Wednesday, March 4, 2026

નારણપુરા ખાતે રિડેવલપમેન્ટ લઈને ગુજરાત હાઉસિંગ વસાહત મંડળ દ્વારા સોસાયટીઓના પ્રમુખ-સેક્રેટરીઓની મિટિંગ યોજાઈ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં નારણપુરા ખાતે આવેલ શ્રીનગર ખાતે ગુરુવાર રાતે ગુજરાત હાઉસિંગ વસાહત મંડળ દ્વારા પ્રમુખ-સેક્રેટરીઓની મિટિંગ યોજાઈ. અમદાવાદમાં જર્જરિત હાલતમાં મુકાયેલાં મકાનોના માલિકોને નવાં મકાનો મળે એવા હેતુસર ગુજરાત સરકાર દ્વારા 2016માં રિડેવલપમેન્ટ સ્કીમ અને હાઉસિંગ બોર્ડના દસ્તાવેજ સહિતના વિવિધ પ્રશ્નો તથા રીડેવલપમેન્ટને લગતા તમામ સવાલોની ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાત હાઉસિંગ વસાહત મંડળ દ્વારા બોલાવાયેલ આ મિટિંગમાં રીડેવલોપમેન્ટની પ્રક્રિયા તેમ જ તેમાં પડતી મુશ્કેલીઓની અને દસ્તાવેજને લઈને સરકાર નવું પેકેજ જાહેર કરે તેવી માંગણી કરાઈ હતી, રીડેવલોપમેન્ટ સ્કીમમાં મૂળ બાંધકામ કરતા 40 ટકા વધુ મહત્તમ બાંધકામની જોગવાઈ છે તેમાં ફેરફાર કરીને 40 ટકા વધુ લઘુત્તમ બાંધકામની જોગવાઈ કરવામાં આવે અને 75 ટકા નોટરાઇઝડ શરતી અરજી બદલે સરળ સંમતિ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા કરાય તેવી માંગણી કરવામાં આવી હતી.

ગુજરાત હાઉસિંગ વસાહત મંડળ દ્વારા બોલાવાયેલ આ મિટિંગમાં એકતા ફેસ્ટિવલ, આકાશગંગા એપાર્ટમેન્ટ, ગીતાંજલિ એપાર્ટમેન્ટ, શ્રીનગર, ઉત્સવ એપાર્ટમેન્ટ, આસોપાલવ એપાર્ટમેન્ટ, ગણેશ એપાર્ટમેન્ટ, શિવાલય એપાર્ટમેન્ટ, યોગેશ્વર એપાર્ટમેન્ટ, સત્યમ એપાર્ટમેન્ટ, સુર્યા, સરગમ એપાર્ટમેન્ટ તથા બીજી અનેક સોસાયટીના પ્રમુખ, સેક્રેટરી તથા રહીશોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ઉપસ્થિત સૌ સોસાયટીઓના પ્રમુખ-સેક્રેટરીઓ ઉપસ્થિત રહ્યા તે બદલ આભાર માન્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...