Thursday, January 15, 2026

અમૂલે દહીં, છાશ, લસ્સી સહિતની પ્રોડક્ટ્સમાં કર્યો ભાવવધારો, જાણો કઈ વસ્તુ પર કેટલો ભાવ વધારો

spot_img
Share

અમદાવાદ : આજથી સમગ્ર દેશમાં પ્રી-પેક્ડ અને લેબલવાળી ખાદ્ય વસ્તુઓ પર 5 ટકા GSTનો અમલ શરૂ થઈ ગયો છે, જેના કારણે હવે અનેક પ્રોડક્ટસમાં ભાવવધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે જ તેની સૌથી પ્રથમ શરૂઆત અમુલ દ્વારા કરી દેવામાં આવી છે. અમુલ દ્વારા પોતાની દહી, છાશ, લસ્સી સહિતની પ્રોડક્ટ્સની કિંમતોમાં વધારો ઝીંકો દીધો છે. નવો ભાવવધારો આવતીકાલથી જ લાગુ કરી દેવામાં આવશે. અમૂલ દ્વારા મસ્તી દહીં 400 ગ્રામના પેકમાં 2 રુપિયાનો વધારો કરાયો છે, જ્યારે મસ્તી દહીં એક કિલો પાઉચમાં 4 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

મસ્તી દહીં એક કિલો પાઉચમાં 4 રૂપિયાનો વધારો

મસ્તી દહીં 200 ગ્રામ કપમાં 1રૂપિયાનો વધારો

મસ્તી દહીં 400 ગ્રામ કપમાં 2 રૂપિયાનો વધારો

છાસ 500 મિલી પાઉચમાં 1 રૂપિયાનો વધારો

છાસ 170 મિલી પાઉચમાં 1રૂપિયાનો વધારો

અમુલ લસ્સી 170 ગ્રામ પાઉચમાં 1રૂપિયાનો વધારો

અમૂલની વિવિધ પ્રોડક્ટ પર થયેલો ભાવ વધારો આવતી કાલથી લાગુ થશે. અને નવી કિંમતો અનુસાર ગ્રાહકોએ અમુલના મસ્તી દહીં, છાસ અને લસ્સી પર ચૂકવવાના રહેશે. જોકે આ ભાવ વધારાના પગલા જનતાને પેટ્રોલ, ડીઝલ બાદ વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...