Sunday, January 18, 2026

પ્રહલાદનગરનું મેકડોનાલ્ડ આઉટલેટ આ કારણે AMC ફૂડ હેલ્થ વિભાગે સીલ કર્યું

spot_img
Share

અમદાવાદ : ગુજરાતીઓ ખાણીપીણીના ભારે શોખીન હોય છે. પરંતુ કેટલીક વખત ખાણીપીણીનો વ્યવસાય કરનારાઓની બેદરકારીને કારણે લોકોના જીવ જોખમમાં મુકાય છે. જેને પગલે અવાર નવાર તંત્ર દ્વારા ઠેક ઠેકાણે રેડ પાડીને તપાસ હાથ ધરવામાં આવતી હોય છે. એવામાં હવે અમદાવાદના પ્રહલાદનગર રોડ પર સ્થિત મેકડોનલ્ડ્સને સીલ મારવાનો વારો આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMCના ફૂડ હેલ્થ વિભાગે ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપોની પુષ્ટિ થતાં આઉટલેટને સીલ કરવાનો નિર્ણય લેવાયો. આ ઘટનાએ ખાસ કરીને શાકાહારી ગ્રાહકોમાં રોષ ફેલાવ્યો છે, કારણ કે સમગ્ર ગુજરાતમાં શાકાહારી ખોરાકની સુરક્ષા અને શુદ્ધતા પર ભાર મૂકવામાં આવે છે.ગ્રાહકની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં જણાવાયું હતું કે નોન-વેજ કિચનમાં બનતી વસ્તુઓ વેજ કિચન વિભાગમાં વપરાતી હતી.

AMC અધિકારી મુજબ, ફૂડ સેફ્ટી નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ સંસ્થા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ આઉટલેટ સીલ રહેશે અને આગળની તપાસ પૂર્ણ થયા બાદ જરૂરી પગલાં લેવામાં આવશે. આ ઘટનાએ ફૂડ આઉટલેટ્સમાં હાઈજીન અને નિયમોનું પાલન કરવાની મહત્ત્વતા ફરી એકવાર રજૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...