Thursday, January 15, 2026

AMCના ગાર્ડનમાં પરણિત યુવતીની હત્યા, બાદમાં પ્રેમીએ પણ રિવરફ્રન્ટ બ્રિજ કરી આત્મહત્યા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આવેલ AMCના ગાર્ડનમાંથી 30 વર્ષીય યુવતીની લાશ મળી આવી છે. છરીના ઘા મારીને યુવતીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં પ્રેમીએ પરણિત પ્રેમિકાની હત્યા કરી હતી. આ પ્રેમિકાની હત્યા કરી બાઈક પર વાડજ પાસે રિવરફ્રન્ટ પરથી પ્રેમીએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શાહીબાગ વિસ્તારમાં નમસ્તે સર્કલ પાસે આવેલ ગાર્ડનમાં યુવતીની હત્યાનો મામલો સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ પ્રેમીએ પરિણીત પ્રેમિકાની હત્યા કરી હોવાની માહિતી સામે આવી છે. પ્રેમિકાની હત્યા બાદ પ્રેમીએ પણ આત્મહત્યા કરી લીધી. પ્રેમિકાની હત્યા કર્યા બાદ વાડજ પાસે રિવરફ્રન્ટ પરથી 24 વર્ષીય પ્રેમી કૌશિક મકવાણાએ આત્મહત્યા કરી હતી.પ્રેમી કૌશિક મકવાણા પીએસઆઈની પરીક્ષાની તૈયારી કરતો હતો. નમસ્તે સર્કલ ગાર્ડન પાસે આવેલી લાઇબ્રેરીમાં પ્રેમી કૌશિક મકવાણા તૈયારી કરતો હતો.

પોલીસે આરોપીની તપાસ માટે ટીમ રવાના કરી અને તપાસ શરૂ તો જાણવા મળ્યું કે આરોપી પ્રેમી કૌશિક મકવાણાએ સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કરી લીધેલ છે જેથી પોલીસ ત્યાં પણ ગઈ અને તપાસ શરૂ કરી ત્યારે આરોપીની બાઈક પણ ત્યાં મળી આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને એક જગ્યાએ રહેતા હતા અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર મામલે પોલીસની તપાસમાં સામે આવ્યું કે, આરોપી પીએસઆઈની પરીક્ષાની તૈયારી કરતો હતો પરંતુ આ ઘટના પાછળ કયું કારણ જવાબદાર છે તે જાણી શકાયું નથી. હાલ તો પોલીસે બંને મામલે અલગ અલગ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. હવે મોબાઈલની તપાસ બાદ જ કારણ સામે આવી શકે તેમ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...