Sunday, May 3, 2026

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને સ્ટેડિયમમાં જડબેસલાક બંદોબસ્ત, આ વસ્તુઓને લઈ જવા પર પ્રતિબંધ, આ રસ્તાઓ રહેશે બંધ

spot_img
Share

અમદાવાદ : કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આગામી 25 અને 26 જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમા કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાવાનો છે. આ કોન્સર્ટમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચકલુ પણ ફરકે નહી તેવી ચુસ્ત તૈયારી કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ ખાતે યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટમાં જનાર લોકો માટે ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે. કોલ્ડપ્લે કોન્સર્ટમાં જવા માટે સૌ પ્રથમ તો તમારી પાસે સરકારી આઈડી પ્રફ હોવું જરૂરી છે. તેમજ કોન્સર્ટની સુરક્ષાને ધ્યાને રાખીને અનેક સ્તરે સુરક્ષા તપાસ કરવામાં આવશે.તેમજ કોલ્ડપ્લે કોન્સર્ટ સફળતા પૂર્વક યોજાય તે માટે કેટલીક વસ્તુઓને લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે જો તમે કોન્સર્ટમાં જઈ રહ્યા છો તો તમારે લેપટોપ, ટેબલેટ, પાવર બેન્ક, પેન લેઝર, ઈ-સિગારેટ, ટેન્ટ, કંબલ, સ્લિપિંગ બેગ, ડ્રગ્સ, ખાવા-પીવાનો સામાન, સનસ્ક્રીન, હથિયાર, બ્લેડ રમકડા જેવી વસ્તુઓ અંદર લઈ જઈ શકશો નહી.

અમદાવાદમાં યોજાનાર આ મેગા ઈવેન્ટ પહેલા અમદાવાદ પોલીસ પણ તૈયારી કરી રહી છે. સુરક્ષામાં કોઈ ખામી ન રહે તે માટે અમદાવાદ પોલીસની સાથે એનએસજી કમાન્ડો પણ જોડાશે. કુલ 3825 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે. કોલ્ડપ્લે કોન્સર્ટમાં એક લાખ લોકો આવે તેવી સંભાવના છે. તેને જોતા સ્ટેડિયમ પર કામચલાઉ હોસ્પિટલ અને એમ્બ્યુલન્સ પણ તૈનાત રાખવામાં આવશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટ માટે લોકોની ભારે ભીડ જોવા મળશે. અમદાવાદ પોલીસે આપેલી માહિતી પ્રમાણે પાંચ વર્ષથી નાના બાળકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ સિવાય સ્ટેડિયમ તરફ જતા કેટલાક રસ્તાઓ પણ બંધ રાખવામાં આવશે. લોકો આ દરમિયાન વૈકલ્પિક રૂટનો ઉપયોગ અવર-જવર માટે કરી શકશે.

અમદાવાદ પોલીસે જણાવ્યું કે બપોરે 2 કલાકથી સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. આ કોન્સર્ટ રાત્રે 10 કલાક સુધી ચાલશે. લોકોને એરપ્લગ આપવામાં આવશે. મહિલા પોલીસ પણ સુરક્ષામાં રહેશે. અમદાવાદ પોલીસે કહ્યું કે જનપથ ચાર રસ્તાથી સ્ટેડિયમ તરફ જતો માર્ગ બંધ રહેશે. અમદાવાદ પોલીસે કહ્યું કે તપોવન સર્કલથી ઓએનજીસી ચાર રસ્તાથી વિસત જનપથથી થઈ પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધ રાવળ સર્કલ સુધી અવરજવર માટે વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરી શકશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લોકો બપોરે 2 કલાકથી પ્રવેશ મેળવી શકશે. કોન્સર્ટ સાંજે 5.10 કલાકે શરૂ થશે. લોકો પોતાની સાથે મોબાઈલ ફોન, પાવરબેંક અને બેગ લઈ જઈ શકે છે. કોન્સર્ટ જોવા આવતા દર્શકો માટે પીવાના પાણીની વ્યવસ્થા ફ્રીમાં કરવામાં આવી છે.

આ રીતે છે બંદોબસ્તની વ્યવસ્થા
DCP 14
ACP 25
PI 63
PSI 142
પોલીસકર્મી 3581
QRT ટીમ 3
NSG ટીમ 1
SDRF 1
BDDS 10
CCTV વાન 2
વેગેઝ સ્કેનર 2
ડીટેક્ટર 400

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...