Friday, November 28, 2025

અમદાવાદમાં આ કારણે હાઉસિંગ રીડેવલપમન્ટની રફતાર ધીમી પડી, આગેવાનો નારાજ…!!

spot_img
Share

અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ રીડેવલપમેન્ટ પોલીસીમાં ૨૦૧૬ પછી તાજેતરના છેલ્લાં કેટલાંક વર્ષાેમાં આવેલી પ્રગતિ બાદ છેલ્લાં એક વર્ષમાં રફતાર ધીમી પડી હોવાનો સોસાયટીઓના અગ્રણીઓ અને આગેવાનો જણાવી રહ્યાં છે, જેના માટે અનેક પરિબળો જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

જેમાં મુખ્યત્વે હાઉસિંગ પોલીસીની અમલવારીમાં અનેક ખામીઓ, હાઉસિંગ બોર્ડની કાર્યપધ્ધતિ, હાઉસિંગના અધિકારીઓનું મનસ્વી વર્તન, અનેક સોસાયટીઓમાં હાઉસિંગ બોર્ડ અને ડેવલપરોની સાંઠગાંઠ સહિતના અનેક મુદ્દાઓનો સમાવેશ થાય છે.

એક આગેવાનના મત મુજબ, હાઉસિંગ બોર્ડ માત્ર ટેન્ડર પાડવાનું કામ કરતી હોય તેવું જણાય છે, એક વાર ટેન્ડર પ્રકાશિત કર્યા બાદ ડેવલપરને એલઓએ (વર્ક ઓર્ડર) અપાઈ ગયા બાદ બોર્ડની કામગીરી નિરસ થતી હોવાનો આરોપ લગાવી રહ્યા છે, તેઓના જણાવ્યા મુજબ, બોર્ડ ટેન્ડર-ટેન્ડર શરતો અને નિયમોનો બદલાવ કરી રહ્યા છે, એક સોસાયટીને ઘી કેળા તો બીજાને ભૂસું, જેવી નીતિઓને કારણે હાઉસિંગ સોસાયટીઓના રહીશો પરેશાન થઈ રહ્યા છે.

આ સિવાય અનેક સોસાયટીઓમાં ઈવીકશન પ્રક્રિયા મંદગતિએ કરાતી હોવાનો આગેવાનો આરોપ લગાવી રહ્યા છે, અનેક સોસાયટીઓમાં કોર્ટ કેસો થઈ રહ્યા છે, જયાં હાઉસિંગ બોર્ડની ભૂમિકા શંકાસ્પદ હોવાનું ડેવલપર અને રહીશો જણાવી રહ્યાં છે, અનેક મુદતો વીત્યા બાદ પણ હાઉસિંગ બોર્ડના વકિલ દ્વારા કેસોને લટકાવી રાખવામાં આવે છે ત્યારે રહીશો મકાન વગર પીડાય છે ત્યારે ડેવલપર સોસાયટીનો કબજાે લીધા વગર ભાડુ ભરતો થઈ જાય છે.જેના કારણે રીડેવલપમેન્ટની પ્રક્રિયા ખોરંભે ચડે છે.

આ સિવાય એક જ રોડ પર અલગ અલગ સોસાયટીઓમાં નેગેટીવ પ્રિમિયમ અને પોઝીટીવ પ્રિમિયમ વચ્ચેના મોટા ખેલ વચ્ચે સામાન્ય રહીશો પીસાઈ રહ્યાં છે, અનેક સોસાયટીઓમાં ગીફટ મની, ફર્નીચર તરીકે મની અથવા સોનાની લગડી અપાઈ રહ્યા છે તો કયાંક ડેવલપરો દ્વારા બિલકુલ હાથ અધ્ધર કરી દેવામાં આવે છે, જેના કારણે એક જ રોડ પર આવેલી સોસાયટીઓમાં રહીશોમાં મતભેડ સર્જાય છે, આખરે સોસાયટીનું રીડેવલપમેન્ટનું કામ ખોરંભે ચડે છે.

અનેક સોસાયટીઓમાં ટેન્ડર પડયા પછી એલઓએ અપાયા બાદ કોઈ મુવમેન્ટ નથી, નાના મકાનોની સામે લોકો મોટુ બાંધકામ વાળું મકાન માંગી રહ્યા છે, ત્યારે ડેવલપર અને રહીશો વચ્ચે બ્રીજ બની બોર્ડ દ્વારા કોઈ વાટાઘાટો કરાતી નહી હોવાનો આરોપ લોકો લગાવી રહ્યા છે, આ સિવાય અનેક સોસાયટીઓમાં મોટા મોટા ગેરકાયદે મકાન તાણી બાંધેલા લોકો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે, ત્યારે બોર્ડ દ્વારા આવી સોસાયટીમાં કોઈ નક્કર કામગીરી કર્યા સિવાય રીડેવલપમેન્ટની કામગીરી ફક્ત ડેવલપર અને રહીશો પર ઢોળી દેવામાં આવે છે.

આમ આવા અનેક મુદ્દાઓ, પોલીસીની ખામીઓ, અમલીકરણ અને હાઉસિંગ બોર્ડની રીતિનીતિઓને કારણએ માંડ પાટે ચડેલ રીડેવલપમેન્ટની ટ્રેન ફરી ટ્રેક પરથી ઉતરી જાય તો નવાઈ નહિ…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...