Tuesday, October 14, 2025

નવા વાડજમાં વિશ્રામ પાર્કનું ટેન્ડર રદ થવાની તૈયારીમાં…!!? રિડેવલપમેન્ટમાં જાેડાવવું હોય તો છેલ્લો ચાન્સ…!!

Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં હાઉસીંગ બોર્ડની હાઉસીંગ કોલોનીઓમાં છેલ્લાં એકાદ-બે વર્ષાેથી થોડીક જાગૃતિ આવી હોય તેવું જણાઈ રહ્યું છે. અનેક સોસાયટીઓ રિડેવલપમેન્ટમાં જાેડાઈ રહી છે ત્યારે કેટલીક સોસાયટીઓમાં વર્ષાે જુના ટેન્ડરો હોવા છતાં નોટરાઈઝ સંમતિ અથવા એમઓયુ ન થતાં પ્રક્રિયા અટકેલ છે.જેથી આવી સોસાયટીઓ વિરુદ્ધ ટેન્ડર કેન્સલ કરવાની કાર્યવાહી થાય તેવી શક્યતાઓ જાેવાઈ રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, નવા વાડજ વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોર્ડના વિશ્રામ પાર્કમાં 2019નું ટેન્ડર રદ થાય તેવી શકયતાઓ જાેવાઈ રહી છે. ટેન્ડર બાદ એલઓએ આપ્યા બાદ સોસાયટીના હોદ્દેદારો વચ્ચે અનેક મિટીંગ થઈ હોવા છતાં નોટરાઈઝ સંમતિ થઈ શકી નથી, હાઉસિંગના સુત્રો મુજબ, ડેવલપર દ્વારા સોસાયટીને અત્યાર સુધી 15 થી વધુ માંગણી મુજબના અલગ અલગ પ્લાન રજુ કર્યા અને અનેક વાર મિટીંગ થઈ હોવા છતાં આગળની પ્રક્રિયા શરૂ ન થતાં ટેન્ડર રદ થાય તેવી શકયતાઓ વર્તાઈ રહી છે, પોલીસી મુજબ, ચોક્કસ નિર્ધારીત સમયમાં ટેન્ડર બાદ એમઓયુ અને ત્રિપક્ષીય કરાર પુરા કરવાના હોય છે, તેમ છતાં રિડેવલપેન્ટની પ્રક્રિયા અટકેલ છે.આ ઉપરાંત નારણપુરામાં 84 નિધી એપાર્ટમેન્ટમાં પણ આજ પરિસ્થિતિ હોવાનું મનાય છે.2019નું ટેન્ડર હોવા છતાં અત્યાર સુધી આગળની પ્રક્રિયા શરૂ થઈ શકી નથી.

તમને જણાવી દઈએ કે આ અગાઉ કોઈ મુમેન્ટ ન હોવાને કારણે નવા વાડજમાં આવેલ ઉત્સવ એપાર્ટમેન્ટનું ટેન્ડર રદ કરવામાં આવ્યું હતું, હવે ઉત્સવ એપાર્ટમેન્ટને રિડેવલપમેન્ટમાં જાેડાવવું હશે તો દરેક પ્રક્રિયા ફરીથી કરીને રિટેન્ડર કરાવવું પડશે.

હાલ ગુજરાત હાઉસિંગ બોર્ડની 42 સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે 17 સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા પૂર્ણ થવાના આરે છે અને ડિમોલીશનની કામગીરી શરૂ થશે.13 સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની નિયત પ્રક્રિયા પૂર્ણ થતાં જ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાશે. જ્યારે 11 સોસાયટીઓમાં ટેન્ડર બાદની પ્રક્રિયાઓ ચાલું છે.ત્યારે આવા વર્ષાે જુના ટેન્ડરો પણ રદ થવાની શકયતાઓ જાેવાઈ રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...