Friday, April 17, 2026

અમદાવાદના પોશ વિસ્તારમાં ઉલટી ગંગા, સરકારી સ્કૂલમાં એડમિશન માટે વાલીઓનો ધસારો

spot_img
Share

અમદાવાદ : સામાન્ય રીતે ખાનગી સ્કૂલમાં વાલીઓ પોતાના બાળકોના એડમિશન લેવા માટે પડાપડી કરતા હોય છે. જરૂર પડે ડોનેશન કે મસમોટી ફી પણ આપતા હોય છે. પરંતુ અમદાવાદમાં હવે આ ચિત્ર બદલાયું છે. હવે અમદાવાદની સરકારી સ્કૂલોમાં એડમિશન માટેની લાઇનો પણ લાગી રહી છે અને કેટલીક સરકારી સ્કૂલો દ્વારા વેઇટિંગ લિસ્ટ પણ બહાર પાડવામાં આવી રહ્યું છે. જેનું તાજું ઉદાહરણ થલતેજ વિસ્તારમાં આવેલી સરકારી થલતેજ અનુપમ શાળા-2 એ પૂરું પાડ્યું છે. છેલ્લા દસ વર્ષમાં 55 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો હોવાના આંકડા સામે આવ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની શાળાઓમાં વાલીઓનો ધસારો એડમિશન માટે જોવા મળ્યો છે. થલતેજ વિસ્તારની અનુપમ શાળાની મુલાકાત લેતા વાલીઓનો એડમિશન માટે ઘસારો જોવા મળ્યો. વાલીઓએ જણાવ્યું કે ખાનગી શાળામાં જે ફી વસૂલવામાં આવે છે તેમજ ઇતર પ્રવૃત્તિઓના નામે પણ વસૂલવામાં આવે છે. આ ઉપરાંત બાળકોને શાળાએ મોકલવાનો ટ્રાન્સપોર્ટેશન ફી પણ લેવાતી હોય છે. આ બધા ફી ના ખર્ચાને સામે સ્કૂલ બોર્ડની સ્માર્ટ શાળાઓમાં કોઈપણ પ્રકારની ફી વગર ભણાવવામાં આવે છે. આ ઉપરાંત સ્માર્ટ સ્કૂલોમાં ખાનગી સ્કૂલો કરતા પણ આ સ્માર્ટ સ્કૂલોમાં સાયન્સ લેબ, મેથ્સ લેબ, કોમ્પ્યુટર લેબ ઊભી કરવામાં આવી છે. સાથે જ મધ્યાન ભોજન પણ આપવામાં આવે છે. આટલી સારી સુવિધા સરકારી શાળામાં હોય તો ખાનગી શાળામાં બાળકોને ના ભણાવવા જોઈએ.

આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાત ઝોનની અંદાજિત 25 થી વધુ સરકારી શાળાઓમાં જોવા મળી રહી છે. જેમાં ઘાટલોડિયા, સાબરમતી, થલતેજ, જોધપુર, એલિસબ્રિજ, નારણપુરા, અસારવા, બાપુનગર, નરોડા, અમરાઇવાડી, મણિનગર, વટવા, બહેરામપુરા, નિકોલ, વસ્ત્રાલ, દાણીલીમડા, દરિયાપુર, મોટેરા, ઠક્કરબાપાનગર વિસ્તારની સરકારી સ્કૂલોનો સમાવેશ થાય છે.

સ્કૂલ બોર્ડના શાસન અધિકારી લગધીર દેસાઈએ જણાવ્યું કે, સ્કૂલ બોર્ડ દ્વારા તૈયાર કરાયેલી અધ્યતન સ્માર્ટ સ્કૂલોના કારણે અને સુવિધાના કારણે શાળાઓમાં પ્રવેશ માટે ઘસારો વધી રહ્યો છે. પાછલા દસ વર્ષમાં 55 હજારથી પણ વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી સ્કૂલબોર્ડની શાળામાં પ્રવેશ લીધો છે. આ ઉપરાંત સ્કૂલ બોર્ડની શાળાઓમાં કોર્પોરેટર, ધારાસભ્ય અને સાંસદો દ્વારા પણ પત્ર લખીને એડમિશન આપવા ભલામણ આવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...