Wednesday, March 4, 2026

AMCનો વધુ એક કીમિયો, અમદાવાદની આ 5 ઐતિહાસિક વાવ પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે અપાશે ભાડે

spot_img
Share

અમદાવાદ: દરેક વ્યક્તિ પોતાના લગ્નને યાદગાર બનાવવા ઈચ્છે છે. આ માટે તેઓ લગ્ન તારીખના ઘણા સમય પહેલા પ્રી વેડિંગ ફોટો શૂટ કરાવતાં હોય છે. હાલ અમદાવાદના રિવરફ્રન્ટ પર આવેલા કેટલાક બગીચામાં લોકો ફી ચૂકવીને ફોટોશૂટ કરાવી રહ્યા છે, આ દરમિયાન તંત્રએ આવક વધરવા મોટો નિર્ણય લીધો છે. શહેરમાં આવેલી કેટલીક વાવને ભાડે આપીને વધારાની આવક ઉભી કરવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિચારી રહી છે. આ મુદ્દે રિક્રીએશન કમિટીની બેઠકમાં યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરમાં હાલ 20 જેટલી વાવ અસ્તિત્વમાં છે. મોટાભાગની વાવ કેન્દ્ર સરકારના પુરાતત્વ વિભાગ હેઠળ આવેલી છે. જ્યારે કેટલીક વાવ મ્યુનિસિપલ હેરિટેજ વિભાગ હેઠળ આવરી લેવામાં આવી છે. આ 5 વાવ પર પ્રી વેડિંગ શૂટિંગ માટેની મંજૂરી આપવામાં આવી શકે છે. શૂટિંગ કરવા માટેની પરવાનગી અને શૂટિંગ કરવા માટે ચૂકવવવાની કિંમત આગામી દિવસોમાં જાહેર કરવામાં આવી શકે છે.

ગુજરાતમાં અનેક વાવ આવેલી છે. દરેક વાવનું લોકકલ્યાણ સાથે સાથે ધાર્મિક અને પુરાતત્ત્વીય મહત્ત્વ પણ છે. વાવ એટલે કુવાનો જ એક પ્રકાર છે. વાવમાં ગરગડી ઉપરાંત પગથિયા પણ હોય છે, જેથી પાણી તળિયે હોય તો પણ જઈને તમે ભરી શકો. પહેલાના સમય માં અમુક વિસ્તારો અને ગામમાં પાણીની અછત રહેતી હતી. લોકોને દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડતું હતું. એટલે રાજા મહારાજા અને ગામ વાળા લોકો જે ગામની આસપાસ નદી કે અન્ય પાણીની સગવડ ન હોય ત્યાં વાવ નિર્માણ કાર્ય કરાવતા હતા. દરેક વાવ જે તે સ્થાપત્ય શૈલી પ્રમાણે એકબીજાથી અલગ પડે છે.

ગોસાઈજી હવેલીની વાવ, દોશીવાડાની પોળ
જેસંગભાની વાડીની વાવ, ઘી કાંટા
અમૃત વરણી વાવ, પાંચકૂવા
પાસરી ધર્મશાળાની વાવ, રિલીફ રોડ
મહદેવ મંદિરવાળી વાવ

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...