Thursday, March 12, 2026

અમદાવાદ સિવિલમાં દુર્લભ જન્મજાત ખામીની 5 મહિનાની બાળકીની જટીલ સર્જરી, માસૂમને નવજીવન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખૂબ જ દુર્લભ કહી શકાય તેવી સર્જરી કરીને બાળકીને પીડામુક્ત કરવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં ડોક્ટરો દ્વારા ફરી એકવાર જટિલ સર્જરી કરીને માસૂમ બાળકીનો જીવ બચાવવામાં આવ્યો છે. ખૂબ જ દુર્લભ ગણાતી એવી અવિકસિત ગર્ભની જન્મજાત ખામીને 3 કલાકની અત્યંત જટીલ સર્જરી દ્વારા સિવિલ હોસ્પિટલનાં પીડિયાટ્રિક સર્જરી વિભાગનાં ડોક્ટરો દ્વારા દૂર કરવામાં આવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, હાલ સુરત અને ગીર સોમનાથનાં વતની એવા માલદેવભાઈ અને જયાબેનની 15 મહિનાની પુત્રી યશ્રી વાજાને 5 જુલાઈ 2024થી ઝાડા અને ઉલટીની ફરિયાદ હતી. સોનોગ્રાફી કરાવતા યશ્રીના પેટમાં જમણી બાજુ પેટની દિવાલના આવરણના પાછળના ભાગમાં ગાંઠ હોવાનું તબીબોને જાણવા મળ્યું હતું. ત્યાર બાદ 15 મહિનાની યશ્રીને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે સુરતથી રીફર કરવામાં આવી હતી.

સિવિલ હોસ્પિટલનાં પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં તેણીની સંપૂર્ણ તપાસ કર્યા બાદ ડૉક્ટર રાકેશ જોશી, HoD, પીડિયાટ્રિક સર્જરી વિભાગ અને મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ તેમ જ એનેસ્થેસિયા વિભાગનાં ડોક્ટર રમિલા (પ્રોફેસર) અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. નિરખી શાહની આગેવાની હેઠળની ટીમે સફળ ઓપરેશન કરી 220 ગ્રામ તેમ જ 8.5X10.7X15 સેમીની ગાંઠને બહાર કાઢીને બાળકીનો જીવ બચાવ્યો હતો. સતત ત્રણ કલાકની જટિલ સર્જરી આ 15 મહિનાની યશ્રી પર કરવામાં આવી હતી.

સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ અને પીડિયાટ્રિક સર્જરી વિભાગનાં વડા ડોક્ટર રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, જયારે બે જોડિયા ગર્ભમાંથી એક ગર્ભ વિકસિત થઇ બાળક બને અને બીજું ગર્ભ અવિકસિત રહી વિકસિત બાળકનાં પેટમાં ગાંઠ તરીકે રહી જાય તેવી જન્મજાત ખામીને તબીબી વિજ્ઞાનની ભાષામાં Fits in Fitu કહેવાય છે. આ એક અત્યંત દુર્લભ જન્મજાત ખામી છે, જે 5 લાખ જીવિત બાળકોમાંથી એક કરતાં પણ ઓછા બાળકમાં જોવા મળે છે. આખા વિશ્વમાં અત્યાર સુધીમાં આવા માત્ર 200 જેટલા કેસો જ નોંધાયા છે. ઓપરેશન પછીનો સમય કોઈ પણ તકલીફ વગરનો અને ઝડપથી સારું થતાં યશ્રીને રજા આપવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...