Tuesday, October 14, 2025

રિડેવલપમેન્ટ ઈફેકટ : હાઉસિંગના મકાનોના ભાવમાં ભારે ઉછાળો…!!

Share

અમદાવાદ : અમદાવાદમાં નારણપુરા, સોલા અને નવા વાડજ સહિત પૂર્વના કેટલાંક વિસ્તારોમાં આવેલ હાઉસિંગમાં અનેક સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયાઓ ચાલી રહી છે તો અનેક સોસાયટીઓના રહીશો રિડેવલમેન્ટની આશા લઈને બેઠા છે, આમ રિડેવલપમેન્ટને લઈને પૂર્વની સરખાણીમાં પશ્ચિમમાં એમાંય ખાસ કરીને શહેરના 132 ફુટ રીંગ રોડ ટચ હાઉસીંગ સોસાયટીઓમાં મકાનોના ભાવમાં અચાનક ઉછાળો આવ્યો હોવાનું રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલ લોકો જણાવી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ગત 21મી એ નવા વાડજમાં નંદનવન એપાર્મેન્ટ, નારણપુરામાં વિજયનગર પાસે આવેલ સોનલ પાર્ક, સોલામાં શિવ એપાર્ટમેન્ટ અને વાસણામાં આવેલ વસુધરા એપાર્ટમેન્ટમાં રિડેવલપમેન્ટ માટે ટેન્ડરો કરતા સોસાયટીઓમાં મકાનોના ભાવમાં એકાએક ઉછાળો આવ્યો છે.એક રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલ વ્યક્તિના જણાવ્યા મુજબ નવા વાડજમાં ભાવસાર હોસ્ટેલ પાસે આવેલ નંદનવન એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે મકાન બે વર્ષ પહેલા વીસ લાખમાં પણ કોઈ લેવા તૈયાર નહોતું, પરંતુ જે રીતે રિડેવલપમેન્ટ અને મેટ્રો શરૂ થતા 40 લાખ જેટલી અધધ રકમ સૌદા પાર પડ્યો છે.કારણ કે નંદનવન એપારમેન્ટ પ્રાઈમ લોકેશનમાં હોવાનું રિયલ એસ્ટેટ સાથે જાેડાયેલ લોકો માની રહ્યા છે.વળી ત્રણ બાજુ રોડ ખુલ્લો મળી રહે છે.વળી નંદનવન એપાર્ટમેન્ટની નજીકમાં જ રામાપીરના ટેકરા પર સ્લમ રિડેવલમેન્ટની પ્રક્રિયા જાેરશોરથી ચાલી રહી છે.નંદનવન એપાર્ટમેન્ટના એક રહીશે જણાવ્યું છે કે કેટલાંક ઈન્વેસ્ટર્સ જમીનો, દુકાનોની દોડ છોડી હાઉસિંગ તરફ વળ્યા છે. અત્યાર સુધીમાં સોસાયટીમાં કોઈ મકાન વેચાવવામાં નથી.

ભાવમાં વધારાની વાત અહીં અટકતી નથી, આ અગાઉ જયાં જયા રિડેવપમેન્ટમાં થયુ અથવા થઈ રહ્યું છે તેવી તમામ સોસાયટીઓમાં મકાનોની કિંમતોમાં ભાવમાં ખૂબ જ ટુંકા ગાળામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.આમ હજુ આવનાર સમયમાં નંદનવન એપાર્ટમેન્ટ સહિત આજબાજુમાં હાઉસિંગ સોસાયટીઓમાં આવનાર સમયમાં ભાવ હજુ પણ ઉંચકાય તો નવાઈ નહીં.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...