Thursday, March 5, 2026

અમદાવાદનો SP રિંગ રોડ બનશે 6 લેન, સાણંદને સેટેલાઈટ સિટી તરીકે વિકસાવાશે, જાણો સંપૂર્ણ પ્રોજેક્ટની વિગતો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધતી જઈ રહી છે અને તેમાંય સરદાર પટેલ રિંગ રોડ (એસપી રિંગ રોડ) પર ટ્રાફિકનું ભારણ સતત વધી રહ્યું છે, ત્યારે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA)એ એસપી રિંગ રોડને સિક્સલેનનો કરવાની યોજના બનાવી છે. ઔડાએ તેના વર્ષ 2025-26ના બજેટમાં 76 કિમીના એસપી રિંગ રોડને પહોળો કરવા માટે 300 કરોડ રૂપિયા ફાળવ્યા છે અને તેમાં પશ્ચિમમાં 39 કિમી અને પૂર્વમાં 37 કિમીનો વિસ્તાર આવરી લેવામાં આવશે. તેમજ ઔડાનો પ્લાન સાણંદને સેટેલાઈટ સિટી તરીકે વિકસાવવાનો પણ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઔડા દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં સરદાર પટેલ રિંગરોડને અપગ્રેડ કરવા પાછળ રૂ. 300 કરોડ ફાળવવામાં આવ્યા છે. રિંગરોડને સિક્સલેન કરવામાં આવશે. રિંગરોડ પર સર્વિસ રોડ સાથે મળીને કુલ 10 લેન બનશે, જેમાં એકસપ્રેસ વે મુજબ હોવાના કારણે અલગ લેન બનશે તેમજ નવો બનનારા 6 લેન રિંગરોડ પર હાલમાં ચૂકવવામાં આવતા ટોલ કરતાં દોઢ ગણો વધુ ટોલ ચૂકવવો પડી શકે છે.નાના-મધ્યમ વાહનો પાસેથી પણ ટોલ વસૂલ કરવા અંગે ઔડા દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. રિંગરોડને એકસપ્રેસ વેની જેમ બનાવવામાં આવશે, જેમાં ટુ- વ્હીલર, નાના-મધ્યમ વાહનો અને ભારે વાહનો અલગ-અલગ લેન પર ચાલશે.

ઔડા વિસ્તારમાં આવતા સાણંદ શહેરના વિકાસને ધ્યાનમાં રાખીને સેટેલાઇટ ટાઉનસિટી બનાવવામાં આવશે. ઔડા હસ્તકના સાણંદ ગ્રોથ સેન્ટરમાં આવેલી ટી.પી.સ્કીમ નં.1થી 10B સુધીની ટી.પી. સ્કીમોમાં ઔડા દ્વારા પાયાની સુવિધા તેમજ ઇન્ફાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવાનું આયોજન છે, જેમાં વિવિધ ટી.પી.સ્કીમોના રોડનાં કામો, ગાર્ડન અને લેક ડેવલપમેન્ટ (ગ્રીન ઈન્ફાસ્ટ્રક્ચર) તથા સોશિયલ ઈન્ફાસ્ટ્રક્ચર (લાઇબ્રેરી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સિવિક સેન્ટર, ઓડિટોરિયમ હોલ) જેવી સુવિધાનાં કામોનું આયોજન ઔડા દ્વારા હાથ ધરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...