Saturday, January 24, 2026

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને 2 દિવસ મેટ્રો રાત્રે 12.30 કલાક સુધી મળશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 અને 26 જાન્યુઆરીએ કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાવાની છે. મેટ્રો ટ્રેનના સંચાલકોએ તમારા માટે જ ખાસ વિશેષ વ્યવસ્થા કરી છે જેમાં બે દિવસ રાત્રીના સમયમાં વધારો કરાયો છે.દોઢ કલાકના સમયમાં વધારો કરવામાં આવ્યો છે જેમાં 25 અને 26 જાન્યુઆરીએ રાત્રીના મોટેરા સ્ટેશનથી અંતિમ મેટ્રો 12.30 વાગ્યા સુધી મળશે જેમાં મોટેરાથી એપીએમસી અને થલતેજ રૂટ માટે જ સમય વધારવામાં આવ્યો છે.જેથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જવા-આવવા માટે તમને કોઈ મુશ્કેલી ન પડે.

તારીખ રપ-૧-ર૦રપ ર૬-૧-ર૦રપ
અમદાવાદમાં મેટ્રો ટ્રેનના નિર્ધારિત સમય સવારે ૬-ર૦ કલાકથી રાત્રિના ૧૦ વાગ્યા સુધી સવારે ૬-ર૦ કલાકથી રાત્રિના ૧૦ વાગ્યા સુધી
કોન્સર્ટ માટે માત્ર મોટેરાથી લંબાવેલો મેટ્રો ટ્રેનનો સમય/કલાકો રાત્રિના ૧૦ વાગ્યાથી મધ્યરાત્રિના ૧ર-૩૦ કલાક સુધી રાત્રિના ૧૦ વાગ્યાથી મધ્યરાત્રિના ૧ર-૩૦ કલાક સુધી
મોટેરાથી છેલ્લી મેટ્રો ટ્રેનનો ઉપડવાનો સમય/કલાક તા.ર૬-૧-ર૦રપ ની મધ્યરાત્રિના ૧ર-૩૦ કલાકે તા.ર૭-૧-ર૦રપ ની મધ્યરાત્રિના ૧ર-૩૦ કલાકે
લંબાવેલા સમય દરમ્યાન સ્ટેશનમાં પ્રવેશ માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી
મેટ્રો ટ્રેનની ઉપલબ્ધ સેવાઓની ફ્રિક્વન્સી દર ૮ (આઠ) મિનિટના સમયાંતરે

 

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મેટ્રો ટ્રેનના સંચાલકો મુજબ, તા. 25મી અને 26મી જાન્યુઆરી 2025 ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી “કોલ્ડપ્લે” મ્યુઝિક કોન્સર્ટના આયોજનને ધ્યાનમાં રાખીને GMRC એ અમદાવાદમાં બે દિવસ માટે મધ્યરાત્રિના 12:30 કલાક સુધી મેટ્રો ટ્રેન સેવાઓને લંબાવવાનો નિર્ણય કર્યો છે.તા.25 અને 26મી ના આ લંબાવેલો સમય દરમ્યાન, મેટ્રો ટ્રેન સેવાઓ માત્ર અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમથી જ APMC તથા થલતેજ ગામથી વસ્ત્રાલ ગામના રૂટ ઉપર ઉપલબ્ધ રહેશે.

જાહેર જનતાને નોંધ લેવા નમ્ર વિનંતી છે કે, મોટેરા સ્ટેડિયમ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો સેવાઓ લંબાવવામાં આવી નથી, એટલે કે મેટ્રો ટ્રેન સેવાઓ ગાંધીનગર-મોટેરા વચ્ચે રાબેતા મુજબ જ ઉપલબ્ધ રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...