Wednesday, January 21, 2026

અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન, બેફામ કાર ચાલકે અડફેટે લેતા ડિલિવરી બોયનું મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં દિવસેને દિવસે અકસ્માતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ગતરાત્રિના શહેરના શેલા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સર્જાઇ હતી. જેમાં એકનું મોત નિપજ્યું છે.સ્કૂટરને ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. પૂરપાટ ઝડપે જઈ રહેલી થાર કારે ટક્કર મારી હોવાનો પરિવાજનોનો આક્ષેપ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના શેલા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી. જેમાં અજાણ્યા કાર ચાલકે ડીલીવરી બોયને અડફેટમાં લીધો હતો. મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે 11 થી 12 વાગ્યા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર ચાલકે સ્કૂટરને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે મોપેડ લઇને જતા સાફ્ફાન બિયાવરવાલાનું મોત નિપજ્યું હતું.આ ઘટનામાં પૂરપાડ ઝડપે જઈ રહેલી થાર કારે ટક્કર મારી હોવાનો પરિજનોએ આક્ષેપ કર્યો હતો. અને GJ01WS1791 નંબરની કારે ટક્કર મારી હોવાનો પરિજનોએ જણાવ્યું હતું.

અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો હોવાના કારણે લોકોમાં રોષ ફેલાયો છે. ત્યારે આ ઘટનાઓ વારંવાર ન બને તેને લઇ લોકો દ્વારા પોલીસ સમક્ષ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જોકે રાત્રિના સમયે બનેલ ઘટનામાં પોલીસે કાર્યવાહી આદરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...