Wednesday, January 21, 2026

અમદાવાદ ગ્રામ્ય DEOની લાલ આંખ, 11 ટ્યુશનિયા શિક્ષકોને કર્યા ઘર ભેગા

spot_img
Share

અમદાવાદમાં શાળામાં નોકરીની સાથે ખાનગી ટ્યુશન કરાવતા ટ્યુશનિયા શિક્ષકો સામે અમદાવાદ શહેર DEOએ લાલ આંખ કરી છે. શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને ટ્યુશન કરતા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય DEOએ 11 ટ્યુશનિયા શિક્ષકોને ઘર ભેગા કર્યા છે. આમ અત્યાર સુધીમાં અમદાવાદ ગ્રામ્યના શિક્ષકોને ટ્યુશન કરવા બદલ છૂટા કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ફેડરેશન ઓફ એકેડેમિક એજ્યુકેશન દ્વારા થોડા દિવસ અગાઉ અમદાવાદની કેટલીક સ્કૂલોના શિક્ષકો દ્વારા ખાનગી કોચિંગ ક્લાસ ચલાવવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં શિક્ષકો વિદ્યાર્થીઓને દબાણ કરીને પોતાના ટ્યુશન ચલાવે છે તેમાં બોલાવતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એસોસિએશન દ્વારા સ્કૂલ અને શિક્ષકના નામ સાથેની DEO કચેરીએ ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ મળતા DEO કચેરી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

અમદાવાદ ગ્રામ્ય DEO કચેરી દ્વારા અલગ અલગ ટીમ બનાવીને તપાસ કરવામાં આવી રહી હતી. જે શિક્ષકો ટ્યુશન ક્લાસ ચલાવતા હતા તે સ્કૂલમાં જઈને પણ તપાસ કરવામાં આવી હતી. જેમાંથી કેટલીક સ્કૂલોને નોટિસ આપીને જાણ કરવામાં આવી હતી. DEOએ સ્કૂલને જાણ કરતા સ્કૂલના સંચાલકો દ્વારા તાત્કાલિક 11 જેટલા શિક્ષકોને છૂટા કરવામાં આવ્યા છે.કે આર રાવલ હાઇસ્કુલ, એસ એસ ડિવાઇન હાઇસ્કુલના શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. તિરુપતિ સ્કૂલ, અંબિકા સ્કૂલ, મંગલદીપ સ્કૂલના શિક્ષકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આજના સમયમાં શિક્ષણ પડકારરૂપ છે, કારણ કે રાષ્ટ્રની સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક સ્વાસ્થયની જવાબદારી શિક્ષકની છે ત્યારે રાજ્યમાં અમક શિક્ષકો જે શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને ટ્યુશન કરતા શિક્ષકોનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં અમુક શિક્ષકો સરકારી શાળામાં ઓછું ધ્યાન આપીને પોતાના ટ્યુશનમા બોલાવીને સારુ જ્ઞાન આપ્યા હોવાના અનેક વિવાદિત ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે અમદાવાદમાં શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને ટ્યુશન કરતા શિક્ષકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...