Friday, January 23, 2026

અમદાવાદ RTOમાં મેમો ભરવા માટે લાંબી લાઇન, 3 દિવસમાં 22 લાખથી વધુનો દંડ વસૂલાયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં રોડ પર લોકો બેફામ ગાડી ચલાવી રહ્યા છે. નબીરાઓના વાંકે સામાન્ય માણસ હેરાન થાય છે. જોકે પોલીસ દ્વારા રાત્રે ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં નબીરાઓ તો નહીં, પરંતુ સામાન્ય લોકો ટ્રાફિક પોલીસના અડફેટે ચડી ગયા છે. પોલીસે વાહન ચાલકોને મેમો આપી દીધા અને તે મેમો અમદાવાદ RTOમાં ભરીને વાહન છોડાવી શકે છે.

અમદાવાદ RTOમાં પોલીસે આપેલા મેમો ભરવા માટે લોકોની લાંબી લાઇન જોવા મળી હતી. અમદાવાદ RTOમાં બીજા માળ સુધી મેમો ભરવા માટે લોકો લાઇનમાં ઉભા હતા. પોલીસે વાહન ડિટેઇન કર્યા બાદ તેને છોડાવવા માટે અરજદારો ઉમટી પડ્યા હતા. RTOમાં લોકોનો ભારે ધસારો થતા 3 ગણો મેઇન પાવર વધારવામાં આવ્યો હતો. અમદાવાદ RTO કચેરીમાં 200થી 250 લોકોને ટોકન આપવામાં આવે છે.

RTO તંત્રમાં પોલીસે આપેલાં મેમાની વસૂલાત કરવા માટે કોઇ જ વ્યવસ્થા નથી. આરટીઓ તંત્ર માંડ 100 મેમાના દંડની વસૂલાત કરતી આવી છે. બુધવારથી આરટીઓ દરરોજ 200 લોકોનો દંડ વસુલી શકે તેવું આયોજન કરનાર છે. પોલીસ અને RTO વચ્ચે તાલમેલના અભાવે RTOમાં સવારથી દંડ ભરવા માટે લાઇનો લાગી જાય છે.

બુધવારથી RTO દરરોજ 200 દંડ વસુલી શકે તેવું આયોજન કરનાર છે. પોલીસ અને RTO વચ્ચે તાલમેલના અભાવે RTOમાં સવારથી દંડ ભરવા માટે લાઈનો લાગી જાય છે. તો પોલીસ સ્ટેશનોમાં ડીટેઈન કરેલાં વાહનોના થપ્પા લાગી ગયાં છે. સોમવારે કોમ્બિંગ નાઈટમાં પોલીસે 1685 વાહન ચાલકો પાસેથી 12.82 લાખનો દંડ વસૂલ્યો હતો, તો ડોક્યુમેન્ટ સાથે ન હોવાના બદલ 1800 વાહનો ડિટેઈન કરાયાં હતાં.

અમદાવાદ RTO જે. જે. પટેલે જણાવ્યા મુજબ અમદાવાદ RTO કચેરીમાં મેમો ભરવા માટે લાંબી કતારો લાગી છે. ત્યારે RTO આવતા વાહન ચાલકોના મેમો સમયસર ભરાઈ જાય તેના માટે સ્ટાફ વધારવામાં આવ્યો છે. બાવળા, વસ્ત્રાલમાં પણ ટીમ વધારવામાં આવી છે. જેના કારણે મેમો ભરાઈ જાય. કયા નિયમોનો ભંગ કર્યો છે જેના ડોક્યુમેન્ટ ચકાસવામાં આવે છે. ડોક્યુમેન્ટ ચકાસ્યા બાદ મેમો લેવામાં આવે છે. સવારે એક કલાક વહેલું અને સાંજે 7 વાગ્યા સુધી સમય કરવામાં આવ્યો છે. છેલ્લા 3 દિવસમાં 22 લાખથી વધુનો દંડ વસૂલ કર્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...