળતો રહેશે. સરકારના દસ્તાવેજના હાલના રાહત પેકેજ અને રામેશ્વર એપાર્ટમેન્ટ રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટ રેરા એપ્રૂવ્ડ થતા મોટાભાગની સમસ્યાઓ દૂર થઈ ગઈ છે. જે કોઈ સોસાયટીને રિડેવલોપમેન્ટ વિષયે ઇતિ થી અંત સુધીની માહિતી જોઈતી હોય તો રામેશ્વર એપાર્ટમેન્ટના રહીશો અને હોદ્દેદારોનો સંપર્ક કરી લાભ લેવો જોઈએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...