Monday, January 19, 2026

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને સ્ટેડિયમમાં જડબેસલાક બંદોબસ્ત, આ વસ્તુઓને લઈ જવા પર પ્રતિબંધ, આ રસ્તાઓ રહેશે બંધ

spot_img
Share

અમદાવાદ : કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આગામી 25 અને 26 જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમા કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાવાનો છે. આ કોન્સર્ટમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચકલુ પણ ફરકે નહી તેવી ચુસ્ત તૈયારી કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ ખાતે યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટમાં જનાર લોકો માટે ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે. કોલ્ડપ્લે કોન્સર્ટમાં જવા માટે સૌ પ્રથમ તો તમારી પાસે સરકારી આઈડી પ્રફ હોવું જરૂરી છે. તેમજ કોન્સર્ટની સુરક્ષાને ધ્યાને રાખીને અનેક સ્તરે સુરક્ષા તપાસ કરવામાં આવશે.તેમજ કોલ્ડપ્લે કોન્સર્ટ સફળતા પૂર્વક યોજાય તે માટે કેટલીક વસ્તુઓને લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે જો તમે કોન્સર્ટમાં જઈ રહ્યા છો તો તમારે લેપટોપ, ટેબલેટ, પાવર બેન્ક, પેન લેઝર, ઈ-સિગારેટ, ટેન્ટ, કંબલ, સ્લિપિંગ બેગ, ડ્રગ્સ, ખાવા-પીવાનો સામાન, સનસ્ક્રીન, હથિયાર, બ્લેડ રમકડા જેવી વસ્તુઓ અંદર લઈ જઈ શકશો નહી.

અમદાવાદમાં યોજાનાર આ મેગા ઈવેન્ટ પહેલા અમદાવાદ પોલીસ પણ તૈયારી કરી રહી છે. સુરક્ષામાં કોઈ ખામી ન રહે તે માટે અમદાવાદ પોલીસની સાથે એનએસજી કમાન્ડો પણ જોડાશે. કુલ 3825 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે. કોલ્ડપ્લે કોન્સર્ટમાં એક લાખ લોકો આવે તેવી સંભાવના છે. તેને જોતા સ્ટેડિયમ પર કામચલાઉ હોસ્પિટલ અને એમ્બ્યુલન્સ પણ તૈનાત રાખવામાં આવશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટ માટે લોકોની ભારે ભીડ જોવા મળશે. અમદાવાદ પોલીસે આપેલી માહિતી પ્રમાણે પાંચ વર્ષથી નાના બાળકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ સિવાય સ્ટેડિયમ તરફ જતા કેટલાક રસ્તાઓ પણ બંધ રાખવામાં આવશે. લોકો આ દરમિયાન વૈકલ્પિક રૂટનો ઉપયોગ અવર-જવર માટે કરી શકશે.

અમદાવાદ પોલીસે જણાવ્યું કે બપોરે 2 કલાકથી સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. આ કોન્સર્ટ રાત્રે 10 કલાક સુધી ચાલશે. લોકોને એરપ્લગ આપવામાં આવશે. મહિલા પોલીસ પણ સુરક્ષામાં રહેશે. અમદાવાદ પોલીસે કહ્યું કે જનપથ ચાર રસ્તાથી સ્ટેડિયમ તરફ જતો માર્ગ બંધ રહેશે. અમદાવાદ પોલીસે કહ્યું કે તપોવન સર્કલથી ઓએનજીસી ચાર રસ્તાથી વિસત જનપથથી થઈ પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધ રાવળ સર્કલ સુધી અવરજવર માટે વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરી શકશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લોકો બપોરે 2 કલાકથી પ્રવેશ મેળવી શકશે. કોન્સર્ટ સાંજે 5.10 કલાકે શરૂ થશે. લોકો પોતાની સાથે મોબાઈલ ફોન, પાવરબેંક અને બેગ લઈ જઈ શકે છે. કોન્સર્ટ જોવા આવતા દર્શકો માટે પીવાના પાણીની વ્યવસ્થા ફ્રીમાં કરવામાં આવી છે.

આ રીતે છે બંદોબસ્તની વ્યવસ્થા
DCP 14
ACP 25
PI 63
PSI 142
પોલીસકર્મી 3581
QRT ટીમ 3
NSG ટીમ 1
SDRF 1
BDDS 10
CCTV વાન 2
વેગેઝ સ્કેનર 2
ડીટેક્ટર 400

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...