Tuesday, October 14, 2025

નારણપુરામાં હાઉસીંગની અનેક સોસાયટીઓ રિડેવલપમેન્ટના પંથે…!!

Share

(પ્રતિનિધી દ્વારા) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ખાનગીમાં અનેક સોસાયટીઓ રિડેવલપમેન્ટની દિશામાં આગળ વધી રહી છે ત્યારે હાઉસીંગ બોર્ડની હાઉસીંગ કોલોનીઓમાં છેલ્લાં એકાદ-બે વર્ષાેથી થોડીક જાગૃતિ આવી હોય તેવું જણાઈ રહ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬માં રિડેવલપમેન્ટ પોલીસી લાવી છતાં ૨૦૧૬ થી ૨૦૨૨ સુધી માત્ર આંગળીના વેઢે ગણાય શકાય તેટલી હાઉસીંગ કોલોનીઓ રિડેવલપમેન્ટ પોલીસી જાેડાઈ હતી.પરંતુ છેલ્લાં ૨૦૨૨થી ૨૦૨૫ હાલમાં સુધી અનેક સોસાયટીઓ રિડેવલપમેન્ટ પોલીસી લાભ લઈ જાેડાવવા તત્પર છે.એક બાજુ વર્તમાન હાઉસીંગ કોલોનીઓ રોડ, લાઈટ, પાણી, પાર્કિંગ સહિત અનેક પ્રશ્નોને લઈને હાઉસીંગ રહીશો રિડેવલપમેન્ટ પોલીસીમાં જાેડાવવા તૈયાર હોય તેવું જણાય રહ્યું છે.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વસ્ત્રાપુરના આનંદ વિહાર એપાર્ટમેન્ટ, નારણપુરાના એકતા એપાર્ટમેન્ટ બાદ રિડેવલપમેન્ટ પોલીસી લાભ લેનાર નારણપુરાના રામેશ્વર એપાર્ટમેન્ટ,સુર્યા એપાર્ટમેન્ટ વી-૧, સુર્યા એપાર્ટમેન્ટ વી-૩, ૨૪-નિધિ એપાર્ટમેન્ટ, કિરણપાર્ક એપાર્ટમેન્ટ, પત્રકાર કોલોની, અમર-સુરમ્ય એપાર્ટમેન્ટ, નિધી એપાર્ટમેન્ટ (૧૦૦), શાસ્ત્રીનગર એસોસિયેશન-૬ યોજનાઓ ડીમોલિશ થઈ ગઈ છે.

જયારે નારણપુરામાં અભિષેક એપાર્ટમેન્ટ, શાંતિ એપાર્ટમેન્ટ, પુષ્પક એપાર્ટમેન્ટ, પરિશ્રમ એપાર્ટમેન્ટમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા અંતમાં હોવાની ચર્ચા છે.જયારે નવા વાડજમાં રાધાકૃષ્ણ, નારણપુરામાં અંબિકા એપાર્ટમેન્ટ, ગણેશ, શિવાલય, શ્રીનગર એપાર્ટમેન્ટના ટેન્ડર થઈ ગયા બાદ રહીશો સાથે વાટાઘાટો ચાલુ હોવાની ચર્ચા છે.આ ઉપરાંત અનેક સોસાયટીઓમાં રિડેવલપમેન્ટમાં જાેડાવવા રહીશો માગણી કરી રહ્યા છે.

આ ઉપરાંત તાજેતરમાં નવા વાડજના નંદનવન એપાર્ટમેન્ટ સહિત નારણપુરાની પાંચ સોસાયટીઓના ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી, ટુંક સમયમાં ડેવલપરની નિમણુંક કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું હાઉસિંગ બોર્ડના સુત્રો જણાવી રહ્યાં છે.

સાથે સાથે અનેક સોસાયટીઓ વર્તમાન રિડેવલપમેન્ટ પોલીસીમાં જાેડાવવા તૈયાર નથી, અનેક લોકો વર્તમાન પોલીસીમાં ૪૦ ટકા વધારે બાંધકામ કરતા હજુ પણ વધુ બાંધકામ મળે તેવી માગણી કરી રહ્યા છે, કયાંક આ સિવાય પણ અન્ય પણ માંગણીઓ થઈ રહી છે જેને લઈને અનેક હાઉસીંગ કોલોનીઓના આગેવાનો અને રહીશો વર્તમાન રિડેવલપમેન્ટ પોલીસીમાં ફેરફાર કરવાની પણ માંગણી કરી રહ્યા છે અથવા તો ભવિષ્યમાં પોલીસીમાં ફેરફાર થશે એવું પણ ઈચ્છી રહ્યા છે.

ત્યારે સૌથી મોટો યક્ષ પ્રશ્ન એ થાય છે કે ઉપરોક્ત ૨૭ થી વધુ સોસાયટીઓ રિડેવલપમેન્ટ તરફ જઈ રહી છે ત્યારે ભવિષ્યમાં ગુજરાત સરકાર કે ગુજરાત હાઉસીંગ બોર્ડ વર્તમાન પોલીસીમાં ફેરફાર લાવે તેવી શક્યતાઓ કેટલી..? આગામી સમયમાં જાે કોઈ ફેરફાર લાવે તો જે હાલમાં રિડેવલપમેન્ટમાં જઈ રહ્યાં છે એમને અન્યાય થશે ? આ સમગ્ર બાબતોનો વિચાર કરીને હવેહાઉસીંગના અનેક રહીશો મુંઝવણમાં છે તો અનેક રહીશો રિડેવલપમેન્ટ તરફ જવાનો અને નવા ઘરનો આશાવાદ સેવી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...