Sunday, January 18, 2026

શું અમદાવાદમાં બે દિવસ વીજળી ગુલ થશે…? જાણો ટોરેન્ટ પાવરે શું સ્પષ્ટતા કરી ?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં લાઈટ જશે.. અમદાવાદમાં વીજળી ગુલ થશે… ભર ઉનાળે આવા સમાચારથી લોકો હાલ પરસેવે રેબઝેબ થઈ રહ્યાં છે. અમદાવાદમાં 2 અને 3 મેના રોજ લાઈટ જશે તેવી ટોરેન્ટ પાવરના સમાચાર વહેતા થતા ટોરેન્ટ પાવરને સ્પષ્ટતા કરવી પડી છે. અમદાવાદ ટોરેન્ટ પાવર લિમિટેડ દ્વારા જણાવવામા આવ્યું છે કે, 2 અને 3 મેના રોજ અમદાવાદમાં વીજળી ગુલ થવાનો દાવો ભ્રામક છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ ટોરેન્ટ પાવર લિમિટેડ દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક મેસેજને લઈ સ્પષ્ટ્રતા કરવામાં આવી છે જેમાં 2 અને 3 મેના રોજ અમદાવાદમાં વીજળી ગુલ થવાનો દાવાને ભ્રામક ગણાવવામાં આવ્યો હતો. ટોરેન્ટ કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે કોઈ પણ પ્રકારની વીજળી ગુલ થવાનું આયોજન નથી. નિયમિત જાળવણી માટે ચોક્કસ વિસ્તારમાં ફક્ત એક ટ્રાન્સફોર્મર બંધ કરવામાં આવશે.

ટોરેન્ટ પાવર દ્વારા મેસેજ કરીને સ્પષ્ટતા કરવામાં આવી છે. જેમાં દ્વારા જણાવાયું કે, અમદાવાદમાં કોઈ પણ પ્રકારની વીજળી ગુલ થવાનું ટોરેન્ટ પાવરનું આયોજન નથી. માત્ર નિયમિત જાળવણી માટે ચોક્કસ વિસ્તારમાં ફક્ત એક ટ્રાન્સફોર્મર બંધ કરવામાં આવશે. તે ટ્રાન્સફોર્મર દ્વારા વીજળી મેળવતા ગ્રાહકોને અસર પહોંચશે. આ કામગીરી લગભગ ત્રણ કલાક ચાલવાની ગણતરી છે અને કામ પૂર્ણ થયા પછી વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવશે.

2 મેના રોજ આ વિસ્તારોમાં ત્રણ કલાક વીજ પુરવઠો રહેશે વીજ પુરવઠો બંધ
બીબી તળાવ વટવા, નવકાર એમો પ્લાન્ટ-TR હામજા નગર-TR, બુદ્ધાન પાર્ક-TR-૧, અમન પ્લાઝા-CSS, વિસત રાઇચંદનગર-TR, મોટેરા સુર્ય શ્રીજ-TR-1, ઓઢવ ટર્મિનસ મારૂતિ એસ્ટેટ-PMT, રાયપુર ઝંકાર એપાર્ટ-TR, રાયપુર-TR-1, ઘાટલોડીયા શાયોના પુષ્પ રેસીડેન્સી-SS,શિવરંજની વિમા નગર-SS, રામદેવનગર દ્વારકેશ થલતેજ-CSS, હાટકેશ્વર ડેપો: રામ રથ-SS, લાંભા એનઆઈડીસી-SIS માં ત્રણ કલાક વીજળી નહીં હોય.

3 મે ના રોજ આ વિસ્તારોમાં ત્રણ કલાક વીજ પુરવઠો રહેશે વીજ પુરવઠો બંધ
ભૈરવનાથ થી મીરા સિનેમા રોડા દેવીશ્યામ કોમ્પલેક્ષ-TR, શ્રીજી ઇન્કા-PMT, ઢોર બજાર, -વાડજ કાવેરી એપાર્ટમેન્ટ-TR, રીલીફરોડ પત્થરકુવા: વિશાલ કોમ્પલેક્ષ (કોમ)-TR, સરદાર પટેલ સ્ટેડીયમ: CAT (સેન્ટ્રલ એડમીનીસ્ટ્રેટીવ ટ્રીબ્યુનલ)-SS, જીવરાજ પાર્કઃ શૈવાલી ટ્વીન્સ (મોનાપાર્ક જીવરાજપાર્ક)-SS માં ત્રણ કલાક વીજળી નહીં હોય.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...