Saturday, January 17, 2026

સુભાષ બ્રિજ પાસે AC ઓફિસમાં ચાલતું જુગારધામ ઝડપાયું, 18 આરોપીઓની કરાઈ ધરપકડ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં શ્રાવણ મહિનાની શરૂઆત થતા જ જુગારીઓ સક્રિય થયા છે, ત્યારે પોલીસે પણ તેમની સામે કમર કસી છે. શહેરના સુભાષબ્રિજ વિસ્તારમાં ચાલતા જુગાર ધામ પર PCBએ મોટો દરોડો પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન 18 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, અને 4.75 લાખ રોકડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, PCBની ટીમને બાતમી મળી હતી કે, સુભાષબ્રિજ સર્કલ પાસેના ઘનશ્યામ ચેમ્બર્સમાં બેઝમેન્ટમાં આવેલી એક ઓફિસમાં જુગારધામ ચાલી રહ્યો છે. બાતમીના આધારે PCBની ટીમે ઘનશ્યામ ચેમ્બરના બેઝમેન્ટમાં દરોડા પાડ્યા હતા, જ્યાં કેટલાક લોકો શ્રાવણીયો જુગાર રમતા ઝડપાયા હતા. કસીનો હોય તેવી રીતે જુગારનો અડ્ડો ધમધમાતો હતો. PCBએ રેડ દરમિયાન 4.75 લાખ રોકડ, 1.52 લાખ રૂપિયાના 17 મોબાઇલ, 6.70 લાખ રૂપિયાની કિંમતની કાર અને બાઇક જપ્ત કર્યા છે.

જુગારધામ ધર્મેન્દ્ર ઉર્ફે મુન્નો ચાલવતો હતો. ઘનશ્યામ ચેમ્બર્સના બેઝમેન્ટમાં તેની ઓફિસ છે જ્યાં તેણે શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે શ્રાવણીયો જુગાર રમાડવાનું શરૂ કર્યુ હતું. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ધર્મેન્દ્ર તમામ ખેલીઓ પાસેથી એક કલાક પ્રમાણે ચાર્જ વસુલ કરતો હતો. ACમાં બેસીને જુગારીઓ બીન્દાસ થઇને જુગાર રમતા હતા ત્યારે PCBએ સપાટો બોલાવ્યો હતો. PCBએ 18 જુગારીઓની ધરપકડ કરીને રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

આ કાર્યવાહી દરમિયાન એક ચોંકાવનારી હકીકત સામે આવી છે કે પકડાયેલા ઘણા આરોપીઓ અગાઉ પણ જુગાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા રહી ચૂક્યા છે. પોલીસ સૂત્રો અનુસાર, આ આરોપીઓ નિયમિતપણે આવા ગેરકાયદેસર કૃત્યોમાં સામેલ હોવાનું જણાયું છે. PCBએ આરોપીઓના ગુનાહિત રેકોર્ડની તપાસ શરૂ કરી છે અને આ નેટવર્કના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

જુગાર રમતા પકડાયેલ આરોપીઓ…
ધર્મેંદ્ર ઉર્ફે મુન્નાભાઇ કોષ્ટી, જુગારનો અડ્ડો ચલાવનાર
અમરસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણ
હિતેષ કિરણભાઇ પટેલ
કિરણસિંહ લક્ષ્મસિંહ વાધેલા
નરેંદ્રકુમાર ચિમનલાલ પટેલ
વિજયજી રામાજી રાઠોડ
રક્ષીત પ્રહલાદભાઇ પટેલ
સંદિપ કુલદીપભાઇ ચૌધરી
જીતેંદ્ર ધીરજલાલ વોરા
ધાર્મીક કનુભાઇ પટેલ
કરશનભાઇ કાળીદાસ ઠાકોર
દર્શીત રમણીકલાલ પંચાલ
વિનોદ અરવિંદભાઇ પટેલ
વિપુલ અમરતલાલ શાહ
ભોગીલાલ ડાહ્યાભાઇ પટેલ
રૂપા ભુરાજી પટેલ
વિષ્ણુભાઇ હરીભાઇ પટેલ
ભરતભાઇ રામદાસ પટેલ

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...