Wednesday, January 14, 2026

AMCની સ્કૂલમાં પ્રજ્ઞાચક્ષુ સંગીતના શિક્ષકે 13 વર્ષની વિદ્યાર્થિની સાથે કર્યા શારીરિક અડપલાં, સસ્પેન્ડ કરાયો

spot_img
Share

અમદાવાદ: સામાન્ય રીતે શિક્ષકનું કામ સંસ્કારોનું સિંચન કરીને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની રાહ બતાવવાનું હોય છે. પરંતુ વર્તમાન સમયમાં કેટલાક લંપટ શિક્ષકો વિદ્યાર્થીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાના બદલે જીવન બરબાદ કરી નાખતી હરકતો કરતા હોય છે. શહેરના જમાલપુર વિસ્તારમાં પણ આવો જ એક બનાવ બન્યો છે. જમાલપુરમાં આવેલ એક શાળામાં સંગીતના પ્રજ્ઞાચક્ષુ શિક્ષકે 13 વર્ષીય વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા છે. જે અંગેની જાણ વિદ્યાર્થિનીએ તેના માતાને કરતા શિક્ષકની કાળી કરતૂતોનો પર્દાફાશ થયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદની જમાલપુરમાં આવેલી AMCની સ્કૂલમાં 13 વર્ષની બાળકી અભ્યાસ કરે છે. બાળકી જ્યારે સ્કૂલમાં જતી હતી ત્યારે સંગીતનો શિક્ષક રણછોડ રબારી અવારનવાર બાળકીને રિસેસમાં બોલાવતો હતો. રિસેસમાં બાળકીને એકાંતમાં બોલાવીને હાથ પકડી ક્લાસરૂમમાં લઈ જતો હતો. રણછોડ રબારી બાળકીને ખોળામાં બેસાડીને શારીરિક અડપલા કરતો હતો.

બાળકી ઘરે જઈને સૂનમૂન બેસી રહેતા તેની માતાએ તેને પૂછ્યું હતું. ત્યારે બાળકીએ શિક્ષક રણછોડ રબારીની કરતૂત અંગે તેની માતાને જણાવ્યું હતું કે રણછોડ રબારી માત્ર તેની સાથે જ નહીં અન્ય બાળકીઓ સાથે પણ આ હરકત કરતો હતો. આ બાબતે કોઈને જાણ કરીશ તો મારી નાખીશ તેવી ધમકી પણ આપતો હતો. આ અંગે બાળકીની માતાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

અમદાવાદ સ્કૂલ બોર્ડના શાસનાધિકારી એલ. ડી દેસાઈએ જણાવ્યું હતું કે શિક્ષકની સામે થયેલી ફરિયાદ અંગે જાણ થઈ છે જે મામલે પોલીસ તપાસ કરી રહી છે. અમને બનાવની જાણ થતા શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...