Thursday, February 26, 2026

અમદાવાદ વિદ્યાર્થી હત્યા કેસ: લથડીયાં ખાતો…ગુનાની માફી માંગતો…આ છે હત્યારો પોલીસકર્મી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના બોપલમાં 10 નવેમ્બરે કાર ધીમી ચલાવવાની ટકોર કરવા જેવી નજીવી બાબતે MICAના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની છરીના ઘા મારીને હત્યા કરાઇ હતી. આ કેસમાં પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેમાં છરીના ઘા મારનાર વિરેન્દ્ર લંગડાતો લંગડાતો આવ્યો હતો. તેને હાથે દોરડા બાંધી લવાયો હતો. મહત્વપૂર્ણ છે કે આરોપી કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહે જ્યાં હત્યા કરી ત્યાંથી માત્ર 300 મીટર દૂર જ તેનું ઘર છે.

માઇકામાં એમ.બી.એ.નો અભ્યાસ કરતા પ્રિયાંશુ જૈનની હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યા બાદ પોલીસની ટીમ આરોપીને પકડવા માટે કામે લાગી હતી. અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે સીસીટીવી અને ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીની પંજાબથી ધરપકડ કરી છે. આરોપી વિરેન્દ્ર પઢેરિયા સરખેજ પોલીસ સ્ટેશનમાં ઇન્વે.માં ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે. આરોપીની ધરપકડ બાદ ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં અનેક હકીકતો સામે આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જ્યારે આ બનાવ બન્યો તે સમયે અન્ય એક પોલીસ કર્મી પણ તેની સાથે હતો. જોકે આ બનાવમાં તેની કોઈ ભૂમિકા છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થી પર હુમલો કર્યા બાદ આરોપી પોલીસ કર્મી તેના ઘરે પહોંચ્યો હતો. અને ત્યાંથી તેણે ખાનગી ગાડીમાં ગુજરાત છોડ્યું હતું. સૌપ્રથમ તે ટ્રાવેલર્સમાં અને ત્યારબાદ બે અલગ અલગ ગાડીઓ બદલીને પંજાબ સુધી પહોંચ્યો હતો. જ્યારે છરી તેણે અવાવરૂ જગ્યાએ ફેંકી દીધી હતી. હત્યા કર્યા બાદ તેણે પોતાની ગાડી પણ ઘરની પાસે જ પાર્ક કરી દીધી હતી. અને ફરવા જઈ રહ્યો હોવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો.

તો આ તરફ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે મૃતક યુવાનના પિતા પંકજભાઈ જૈનને આશ્વાસન આપ્યું છે કે, ગુનેગાર ભલે પોલીસકર્મી હોય, પરંતુ તે ગુનેગાર છે એટલે તેની સાથે ગુજરાત પોલીસ તરફથી ગુનેગાર જેવું જ વર્તન થશે. ગુનેગાર પોલીસકર્મી સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને ખૂબ જ ટૂંકા સમયમાં સમગ્ર કેસની ચાર્જશીટ કરવામાં આવશે. પોલીસકર્મી દ્વારા ગુનાને અંજામ આપવામાં આવ્યો તે વાતનો ખેદ વ્યક્ત કરી વિકાસ સહાયે મૃતક યુવાનના પરિવારને ઝડપી અને સચોટ ન્યાય અપાવવા ખાતરી આપી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...