Monday, January 19, 2026

AMCનો વધુ એક કીમિયો, અમદાવાદની આ 5 ઐતિહાસિક વાવ પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે અપાશે ભાડે

spot_img
Share

અમદાવાદ: દરેક વ્યક્તિ પોતાના લગ્નને યાદગાર બનાવવા ઈચ્છે છે. આ માટે તેઓ લગ્ન તારીખના ઘણા સમય પહેલા પ્રી વેડિંગ ફોટો શૂટ કરાવતાં હોય છે. હાલ અમદાવાદના રિવરફ્રન્ટ પર આવેલા કેટલાક બગીચામાં લોકો ફી ચૂકવીને ફોટોશૂટ કરાવી રહ્યા છે, આ દરમિયાન તંત્રએ આવક વધરવા મોટો નિર્ણય લીધો છે. શહેરમાં આવેલી કેટલીક વાવને ભાડે આપીને વધારાની આવક ઉભી કરવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિચારી રહી છે. આ મુદ્દે રિક્રીએશન કમિટીની બેઠકમાં યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરમાં હાલ 20 જેટલી વાવ અસ્તિત્વમાં છે. મોટાભાગની વાવ કેન્દ્ર સરકારના પુરાતત્વ વિભાગ હેઠળ આવેલી છે. જ્યારે કેટલીક વાવ મ્યુનિસિપલ હેરિટેજ વિભાગ હેઠળ આવરી લેવામાં આવી છે. આ 5 વાવ પર પ્રી વેડિંગ શૂટિંગ માટેની મંજૂરી આપવામાં આવી શકે છે. શૂટિંગ કરવા માટેની પરવાનગી અને શૂટિંગ કરવા માટે ચૂકવવવાની કિંમત આગામી દિવસોમાં જાહેર કરવામાં આવી શકે છે.

ગુજરાતમાં અનેક વાવ આવેલી છે. દરેક વાવનું લોકકલ્યાણ સાથે સાથે ધાર્મિક અને પુરાતત્ત્વીય મહત્ત્વ પણ છે. વાવ એટલે કુવાનો જ એક પ્રકાર છે. વાવમાં ગરગડી ઉપરાંત પગથિયા પણ હોય છે, જેથી પાણી તળિયે હોય તો પણ જઈને તમે ભરી શકો. પહેલાના સમય માં અમુક વિસ્તારો અને ગામમાં પાણીની અછત રહેતી હતી. લોકોને દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડતું હતું. એટલે રાજા મહારાજા અને ગામ વાળા લોકો જે ગામની આસપાસ નદી કે અન્ય પાણીની સગવડ ન હોય ત્યાં વાવ નિર્માણ કાર્ય કરાવતા હતા. દરેક વાવ જે તે સ્થાપત્ય શૈલી પ્રમાણે એકબીજાથી અલગ પડે છે.

ગોસાઈજી હવેલીની વાવ, દોશીવાડાની પોળ
જેસંગભાની વાડીની વાવ, ઘી કાંટા
અમૃત વરણી વાવ, પાંચકૂવા
પાસરી ધર્મશાળાની વાવ, રિલીફ રોડ
મહદેવ મંદિરવાળી વાવ

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...