Sunday, January 18, 2026

83 વર્ષે ફરી બાપુ ફરી મેદાનમાં ! શંકરસિંહ વાઘેલાએ આ પાર્ટીને લઇને કરી મોટી જાહેરાત, જુઓ શું કહયું ?

spot_img
Share

અમદાવાદ : ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા 83 વર્ષે ફરી એકવાર ચૂંટણી મેદાનમાં ઉતરવાના છે.આજે શંકરસિંહ વાઘેલાના માર્ગદર્શક પ્રેસ કોન્ફરન્સ યોજીને ‘પ્રજા શક્તિ ડેમોક્રેટિક’ પાર્ટીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. પાર્ટીના વર્તમાન પ્રમુખ ડૉ.રાજેન્દ્રસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં આ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, હું પાર્ટીમાં જોડાયેલો રહીશ. નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે અને 22 ડિસેમ્બરના રોજ અડાલજ ખાતે મોટુ સંમેલન અને પાર્ટી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં સર્કિટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નવ નિયુક્ત અધ્યક્ષના પરિચય અને પાર્ટીના આગામી દિવસોના કાર્યક્રમથી પરિચિત કરાવવા પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના વર્તમાન અધ્યક્ષ ડૉ.રાજેન્દ્રસિંહજી રાઠોડ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી અને પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રણેતા શંકરસિંહ વાઘેલા બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રેસ કોન્ફન્સમાં શંકરસિંહ વાઘેલાએ નવી પાર્ટીની જરુર કેમ પડી તે અંગે પણ જણાવ્યું હતુ તેમણે જણાવ્યું કે, 2020થી પાર્ટી છે. તેમજ આગામી દિવસોમાં તેમની શું રણનિતી રહેશે તે અંગે પણ માહિતી આપી હતી.

શંકરસિંહ વાઘેલાએ જણાવ્યુ કે રાજેન્દ્રસિંહજી રાઠોડને તેમને આ જવાબદારી સંભાળવા માટે મનાવ્યા હતા. જિલ્લા પંચાયતોની ચૂંટણી પહેલા અમે આ જાહેરાત કરી છે કે, તેઓ આ પાર્ટીની જવાબદારી સંભાળશે. ગાધીનગરમાં 22 તારીખે બધા કાર્યકર્તાઓને બોલાવીને નવુ કાર્યાલયના અધિવે્શન ગાંધીનગરના અડાલજમાં થશે. ગુજરાતમાં બી ટીમ સી ટીમની વાત કાલ્પનિક વાત છે. ગુજરાતમાં જેની સમાજમાં છાપ સારી હોય.

આજ કાલ તો, જે ગુંડા હોય, દુષ્કર્મી હોય, બદમાશ હોય , પોન્ઝી સ્કીમ વાળા હોય ભાજપનો ખેસ પહેરો અને પવિત્ર થઈ જાવ, અસમાજિક તત્વોને સરકારનું પ્રોટેક્શન મળી રહ્યુ છે. લોકો મરે તેનો અવાજ કોણ ઉઠાવશે તેનો અવાજ અમે ઉઠાવીશું. આવનારી ચૂંટણીઓમાં પરિવર્તન આવે, એટલા માટે આ પાર્ટી તન મન ધનથી કામ કરશે. વધુમાં તેમણે નવી પાર્ટી માત્ર ક્ષત્રિયો પુરતી રહેશે તે અંગે જણાવ્યુ કે, પાર્ટી કોઈ ધર્મની ના હોય,

શંકરસિંહ વાઘેલા નવી પાર્ટી સાથે ફરી એકવાર મેદાનમાં આવ્યા છે. ત્યારે આ નવી પાર્ટી રાજ્યના રાજકારણમાં શું ફેરફાર લાવશે તે જોવું રસપ્રદ રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...