Monday, May 4, 2026

અમદાવાદના શોપિંગ ફેસ્ટિવલમાં ખરીદીની સાથે મનોરંજન, બમ્પર ડિસ્કાઉન્ટનો લાભ, જાણો A TO Z માહિતી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં દુબઈ, હોંગકોંગ, સિંગાપોર જેવા વિવિધ દેશોમાં યોજાતા શોપિંગ ફેસ્ટિવલ જેવા શોપિંગ ફેસ્ટિવલનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. શનિવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સિંધુભવન રોડ ઉપર ઓક્સિજન પાર્કની બાજુમાં આવેલા પ્લોટમાં બનાવવામાં આવેલી શોપિંગ સ્ટ્રીટનું ઉદઘાટન કરી 95 દિવસ સુધી ચાલનારા શોપિંગ ફેસ્ટિવલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.ત્યારે હવે જેમ જેમ રાજ્યવાસીઓને જાણ થાય છે તેમ તેમ ભીડ જામી રહી છે.

આ શરૂ કરાયેલા ફેસ્ટિવલ શોપિંગ ઉત્તરાયણ સુધી ચાલશે. જેમાં 60થી વધારે અલગ અલગ સ્ટોલ લગાવવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, મનોરંજનથી લઈ મનગમતી મોટા ભાગની વસ્તુઓ આ સ્ટોલો પર મળી રહશે. નાના બાળકો માટે રમકડા બસ સહિત જુદી જુદી સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ રાખવામાં આવેલી છે. સાથો સાથ ખાણી-પીણીના સ્ટોલો તો છે જ. આપને જણાવી દઈએ કે શોપિંગ ફેસ્ટિવલમાં રિલાયન્સ રિટેઈલ, સંકલ્પ રેસ્ટોરાં, ITC નર્મદા, ક્રાઉન પ્લાઝા, ઝોમેટો, બુક માય શો, માણેકચોકના જ્વેલર્સો સહિત બ્રાન્ડેડ કંપનીઓ તેમજ રિટેલર્સ જોડાયા છે. એટલે જ નહી પરંતુ ફૂડ ઝોન, શોપિંગ અને આર્ટિઝન ઝોન, મ્યુઝિક અને કલ્ચરલ એક્ટિવિટી ઝોન, સ્પોર્ટ્સ ઝોન અને એન્ટરટેનમેન્ટ ઝોન પણ ઉભા કરાયા છે.

આપને જણાવી દઈએ કે, આ શોપિંગ ફેસ્ટિવલમાં શેરી-આધારિત સંગીત અને સાંસ્કૃતિક પ્રદર્શન, ફેશન શો, મેજિક શો, કવિતા વાંચન અને મ્યુઝિક ફેસ્ટિવલ, ફ્લી માર્કેટ્સ, સ્ટેન્ડ-અપ કોમેડી શો સહિતનું આ આયોજન કરાયું છે.

આ શોપિંગ સ્થળો ક્યાં ક્યાં ?
સાબરમતી રિવરફ્રન્ટ, માણેક ચોક, લો ગાર્ડન, ગુજરી બજાર, સાયન્સ સિટી, વસ્ત્રાપુર, પ્રહલાદ નગર રોડ
થલતેજ પેલેડિયમ મોલ, ઇસ્કોન મોલ, વસ્ત્રાપુર આલ્ફા વન મોલ, નિકોલ પેવેલિયન મોલ
સિંધુ ભવન રોડ, સી. જી. રોડ, મણીનગર – કાંકરિયા રામબાગ રોડ, નિકોલ – મોડર્ન સ્ટ્રીટ અને નરોડા વિસ્તાર, કયા કયા મોલ જોડાશે

લક્ઝરી બ્રાન્ડ્સ, કપડાં, ઝવેરી, ઇલેક્ટ્રોનિક્સ આઈટમમમાં 15થી 35 ટકાની વચ્ચે ડિસ્કાઉન્ટ મળશે.ડ્રોન શોથી લઈ લાઇટ એન્ડ લેસર શો તેમજ ફૂડ ફેસ્ટિવલ પણ ખરૂ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિંધુભવન રોડ, સીજી રોડ, નિકોલ મોડર્ન સ્ટ્રીટ અને કાકરીયા મણિનગર રોડ પર યોજવામાં આવેલા શોપિંગ ફેસ્ટિવલમાં જે નાગરિકોને શોપિંગ કરવા માટે જશે તેઓ માટે AMTS બસમાં ભાડું ચુકવવાનું રહેશે નહી, જેના માટે નાગરિકો શોપિંગ ફેસ્ટિવલની વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારેબાદ એક QR કોડ આપવામાં આવશે. જે કોડ બસમાં સ્કેન કરતાની સાથે જ તેઓને જે નક્કી કરેલા સ્થળ ઉપર શોપિંગ માટે જવું હોય ત્યાં QR કોડ બતાવતાની સાથે જ તેઓને મફતમાં મુસાફરી કરવા મળશે. ઉલ્લેખનીય વાતે એ છે કે, દર દસ મિનિટે આ શટલ બસ ફેરા કરશે

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...