Thursday, January 22, 2026

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટના કાળા બજારિયા, ચાર ટિકિટ સાથે બેની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 25મી અને 26મી જાન્યુઆરીએ કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાશે. આ કોન્સર્ટની ટિકિટનું વેચાણ શરૂ થયા બાદ અમુક સમયમાં હજારો ટિકિટ વેચાઈ ગઈ હતી. ત્યારે હવે કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટના કાળા બજારિયા થતું હોવાનું બહાર આવ્યું છે. યુવકોએ શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે પહેલા ઓનલાઇન ટિકિટ બુક કરી લીધી અને બાદમાં તેનું બ્લેકમાર્કેટિંગ શરૂ કરી દીધુ છે. એક ટિકિટ પાછળ 7,500 રૂપિયાનો ફાયદો લઇ રહ્યા છે. પોલીસે બે યુવકોની ધરપકડ કરી છે અને ચાર ટિકિટો જપ્ત કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઝોન 2 ડીસીપીની લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, રાણીપ ખાતે બે યુવકો કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટો બ્લેક કરી રહ્યા છે. એલસીબીની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વત્સલ કોઠારી અને બિસપ ખલાસની અટકાયત કરી લીધી હતી. વત્સલ બોડકદેવ વિસ્તારમાં આવેલા અક્ષરધામ એપાર્ટમેન્ટમાં રહે છે, જ્યારે બિસપ ખલાસ રાણીપ વિસ્તારમાં આવેલી વારહપ્રભુ સોસાયટીમાં રહે છે. બન્ને પાસેથી લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમને ચાર ટિકિટો મળી આવી હતી. કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટને 12500 રૂપિયાના ભાવ સાથે આ બન્ને યુવકોએ ઓનલાઇન ખરીદી લીધી હતી.એક ટિકિટ પાછળ 7,500 રૂપિયાનો ફાયદો લઇ રહ્યા છે. પોલીસે બે યુવકોની ધરપકડ કરી છે અને ચાર ટિકિટો જપ્ત કરી છે.

ટિકિટ ખરીદી લીધા બાદ વત્સલ અને બિસપ 20 હજાર રૂપિયા વેચવા માટે નીકળ્યા હતા. ટિકિટની કાળાબજારી કરતાજ એલસીબીની ટીમે તેમની ધરપકડ કરી લીધી છે. કોલ્ડપ્લે કોન્સર્ટનો જોવા માટે લોકો વધુને વધુ પૈસા આપવા તૈયાર છે, ત્યારે આવા કાળા બજારીયાઓ બેફામ બની ગયા છે. નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે કોલ્ડપ્લે કોન્સર્ટની તૈયારીને ઓખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, ત્યારે પોલીસ પણ સ્ટેન્ડબાય થઇ ગઇ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...