Tuesday, January 13, 2026

અમદાવાદ વિદ્યાર્થી હત્યા કેસ: લથડીયાં ખાતો…ગુનાની માફી માંગતો…આ છે હત્યારો પોલીસકર્મી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના બોપલમાં 10 નવેમ્બરે કાર ધીમી ચલાવવાની ટકોર કરવા જેવી નજીવી બાબતે MICAના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની છરીના ઘા મારીને હત્યા કરાઇ હતી. આ કેસમાં પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેમાં છરીના ઘા મારનાર વિરેન્દ્ર લંગડાતો લંગડાતો આવ્યો હતો. તેને હાથે દોરડા બાંધી લવાયો હતો. મહત્વપૂર્ણ છે કે આરોપી કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહે જ્યાં હત્યા કરી ત્યાંથી માત્ર 300 મીટર દૂર જ તેનું ઘર છે.

માઇકામાં એમ.બી.એ.નો અભ્યાસ કરતા પ્રિયાંશુ જૈનની હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યા બાદ પોલીસની ટીમ આરોપીને પકડવા માટે કામે લાગી હતી. અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે સીસીટીવી અને ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીની પંજાબથી ધરપકડ કરી છે. આરોપી વિરેન્દ્ર પઢેરિયા સરખેજ પોલીસ સ્ટેશનમાં ઇન્વે.માં ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે. આરોપીની ધરપકડ બાદ ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં અનેક હકીકતો સામે આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જ્યારે આ બનાવ બન્યો તે સમયે અન્ય એક પોલીસ કર્મી પણ તેની સાથે હતો. જોકે આ બનાવમાં તેની કોઈ ભૂમિકા છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થી પર હુમલો કર્યા બાદ આરોપી પોલીસ કર્મી તેના ઘરે પહોંચ્યો હતો. અને ત્યાંથી તેણે ખાનગી ગાડીમાં ગુજરાત છોડ્યું હતું. સૌપ્રથમ તે ટ્રાવેલર્સમાં અને ત્યારબાદ બે અલગ અલગ ગાડીઓ બદલીને પંજાબ સુધી પહોંચ્યો હતો. જ્યારે છરી તેણે અવાવરૂ જગ્યાએ ફેંકી દીધી હતી. હત્યા કર્યા બાદ તેણે પોતાની ગાડી પણ ઘરની પાસે જ પાર્ક કરી દીધી હતી. અને ફરવા જઈ રહ્યો હોવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો.

તો આ તરફ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે મૃતક યુવાનના પિતા પંકજભાઈ જૈનને આશ્વાસન આપ્યું છે કે, ગુનેગાર ભલે પોલીસકર્મી હોય, પરંતુ તે ગુનેગાર છે એટલે તેની સાથે ગુજરાત પોલીસ તરફથી ગુનેગાર જેવું જ વર્તન થશે. ગુનેગાર પોલીસકર્મી સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને ખૂબ જ ટૂંકા સમયમાં સમગ્ર કેસની ચાર્જશીટ કરવામાં આવશે. પોલીસકર્મી દ્વારા ગુનાને અંજામ આપવામાં આવ્યો તે વાતનો ખેદ વ્યક્ત કરી વિકાસ સહાયે મૃતક યુવાનના પરિવારને ઝડપી અને સચોટ ન્યાય અપાવવા ખાતરી આપી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...