Thursday, March 12, 2026

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને 2 દિવસ મેટ્રો રાત્રે 12.30 કલાક સુધી મળશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 અને 26 જાન્યુઆરીએ કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાવાની છે. મેટ્રો ટ્રેનના સંચાલકોએ તમારા માટે જ ખાસ વિશેષ વ્યવસ્થા કરી છે જેમાં બે દિવસ રાત્રીના સમયમાં વધારો કરાયો છે.દોઢ કલાકના સમયમાં વધારો કરવામાં આવ્યો છે જેમાં 25 અને 26 જાન્યુઆરીએ રાત્રીના મોટેરા સ્ટેશનથી અંતિમ મેટ્રો 12.30 વાગ્યા સુધી મળશે જેમાં મોટેરાથી એપીએમસી અને થલતેજ રૂટ માટે જ સમય વધારવામાં આવ્યો છે.જેથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જવા-આવવા માટે તમને કોઈ મુશ્કેલી ન પડે.

તારીખ રપ-૧-ર૦રપ ર૬-૧-ર૦રપ
અમદાવાદમાં મેટ્રો ટ્રેનના નિર્ધારિત સમય સવારે ૬-ર૦ કલાકથી રાત્રિના ૧૦ વાગ્યા સુધી સવારે ૬-ર૦ કલાકથી રાત્રિના ૧૦ વાગ્યા સુધી
કોન્સર્ટ માટે માત્ર મોટેરાથી લંબાવેલો મેટ્રો ટ્રેનનો સમય/કલાકો રાત્રિના ૧૦ વાગ્યાથી મધ્યરાત્રિના ૧ર-૩૦ કલાક સુધી રાત્રિના ૧૦ વાગ્યાથી મધ્યરાત્રિના ૧ર-૩૦ કલાક સુધી
મોટેરાથી છેલ્લી મેટ્રો ટ્રેનનો ઉપડવાનો સમય/કલાક તા.ર૬-૧-ર૦રપ ની મધ્યરાત્રિના ૧ર-૩૦ કલાકે તા.ર૭-૧-ર૦રપ ની મધ્યરાત્રિના ૧ર-૩૦ કલાકે
લંબાવેલા સમય દરમ્યાન સ્ટેશનમાં પ્રવેશ માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી
મેટ્રો ટ્રેનની ઉપલબ્ધ સેવાઓની ફ્રિક્વન્સી દર ૮ (આઠ) મિનિટના સમયાંતરે

 

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મેટ્રો ટ્રેનના સંચાલકો મુજબ, તા. 25મી અને 26મી જાન્યુઆરી 2025 ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી “કોલ્ડપ્લે” મ્યુઝિક કોન્સર્ટના આયોજનને ધ્યાનમાં રાખીને GMRC એ અમદાવાદમાં બે દિવસ માટે મધ્યરાત્રિના 12:30 કલાક સુધી મેટ્રો ટ્રેન સેવાઓને લંબાવવાનો નિર્ણય કર્યો છે.તા.25 અને 26મી ના આ લંબાવેલો સમય દરમ્યાન, મેટ્રો ટ્રેન સેવાઓ માત્ર અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમથી જ APMC તથા થલતેજ ગામથી વસ્ત્રાલ ગામના રૂટ ઉપર ઉપલબ્ધ રહેશે.

જાહેર જનતાને નોંધ લેવા નમ્ર વિનંતી છે કે, મોટેરા સ્ટેડિયમ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો સેવાઓ લંબાવવામાં આવી નથી, એટલે કે મેટ્રો ટ્રેન સેવાઓ ગાંધીનગર-મોટેરા વચ્ચે રાબેતા મુજબ જ ઉપલબ્ધ રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...