Saturday, February 7, 2026

અમદાવાદમાં ઇ-સિગારેટના કારોબારનો પર્દાફાશ, મુંબઇથી માલ લાવી વેચાણ કરતા ત્રણની SMCએ કરી ધરપકડ

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં કેટલીક વાર પ્રતિબંધિત ઈ–સિગારેટનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે ફરી એક રાજ્યમાંથી ઈ-સિગારેટનો જથ્થો ઝડપાયો છે. ગાંધી રોડ નજીક “અરિહંત ગિફ્ટ એન્ડ કી ચેઇન” શોપમાં સ્ટેટ મોનિટરિંગ સેલે (SMC) દરોડા પાડીને 489 ઈ-સિગારેટ વેપ જપ્ત કર્યા છે.જેની કિંમત 9 લાખ 11 હજાર રૂપિયા જેટલી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, ગાંધીરોડ પર આવેલા વલનદાની હવેલી ખાતે હરીઅંત ગીફ્ટ એન્ડ કીચન શોપમાં ઇ-સિગારેટનો જથ્થો પડ્યો છે. બાતમીના આધારે એસએમસીની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને માસ્ટરમાઇન્ટ મનોજ જુમરાજી (રહે, શીવશક્તિ નગર, ભાર્ગવરોડ, મેઘાણીનગર), ભરતજી દરબાર (રહે, મહેસાણા જિલ્લો, વીજાપુર) તેમજ રાકેશ લાખરા (રહે, શીવશક્તિ નગર, મેઘાણીનગર)ની ધરપકડ કરી હતી.

ઈ-સિગારેટના જથ્થા સાથે સ્ટેટ મોનિટરિંગ સેલે 3 આરોપીની ધરપકડ કરી છે. દુકાનમાં ઈ-સિગારેટનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. આરોપી મુંબઈથી ઈ સિગારેટનો જથ્થો મગાવ્યો હોવાનું સામે આવ્યું છે.ઈ સિગારેટ મોકલનારા અને મંગાવનારા સહિત 11 આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે. સ્ટેટ મોનિટરિંગ સેલે આ કેસની તપાસ કાલુપુર પોલીસને સોંપી છે.

મહત્તવનું છે કે ઈ–સિગારેટનો જથ્થો ઝડપાયો છે. ત્યારે ઈ–સિગારેટનો જથ્થો ગિફ્ટની દુકાનમાંથી ઝડપાયો છે. જો કે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને 489 ઈ-સિગારેટ જપ્ત કરવામાં આવી છે. તેમજ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...