Wednesday, March 4, 2026

અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતીના અવસરે કાર્યકર સુવર્ણ મહોત્સવનું ભવ્ય આયોજન

spot_img
Share

અમદાવાદ : આગામી તા. 7મી ડિસેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં બોચાસણવાસી અક્ષર પુરૂષોતમ સ્વામિનારાયણ સંસ્થાના એક લાખ કાર્યકરો એકઠા થશે. તા. 7મીના પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતી છે અને એ જ દિવસે કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવવામાં આવનાર છે. જેમા દેશ-વિદેશના 1 લાખ હરિભક્તો ઉપસ્થિત રહેશે. એટલું જ નહીં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહે તેવી શક્યતા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં શાહીબાગ મંદિર બહાર બોર્ડ લગાવાયું અમદાવાદના શાહીબાગ સ્થિત BAPS મંદિરના ગેટ નં.2 પાસે કાર્યકર સુવર્ણ મહોત્સવનું બોર્ડ લગાવાયું છે. જેમાં 1972 થી 2022ના 50 વર્ષ નિમિત્તે કાર્યકર સુવર્ણ મહોત્સવનું આયોજન થવાનું છે તેવું દર્શાવાયું છે. BAPSના વડા મહંત સ્વામીની હાજરીમાં કાર્યક્રમ સંપન્ન થશે.પુરૂષો અને મહિલા માટે ડ્રેસ કોડ કાર્યકર સુવર્ણ મહોત્સવ માટે કાર્યકરોને ખાસ ડ્રેસ કોડ અપાયો છે. પુરૂષ કાર્યકરોએ કાળા કલરનું પેન્ટ પહેરવાનું રહેશે. તેમને સંસ્થા તરફથી જર્સી પણ અપાશે. જ્યારે મહિલાઓને ડ્રેસ પહેરવાની સૂચના આપવામાં આવી છે તેવી હરિભક્તોમાં ચર્ચા છે.

1 ડિસેમ્બરથી કાર્યકરો સ્ટેડિયમનો કબજો લેશે દેશ-વિદેશથી આવેલા 1 લાખ કાર્યકરો અને હરિભક્તો કાર્યક્રમમાં ભાગ લેવાના હોવાથી કોઇ મોટી જગ્યાની જરૂર હતી. જેના કારણે અમદાવાદના સાબરમતીમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પસંદગી કરાઇ છે. સંસ્થાએ સ્ટેડિયમને ભાડે રાખી લીધું છે. તૈયારી માટે કાર્યક્રમના 5-6 દિવસ અગાઉ એટલે કે 1 ડિસેમ્બર આસપાસથી સંસ્થાના કાર્યકરો સ્ટેડિયમનો કબજો લઇ લેશે અને ભવ્યાતિભવ્ય કાર્યક્રમની તૈયારીમાં લાગી જશે. કાર્યક્રમની સત્તાવાર રૂપરેખા હવે પછી જાહેર થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...