Saturday, January 24, 2026

અમદાવાદમાં આ કારણે હાઉસિંગ રીડેવલપમન્ટની રફતાર ધીમી પડી, આગેવાનો નારાજ…!!

spot_img
Share

અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ રીડેવલપમેન્ટ પોલીસીમાં ૨૦૧૬ પછી તાજેતરના છેલ્લાં કેટલાંક વર્ષાેમાં આવેલી પ્રગતિ બાદ છેલ્લાં એક વર્ષમાં રફતાર ધીમી પડી હોવાનો સોસાયટીઓના અગ્રણીઓ અને આગેવાનો જણાવી રહ્યાં છે, જેના માટે અનેક પરિબળો જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

જેમાં મુખ્યત્વે હાઉસિંગ પોલીસીની અમલવારીમાં અનેક ખામીઓ, હાઉસિંગ બોર્ડની કાર્યપધ્ધતિ, હાઉસિંગના અધિકારીઓનું મનસ્વી વર્તન, અનેક સોસાયટીઓમાં હાઉસિંગ બોર્ડ અને ડેવલપરોની સાંઠગાંઠ સહિતના અનેક મુદ્દાઓનો સમાવેશ થાય છે.

એક આગેવાનના મત મુજબ, હાઉસિંગ બોર્ડ માત્ર ટેન્ડર પાડવાનું કામ કરતી હોય તેવું જણાય છે, એક વાર ટેન્ડર પ્રકાશિત કર્યા બાદ ડેવલપરને એલઓએ (વર્ક ઓર્ડર) અપાઈ ગયા બાદ બોર્ડની કામગીરી નિરસ થતી હોવાનો આરોપ લગાવી રહ્યા છે, તેઓના જણાવ્યા મુજબ, બોર્ડ ટેન્ડર-ટેન્ડર શરતો અને નિયમોનો બદલાવ કરી રહ્યા છે, એક સોસાયટીને ઘી કેળા તો બીજાને ભૂસું, જેવી નીતિઓને કારણે હાઉસિંગ સોસાયટીઓના રહીશો પરેશાન થઈ રહ્યા છે.

આ સિવાય અનેક સોસાયટીઓમાં ઈવીકશન પ્રક્રિયા મંદગતિએ કરાતી હોવાનો આગેવાનો આરોપ લગાવી રહ્યા છે, અનેક સોસાયટીઓમાં કોર્ટ કેસો થઈ રહ્યા છે, જયાં હાઉસિંગ બોર્ડની ભૂમિકા શંકાસ્પદ હોવાનું ડેવલપર અને રહીશો જણાવી રહ્યાં છે, અનેક મુદતો વીત્યા બાદ પણ હાઉસિંગ બોર્ડના વકિલ દ્વારા કેસોને લટકાવી રાખવામાં આવે છે ત્યારે રહીશો મકાન વગર પીડાય છે ત્યારે ડેવલપર સોસાયટીનો કબજાે લીધા વગર ભાડુ ભરતો થઈ જાય છે.જેના કારણે રીડેવલપમેન્ટની પ્રક્રિયા ખોરંભે ચડે છે.

આ સિવાય એક જ રોડ પર અલગ અલગ સોસાયટીઓમાં નેગેટીવ પ્રિમિયમ અને પોઝીટીવ પ્રિમિયમ વચ્ચેના મોટા ખેલ વચ્ચે સામાન્ય રહીશો પીસાઈ રહ્યાં છે, અનેક સોસાયટીઓમાં ગીફટ મની, ફર્નીચર તરીકે મની અથવા સોનાની લગડી અપાઈ રહ્યા છે તો કયાંક ડેવલપરો દ્વારા બિલકુલ હાથ અધ્ધર કરી દેવામાં આવે છે, જેના કારણે એક જ રોડ પર આવેલી સોસાયટીઓમાં રહીશોમાં મતભેડ સર્જાય છે, આખરે સોસાયટીનું રીડેવલપમેન્ટનું કામ ખોરંભે ચડે છે.

અનેક સોસાયટીઓમાં ટેન્ડર પડયા પછી એલઓએ અપાયા બાદ કોઈ મુવમેન્ટ નથી, નાના મકાનોની સામે લોકો મોટુ બાંધકામ વાળું મકાન માંગી રહ્યા છે, ત્યારે ડેવલપર અને રહીશો વચ્ચે બ્રીજ બની બોર્ડ દ્વારા કોઈ વાટાઘાટો કરાતી નહી હોવાનો આરોપ લોકો લગાવી રહ્યા છે, આ સિવાય અનેક સોસાયટીઓમાં મોટા મોટા ગેરકાયદે મકાન તાણી બાંધેલા લોકો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે, ત્યારે બોર્ડ દ્વારા આવી સોસાયટીમાં કોઈ નક્કર કામગીરી કર્યા સિવાય રીડેવલપમેન્ટની કામગીરી ફક્ત ડેવલપર અને રહીશો પર ઢોળી દેવામાં આવે છે.

આમ આવા અનેક મુદ્દાઓ, પોલીસીની ખામીઓ, અમલીકરણ અને હાઉસિંગ બોર્ડની રીતિનીતિઓને કારણએ માંડ પાટે ચડેલ રીડેવલપમેન્ટની ટ્રેન ફરી ટ્રેક પરથી ઉતરી જાય તો નવાઈ નહિ…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...