Monday, February 16, 2026

અમદાવાદના પોશ વિસ્તારમાં ઉલટી ગંગા, સરકારી સ્કૂલમાં એડમિશન માટે વાલીઓનો ધસારો

spot_img
Share

અમદાવાદ : સામાન્ય રીતે ખાનગી સ્કૂલમાં વાલીઓ પોતાના બાળકોના એડમિશન લેવા માટે પડાપડી કરતા હોય છે. જરૂર પડે ડોનેશન કે મસમોટી ફી પણ આપતા હોય છે. પરંતુ અમદાવાદમાં હવે આ ચિત્ર બદલાયું છે. હવે અમદાવાદની સરકારી સ્કૂલોમાં એડમિશન માટેની લાઇનો પણ લાગી રહી છે અને કેટલીક સરકારી સ્કૂલો દ્વારા વેઇટિંગ લિસ્ટ પણ બહાર પાડવામાં આવી રહ્યું છે. જેનું તાજું ઉદાહરણ થલતેજ વિસ્તારમાં આવેલી સરકારી થલતેજ અનુપમ શાળા-2 એ પૂરું પાડ્યું છે. છેલ્લા દસ વર્ષમાં 55 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો હોવાના આંકડા સામે આવ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની શાળાઓમાં વાલીઓનો ધસારો એડમિશન માટે જોવા મળ્યો છે. થલતેજ વિસ્તારની અનુપમ શાળાની મુલાકાત લેતા વાલીઓનો એડમિશન માટે ઘસારો જોવા મળ્યો. વાલીઓએ જણાવ્યું કે ખાનગી શાળામાં જે ફી વસૂલવામાં આવે છે તેમજ ઇતર પ્રવૃત્તિઓના નામે પણ વસૂલવામાં આવે છે. આ ઉપરાંત બાળકોને શાળાએ મોકલવાનો ટ્રાન્સપોર્ટેશન ફી પણ લેવાતી હોય છે. આ બધા ફી ના ખર્ચાને સામે સ્કૂલ બોર્ડની સ્માર્ટ શાળાઓમાં કોઈપણ પ્રકારની ફી વગર ભણાવવામાં આવે છે. આ ઉપરાંત સ્માર્ટ સ્કૂલોમાં ખાનગી સ્કૂલો કરતા પણ આ સ્માર્ટ સ્કૂલોમાં સાયન્સ લેબ, મેથ્સ લેબ, કોમ્પ્યુટર લેબ ઊભી કરવામાં આવી છે. સાથે જ મધ્યાન ભોજન પણ આપવામાં આવે છે. આટલી સારી સુવિધા સરકારી શાળામાં હોય તો ખાનગી શાળામાં બાળકોને ના ભણાવવા જોઈએ.

આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાત ઝોનની અંદાજિત 25 થી વધુ સરકારી શાળાઓમાં જોવા મળી રહી છે. જેમાં ઘાટલોડિયા, સાબરમતી, થલતેજ, જોધપુર, એલિસબ્રિજ, નારણપુરા, અસારવા, બાપુનગર, નરોડા, અમરાઇવાડી, મણિનગર, વટવા, બહેરામપુરા, નિકોલ, વસ્ત્રાલ, દાણીલીમડા, દરિયાપુર, મોટેરા, ઠક્કરબાપાનગર વિસ્તારની સરકારી સ્કૂલોનો સમાવેશ થાય છે.

સ્કૂલ બોર્ડના શાસન અધિકારી લગધીર દેસાઈએ જણાવ્યું કે, સ્કૂલ બોર્ડ દ્વારા તૈયાર કરાયેલી અધ્યતન સ્માર્ટ સ્કૂલોના કારણે અને સુવિધાના કારણે શાળાઓમાં પ્રવેશ માટે ઘસારો વધી રહ્યો છે. પાછલા દસ વર્ષમાં 55 હજારથી પણ વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી સ્કૂલબોર્ડની શાળામાં પ્રવેશ લીધો છે. આ ઉપરાંત સ્કૂલ બોર્ડની શાળાઓમાં કોર્પોરેટર, ધારાસભ્ય અને સાંસદો દ્વારા પણ પત્ર લખીને એડમિશન આપવા ભલામણ આવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...