Saturday, November 8, 2025

નારણપુરામાં હાઉસિંગ રિડેવલોપમેન્ટને લઈને રહીશોના દેખાવો અને સૂત્રોચ્ચાર : અનેક રહીશોને ડીટેઇન કરાયા

spot_img
Share

અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલ રિડેવલપમેન્ટ માર્ગદર્શિકા-૨૦૧૬ માં સુધારા સહિતની માંગણીઓને લઈને હાઉસિંગ એપાર્ટમેન્ટ રિડેવલોપમેન્ટ ફેડરેશન દ્વારા નારણપુરા વિસ્તારમાં હાઉસિંગના અસંખ્ય રહીશોએ બ્લેક એન્ડ વાઈટના ડ્રેસ કોડ સાથે એકઠા થઇ સુરમ્ય એપાર્ટમેન્ટ પાસે હાથમાં બેનરો લઇ હાઉસીંગ કમિશ્નર વિરુદ્ધ સુત્ર્રોચ્ચાર કરી રેલી સ્વરૂપે હાઉસીંગ કમિશ્નરને આવેદન પત્ર આપવા જતા પહેલા જ પોલીસે અનેક લોકોને ડીટેઇન કર્યા હતા.ડીટેઇન કર્યા બાદ શાહીબાગ પોલીસ હેડક્વાટર ખાતે લઇ ગઈ મુક્ત કર્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

શહેરના નારણપુરા સહીતના હાઉસિંગમાં રેડેવલોપમેન્ટને લઈને અનેક રજૂઆતોનો કોઈ સકારાત્મક જવાબ ન આવતા હાઉસિંગ એપાર્ટમેન્ટ રિડેવલોપમેન્ટ ફેડરેશન દ્વારા નારણપુરામાં આજે બપોરે મોટી સંખ્યામાં રહીશો રેલી જોડાવવા માટે રોડ પર ઉતરી આવ્યા હતા. નારણપુરામાં આવેલ સુરમ્ય એપાર્ટમેન્ટ ખાતે મોટી સંખ્યામાં રહીશો હાથમાં બેનરો લઇ રેલી સ્વરૂપે હાઉસીંગ કમિશ્નરને આવેદન પત્ર આપવા જાય તે પહેલા જ પોલીસે ડીટેઇન કરી લીધા હતા. ડીટેઇન કર્યા બાદ પોલીસ હેડક્વાટર ખાતે લઇ ગયા બાદ મુક્ત કર્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

આ અગાઉ રાજ્ય સરકારે ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની જૂની યોજનાઓમાં આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત ૧૩ જુલાઇ ૨૦૨૨ થી ૯૦ દિવસ માટે ૧૦૦ ટકા પેનલ્ટી માફી આપવાનો જનહિતલક્ષી નિર્ણય કર્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...

ગુજરાતના નવા મંત્રીઓની યાદી આવી સામે, 26 ધારાસભ્યોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન, જુઓ આ રહી યાદી ?

ગાંધીનગર : આજે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટનું ગઠન થઇ ગયું છે. જુના મંત્રીઓમાંથી મોટા ભાગના લોકોને પડતા મૂકી અને હવે નવા ચહેરાઓને...