Thursday, March 5, 2026

અમદાવાદ મેટ્રોને IPL ફળી, માત્ર 9 જ દિવસમાં થઈ આટલા કરોડની આવક, 15 લાખથી વધુ લોકોની મુસાફરી

spot_img
Share

અમદાવાદઃ અમદાવાદથી ગાંધીનગરને જોડતી મેટ્રોની સુવિધા પ્રમાણમાં ઓછી ઉપયોગમાં લેવામાં છે, પરંતુ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાતી ક્રિકેટ મેચ સમયે લોકોની પહેલી પસંદ મેટ્રો બની જાય છે. ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને લીધે લોકો સ્ટેડિયમ સુધી જવા માટે મેટ્રોની મુસાફરી પસંદ કરે છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં IPL ની 9 મેચ દરમિયાન મેટ્રોમાં 15 લાખથી વધુ લોકોએ મુસાફરી કરી છે. એટલું જ નહીં અમદાવાદ મેટ્રોને માત્ર 9 દિવસમાં 2 કરોડથી વધુની આવક પણ થઈ છે.IPL ની 9 મેચ દરિમયાન મેટ્રોની સફરના વિગતવાર આંકડાઓની વાત કરીએ તો 25 માર્ચના રોજ 1,59,923 લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને 21.74 લાખની આવક થઈ હતી. ત્યારબાદ 29 માર્ચના રોજ 1,83,618 લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને 30.90 લાખની આવક થઈ હતી.

9 એપ્રિલના રોજ 1,72,248 લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને 24.15 લાખની આવક થઈ હતી. 19 એપ્રિલના રોજ 1,65,551 લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને 19.43 લાખની આવક થઈ હતી. 2 મેના રોજ 1,97,388 લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને 29.30 લાખની આવક થઈ હતી. તેવી જ રીતે 22 મેના રોજ 1,21,475 લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને 17.51 લાખની આવક થઈ હતી. 25 મેના રોજ 1,48,192 લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને 18.09 લાખની આવક થઈ હતી.

1 જૂનના રોજ 1,45,654 લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને 22.31 લાખની આવક થઈ હતી.3 જૂન આઈપીએલની ફાઇનલ મેચ દરમિયાન 2,13,336 લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને 32.12 લાખની આવક થઈ હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...