Thursday, March 12, 2026

અમદાવાદના શોપિંગ ફેસ્ટિવલમાં ખરીદીની સાથે મનોરંજન, બમ્પર ડિસ્કાઉન્ટનો લાભ, જાણો A TO Z માહિતી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં દુબઈ, હોંગકોંગ, સિંગાપોર જેવા વિવિધ દેશોમાં યોજાતા શોપિંગ ફેસ્ટિવલ જેવા શોપિંગ ફેસ્ટિવલનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. શનિવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સિંધુભવન રોડ ઉપર ઓક્સિજન પાર્કની બાજુમાં આવેલા પ્લોટમાં બનાવવામાં આવેલી શોપિંગ સ્ટ્રીટનું ઉદઘાટન કરી 95 દિવસ સુધી ચાલનારા શોપિંગ ફેસ્ટિવલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.ત્યારે હવે જેમ જેમ રાજ્યવાસીઓને જાણ થાય છે તેમ તેમ ભીડ જામી રહી છે.

આ શરૂ કરાયેલા ફેસ્ટિવલ શોપિંગ ઉત્તરાયણ સુધી ચાલશે. જેમાં 60થી વધારે અલગ અલગ સ્ટોલ લગાવવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, મનોરંજનથી લઈ મનગમતી મોટા ભાગની વસ્તુઓ આ સ્ટોલો પર મળી રહશે. નાના બાળકો માટે રમકડા બસ સહિત જુદી જુદી સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ રાખવામાં આવેલી છે. સાથો સાથ ખાણી-પીણીના સ્ટોલો તો છે જ. આપને જણાવી દઈએ કે શોપિંગ ફેસ્ટિવલમાં રિલાયન્સ રિટેઈલ, સંકલ્પ રેસ્ટોરાં, ITC નર્મદા, ક્રાઉન પ્લાઝા, ઝોમેટો, બુક માય શો, માણેકચોકના જ્વેલર્સો સહિત બ્રાન્ડેડ કંપનીઓ તેમજ રિટેલર્સ જોડાયા છે. એટલે જ નહી પરંતુ ફૂડ ઝોન, શોપિંગ અને આર્ટિઝન ઝોન, મ્યુઝિક અને કલ્ચરલ એક્ટિવિટી ઝોન, સ્પોર્ટ્સ ઝોન અને એન્ટરટેનમેન્ટ ઝોન પણ ઉભા કરાયા છે.

આપને જણાવી દઈએ કે, આ શોપિંગ ફેસ્ટિવલમાં શેરી-આધારિત સંગીત અને સાંસ્કૃતિક પ્રદર્શન, ફેશન શો, મેજિક શો, કવિતા વાંચન અને મ્યુઝિક ફેસ્ટિવલ, ફ્લી માર્કેટ્સ, સ્ટેન્ડ-અપ કોમેડી શો સહિતનું આ આયોજન કરાયું છે.

આ શોપિંગ સ્થળો ક્યાં ક્યાં ?
સાબરમતી રિવરફ્રન્ટ, માણેક ચોક, લો ગાર્ડન, ગુજરી બજાર, સાયન્સ સિટી, વસ્ત્રાપુર, પ્રહલાદ નગર રોડ
થલતેજ પેલેડિયમ મોલ, ઇસ્કોન મોલ, વસ્ત્રાપુર આલ્ફા વન મોલ, નિકોલ પેવેલિયન મોલ
સિંધુ ભવન રોડ, સી. જી. રોડ, મણીનગર – કાંકરિયા રામબાગ રોડ, નિકોલ – મોડર્ન સ્ટ્રીટ અને નરોડા વિસ્તાર, કયા કયા મોલ જોડાશે

લક્ઝરી બ્રાન્ડ્સ, કપડાં, ઝવેરી, ઇલેક્ટ્રોનિક્સ આઈટમમમાં 15થી 35 ટકાની વચ્ચે ડિસ્કાઉન્ટ મળશે.ડ્રોન શોથી લઈ લાઇટ એન્ડ લેસર શો તેમજ ફૂડ ફેસ્ટિવલ પણ ખરૂ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિંધુભવન રોડ, સીજી રોડ, નિકોલ મોડર્ન સ્ટ્રીટ અને કાકરીયા મણિનગર રોડ પર યોજવામાં આવેલા શોપિંગ ફેસ્ટિવલમાં જે નાગરિકોને શોપિંગ કરવા માટે જશે તેઓ માટે AMTS બસમાં ભાડું ચુકવવાનું રહેશે નહી, જેના માટે નાગરિકો શોપિંગ ફેસ્ટિવલની વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારેબાદ એક QR કોડ આપવામાં આવશે. જે કોડ બસમાં સ્કેન કરતાની સાથે જ તેઓને જે નક્કી કરેલા સ્થળ ઉપર શોપિંગ માટે જવું હોય ત્યાં QR કોડ બતાવતાની સાથે જ તેઓને મફતમાં મુસાફરી કરવા મળશે. ઉલ્લેખનીય વાતે એ છે કે, દર દસ મિનિટે આ શટલ બસ ફેરા કરશે

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...