Tuesday, May 5, 2026

83 વર્ષે ફરી બાપુ ફરી મેદાનમાં ! શંકરસિંહ વાઘેલાએ આ પાર્ટીને લઇને કરી મોટી જાહેરાત, જુઓ શું કહયું ?

spot_img
Share

અમદાવાદ : ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા 83 વર્ષે ફરી એકવાર ચૂંટણી મેદાનમાં ઉતરવાના છે.આજે શંકરસિંહ વાઘેલાના માર્ગદર્શક પ્રેસ કોન્ફરન્સ યોજીને ‘પ્રજા શક્તિ ડેમોક્રેટિક’ પાર્ટીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. પાર્ટીના વર્તમાન પ્રમુખ ડૉ.રાજેન્દ્રસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં આ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, હું પાર્ટીમાં જોડાયેલો રહીશ. નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે અને 22 ડિસેમ્બરના રોજ અડાલજ ખાતે મોટુ સંમેલન અને પાર્ટી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં સર્કિટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નવ નિયુક્ત અધ્યક્ષના પરિચય અને પાર્ટીના આગામી દિવસોના કાર્યક્રમથી પરિચિત કરાવવા પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના વર્તમાન અધ્યક્ષ ડૉ.રાજેન્દ્રસિંહજી રાઠોડ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી અને પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રણેતા શંકરસિંહ વાઘેલા બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રેસ કોન્ફન્સમાં શંકરસિંહ વાઘેલાએ નવી પાર્ટીની જરુર કેમ પડી તે અંગે પણ જણાવ્યું હતુ તેમણે જણાવ્યું કે, 2020થી પાર્ટી છે. તેમજ આગામી દિવસોમાં તેમની શું રણનિતી રહેશે તે અંગે પણ માહિતી આપી હતી.

શંકરસિંહ વાઘેલાએ જણાવ્યુ કે રાજેન્દ્રસિંહજી રાઠોડને તેમને આ જવાબદારી સંભાળવા માટે મનાવ્યા હતા. જિલ્લા પંચાયતોની ચૂંટણી પહેલા અમે આ જાહેરાત કરી છે કે, તેઓ આ પાર્ટીની જવાબદારી સંભાળશે. ગાધીનગરમાં 22 તારીખે બધા કાર્યકર્તાઓને બોલાવીને નવુ કાર્યાલયના અધિવે્શન ગાંધીનગરના અડાલજમાં થશે. ગુજરાતમાં બી ટીમ સી ટીમની વાત કાલ્પનિક વાત છે. ગુજરાતમાં જેની સમાજમાં છાપ સારી હોય.

આજ કાલ તો, જે ગુંડા હોય, દુષ્કર્મી હોય, બદમાશ હોય , પોન્ઝી સ્કીમ વાળા હોય ભાજપનો ખેસ પહેરો અને પવિત્ર થઈ જાવ, અસમાજિક તત્વોને સરકારનું પ્રોટેક્શન મળી રહ્યુ છે. લોકો મરે તેનો અવાજ કોણ ઉઠાવશે તેનો અવાજ અમે ઉઠાવીશું. આવનારી ચૂંટણીઓમાં પરિવર્તન આવે, એટલા માટે આ પાર્ટી તન મન ધનથી કામ કરશે. વધુમાં તેમણે નવી પાર્ટી માત્ર ક્ષત્રિયો પુરતી રહેશે તે અંગે જણાવ્યુ કે, પાર્ટી કોઈ ધર્મની ના હોય,

શંકરસિંહ વાઘેલા નવી પાર્ટી સાથે ફરી એકવાર મેદાનમાં આવ્યા છે. ત્યારે આ નવી પાર્ટી રાજ્યના રાજકારણમાં શું ફેરફાર લાવશે તે જોવું રસપ્રદ રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...