Thursday, March 12, 2026

અમદાવાદમાં ધો.12 સાયન્સનું પરિણામ કથળ્યું, 19મા ક્રમેથી ધકેલાઈ 23મો ક્રમ, ઘટવા માટે આ કારણો જવાબદાર

spot_img
Share

અમદાવાદ : તાજેતરમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર થયુ છે. વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષ કરતા 1.0 ટકા વધુ જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતા 1.14 ટકા પરિણામ વધુ જાહેર થયું છે. જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં શહેરનું પરિણામ રાજ્યના અન્ય શહેરોની સરખામણીએ ગગડ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, 2025માં અમદાવાદ સમગ્ર રાજ્યમાં 23 ક્રમે રહ્યું છે, ગયા વર્ષે 19મો ક્રમ હતો. શહેરનું પરિણામ 81.45 ટકા, જ્યારે ગ્રામ્યનું પરિણામ 86.31 ટકા રહ્યું છે. ગયા વર્ષની સરખામણીએ શહેરના પરિણામમાં કોઇ સુધારો થયો નથી. પરંતુ અન્ય જિલ્લાનું પરિણામ સારું રહેતા અમદાવાદ રાજ્યમાં 23માં નંબરે રહ્યું છે. શહેર ડીઇઓ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ક્લાસનું આયોજન કરાયું હતું.

શહેર શિક્ષણધિકારી મુજબ, અમે પરિણામ જાળવવામાં સફળ રહ્યાં છીએ. શહેરી વિસ્તારોમાં ઘણા પડકારો હતા. તેમ છતાં અમે પરિણામ જાળવ્યું છે. દર વર્ષે વિદ્યાર્થીઓમાં ફેરફાર થવા સાથે પરિણામમાં ફેરફાર થાય છે. અમારા શિક્ષકોએ મહેનત કરી છે અને તેનું પરિણામ અમને મળ્યું છે.

ગત વર્ષે 55 વિદ્યાર્થીને આ વર્ષે માત્ર 35ને A1 ગ્રેડ મળ્યો

અમદાવાદ શહેર અમદાવાદ ગ્રામ્ય

2025 2024 તફાવત 2025 2024 તફાવત

એ1 35 55 -20 32 32 00
એ2 466 640 -174 351 441 -90
બી1 1074 1326 -252 810 961 -151
બી2 1335 1556 -221 1056 1218 -162
સી1 1361 1543 -182 969 1172 -203
સી2 1159 1164 -5 816 825 -9

સામાન્ય પ્રવાહમાં અમદાવાદ શહેરનું પરિણામ 89.21 ટકા, ગ્રામ્યમાં 90.95 ટકા પરિણામ જાહેર થયું છે. ગયા વર્ષે શહેરનું 87.60 અને ગ્રામ્યનું 89.39 ટકા રહ્યું હતું. ગયા વર્ષની સરખામણીએ વિદ્યાર્થીઓની સંખ્યા શહેરમાં નજીવી વધુ હોવા છતા એ1 ગ્રેડ લાવનારા વિદ્યાર્થીની સંખ્યામાં 112નો વધારો થયો છે. ગ્રામ્યમાં વિદ્યાર્થીની સંખ્યા ઘટી હોવા છતાં એ1 ગ્રેડ લાવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 40 વિદ્યાર્થીઓનો વધારો થયો છે.

પરિણામ ઘટવા માટે આ કારણો જવાબદાર

સ્પર્ધાત્મક પરીક્ષા પર વધુ ધ્યાન આપવાથી બોર્ડની પરીક્ષાનું પરિણામ ઘટ્યું
સ્પર્ધાત્મક પરીક્ષામાં એમસીક્યુનું પ્રમાણ વધારે હોવાથી જેને કારણે લખવાની ટેવ વિદ્યાર્થીને નથી હોતી.
ડમી સ્કૂલોની સમસ્યાને કારણે સ્કૂલો પર અસર થઇ
કોચિંગ સેન્ટરમાં શિક્ષકો સ્પર્ધાત્મક પરીક્ષા પર જ ધ્યાન આપે છે, જેની અસર થાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...