Wednesday, January 21, 2026

રિડેવલપમેન્ટ ઈફેકટ : હાઉસિંગના મકાનોના ભાવમાં ભારે ઉછાળો…!!

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં નારણપુરા, સોલા અને નવા વાડજ સહિત પૂર્વના કેટલાંક વિસ્તારોમાં આવેલ હાઉસિંગમાં અનેક સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયાઓ ચાલી રહી છે તો અનેક સોસાયટીઓના રહીશો રિડેવલમેન્ટની આશા લઈને બેઠા છે, આમ રિડેવલપમેન્ટને લઈને પૂર્વની સરખાણીમાં પશ્ચિમમાં એમાંય ખાસ કરીને શહેરના 132 ફુટ રીંગ રોડ ટચ હાઉસીંગ સોસાયટીઓમાં મકાનોના ભાવમાં અચાનક ઉછાળો આવ્યો હોવાનું રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલ લોકો જણાવી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ગત 21મી એ નવા વાડજમાં નંદનવન એપાર્મેન્ટ, નારણપુરામાં વિજયનગર પાસે આવેલ સોનલ પાર્ક, સોલામાં શિવ એપાર્ટમેન્ટ અને વાસણામાં આવેલ વસુધરા એપાર્ટમેન્ટમાં રિડેવલપમેન્ટ માટે ટેન્ડરો કરતા સોસાયટીઓમાં મકાનોના ભાવમાં એકાએક ઉછાળો આવ્યો છે.એક રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલ વ્યક્તિના જણાવ્યા મુજબ નવા વાડજમાં ભાવસાર હોસ્ટેલ પાસે આવેલ નંદનવન એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે મકાન બે વર્ષ પહેલા વીસ લાખમાં પણ કોઈ લેવા તૈયાર નહોતું, પરંતુ જે રીતે રિડેવલપમેન્ટ અને મેટ્રો શરૂ થતા 40 લાખ જેટલી અધધ રકમ સૌદા પાર પડ્યો છે.કારણ કે નંદનવન એપારમેન્ટ પ્રાઈમ લોકેશનમાં હોવાનું રિયલ એસ્ટેટ સાથે જાેડાયેલ લોકો માની રહ્યા છે.વળી ત્રણ બાજુ રોડ ખુલ્લો મળી રહે છે.વળી નંદનવન એપાર્ટમેન્ટની નજીકમાં જ રામાપીરના ટેકરા પર સ્લમ રિડેવલમેન્ટની પ્રક્રિયા જાેરશોરથી ચાલી રહી છે.નંદનવન એપાર્ટમેન્ટના એક રહીશે જણાવ્યું છે કે કેટલાંક ઈન્વેસ્ટર્સ જમીનો, દુકાનોની દોડ છોડી હાઉસિંગ તરફ વળ્યા છે. અત્યાર સુધીમાં સોસાયટીમાં કોઈ મકાન વેચાવવામાં નથી.

ભાવમાં વધારાની વાત અહીં અટકતી નથી, આ અગાઉ જયાં જયા રિડેવપમેન્ટમાં થયુ અથવા થઈ રહ્યું છે તેવી તમામ સોસાયટીઓમાં મકાનોની કિંમતોમાં ભાવમાં ખૂબ જ ટુંકા ગાળામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.આમ હજુ આવનાર સમયમાં નંદનવન એપાર્ટમેન્ટ સહિત આજબાજુમાં હાઉસિંગ સોસાયટીઓમાં આવનાર સમયમાં ભાવ હજુ પણ ઉંચકાય તો નવાઈ નહીં.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...