Tuesday, February 17, 2026

હાઉસીંગની પ્રથમ રિડેવલપમેન્ટ સ્કીમ રામેશ્વર એપાર્ટમેન્ટનું રેરામાં રજીસ્ટ્રેશન થતા હાઉસીંગ રહીશોમાં ઉત્સાહ

spot_img
Share

અમદાવાદ : નારણપુરાના સોલારોડ વિસ્તારમાં આવેલ રામેશ્વર એપાર્ટમેન્ટના રેરા રજીસ્ટ્રેશન નંબર ઈસ્યુ થવાથી પ્રોજેક્ટની સુરક્ષા અને સફળતા બંને નિશ્ચિત થઈ ગયા છે. રામેશ્વર એપાર્ટમેન્ટના રહીશો અને એસોસિયેશનમાં ઉત્સાહનો માહોલ છે. અમદાવાદ નહીં પરંતુ ગુજરાતની પ્રથમ મોટી સ્વેચ્છાએ જનાર સોસાયટી બધા પડાવ પાર કરી નવા નવા બેંચમાર્ક રિડેવલપમેન્ટમાં હાંસિલ કરી લીધા છે.તમને જણાવી દઈએ કે રેરા રજીસ્ટ્રેશન હેઠળ આવતા ઘર ખરીદનાર અને વેચનાર બંનેના અધિકારોનું રક્ષણ થાય છે, જેને કારણે આવનારા સમયમાં અનેક હાઉસીંગ સોસાયટીઓ રિડેવલપમેન્ટમાં જોડાય અને વેગવંતુ રિડેવલપમેન્ટ થાય એવી આશા હાઉસીંગના રહીશો વ્યક્ત કરી રહ્યા છે.

રામેશ્વર એપાર્ટમેન્ટના પ્રમુખ સંદિપ ત્રિવેદીના જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2016 જાહેર આવાસોના રિડેવલપમેન્ટ માટે લેવલ પોલિસીને ખરા અર્થમાં હવે વેગ મળશે. કોઈ પણ નવી વાત, જરૂરિયાત કે વિષયને સ્વીકારતા પહેલા ઘણી શંકા કુશંકાઓ જનમાનસમાં સ્વભાવગત રહેતી હોય છે. માટે જ્યાં સુધી કોઈ એક નિશ્ચિત ઉદાહરણ પ્રજા સમક્ષ ના આવે ત્યાં સુધી લોકો તેને સ્વીકારતા નથી. તે વિષયને લઇ ખોટી વાતો અને ખોટો ભ્રમ સમાજમાં ફેલાય છે ક્યારેક અંધકારમય વાતાવરણ પણ બનતું હોય છે, લોકો દિશાહીન થઈ વિષયની ગંભીરતા ને અવગણી લાલચમાં ફસાતા હોય છે. કેટલાક તકસાધુ કે ખોટા લોકો તેનો અર્થ અનર્થ કરી ગેરસમજ પણ ઊભી કરતા હોય છે. આવું જ કંઈક રિડેવલપમેન્ટ અને તેની પોલિસીને લઇ ગુજરાતની હાઉસિંગ કોલોનીઓ જોવા મળતું હતું. જેથી 6 થી 7 વર્ષ વીતવા છતાં પણ પોલિસી સફળ ના થઈ.

પરંતુ અમદાવાદની અને તેમાં પણ નારણપુરાની ખમીરવંતી હાઉસિંગ પ્રજામાં એક નવીન જોશ અને ઉત્સાહ દેખાયો અને પોલિસીને સફળ બનાવવા ભગીરથ પ્રયાસ રામેશ્વર એપાર્ટમેન્ટએ વર્ષ-2021-2022માં કર્યો અને તે સોસાયટી બહુમત રીતે સ્વેચ્છાએ રિડેવલપમેન્ટમાં નિયમ મુજબ ગઈ.વર્ષોની મહેનત રંગ લાવી અનેક સમસ્યાઓ બાદ તેઓ સફળ થયા અને આ સપ્તાહમાં તે સોસાયટીનો રેરા નંબર જનરેટ થતા તે પ્રોજેક્ટ બધી રીતે સુરક્ષિત થઈ ગયો છે.રામેશ્વર એપાર્ટમેન્ટ સમગ્ર ગુજરાતની પહેલી મોટી સ્કીમ છે જે નવા નીતિ નિયમો મુજબ આગળ વધતી રહી, દરેક મોરચે લડત આપતી રહી અને નવા નવા પેપરવર્ક ને લઇ સમયનો ભોગ આપી આજે સફળ થઈ છે.

હવે બીજી સોસાયટીઓમાં આટલી તકલીફ નહિ પડે, તેઓને રામેશ્વર એપાર્ટમેન્ટના પદચિન્હો પર ફક્ત ચાલવાનું છે, ડોક્યુમેન્ટ્‌સ રૂપરેખા નિશ્ચિત થવાથી બીજી સોસાયટીમાં દરેક કાર્યમાં સરળતા રહેશે. રામેશ્વર એપાર્ટમેન્ટના રહીશોનો અનુભવ અને લાભ બીજી સોસાયટીઓ મેળવી શકશે. લોકો પાસે હવે બધી સચોટ માહિતી ઉપલબ્ધ છે, કોઈ એક સોસાયટીમાં કાયદાકીય બધા સર્ટિફિકેટ આવી ગયા છે, નિયમિત ભાડું મળે છે અને સોસાયટી જમીન પર હાલ બાંધકામ પણ ચાલુ છે તે બધું પ્રજાની નજર સમક્ષ દેખાય છે જે પ્રજામાં અનેરો વિશ્વાસ પૂરો પાડે છે અને ખાતરી પણ આપે છે કે હવે કોઈ શંકા કે સમસ્યાને સ્થાન નથી જેથી ચોક્કસ દિશા હવે મળી ગઈ છે.

હાલમાં અનેક સોસાયટીઓ ટેન્ડર જાહેર થયેલા છે, કેટલીક સોસાયટીઓ તૂટી ગઈ કે ખાલી થઈ ગઈ છે, કેટલીક સોસાયટીઓ પણ રેરામાં અરજી કરવા જશે. ઉપરાંત બીજી અનેક સોસાયટીઓ હવે રિડેવલપમેન્ટમાં ઉપરોક્ત સફળતાને કારણે જોડાશે! સોસાયટી રહીશોમાં રહેલા ડરનો અંત હવે થઈ ગયો છે માટે સોસાયટી લેવલે 75% કે તેથી વધુ બહુમત મેળવવામાં હવે સરળતા રહેશે. સોસાયટી હોદ્દેદારોને પણ કામ કરવામાં સરળતા રહેશે સાથ મળશે અને અનુભવનો લાભ પણ મળતો રહેશે. સરકારના દસ્તાવેજના હાલના રાહત પેકેજ અને રામેશ્વર એપાર્ટમેન્ટ રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટ રેરા એપ્રૂવ્ડ થતા મોટાભાગની સમસ્યાઓ દૂર થઈ ગઈ છે. જે કોઈ સોસાયટીને રિડેવલોપમેન્ટ વિષયે ઇતિ થી અંત સુધીની માહિતી જોઈતી હોય તો રામેશ્વર એપાર્ટમેન્ટના રહીશો અને હોદ્દેદારોનો સંપર્ક કરી લાભ લેવો જોઈએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...