Saturday, January 17, 2026

ટ્રાફિક કે રોંગ સાઈડ ડ્રાઇવિંગ સહિતના ટ્રાફિક નિયમોનો ભંગ થશે તો સ્થાનિક PI જવાબદાર, જાણો કોણે કહ્યું ?

spot_img
Share

અમદાવાદ: ટ્રાફિક, પાર્કિંગ અને રોંગ સાઈડ મુદ્દે કોર્ટમાં થયેલી સુનાવણીના પગલે કોર્ટે હુકમ કર્યો છે. કોર્ટે અગાઉ કરેલા હુકમનું અક્ષરસઃ પાલન કરવા સરકાર અને કોર્પોરેશનને આદેશ કરવામાં આવ્યો છે. કોર્ટના હુકમના તિરસ્કારની અરજીની સુનાવણી આવે ત્યારે જ પ્રશાસન જાગે તે યોગ્ય ન હોવાનું હાઈકોર્ટે નોંધ્યું હતું. હવેથી ટ્રાફિક કે રોંગ સાઈડ ડ્રાઇવિંગ સહિતના નિયમનો ભંગ થશે તો સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર જવાબદાર રહેશે. તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર સામે પણ કાર્યવાહી થશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજની સુનવણીમાં રોંગ સાઇડ ડ્રાઇવિંગ, રસ્તા પર ગેરકાયદેસર પાર્કિંગ અને ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવા કોર્ટે આદેશ કર્યો છે. અમદાવાદના અમુક રસ્તાઓ પર જ નહીં, તમામ રસ્તાઓ પર કાર્યવાહી કરવા કોર્ટે આદેશ કર્યો છે. હાઇકોર્ટે કહ્યું કે 70 હુકમ બાદ પણ પ્રશાસન નીંભરતા દેખાડે એ ચલાવી લેવાશે નહીં.હાઇકોર્ટે કહ્યું કે, શહેર અને રાજ્યના કલ્યાણ માટે જરૂરી પગલાં લેવા તે પ્રશાસનની જવાબદારી છે.

બિસમાર રોડ રસ્તા, રખડતા ઢોર અને ટ્રાફિક મુદ્દે થયેલી સુનવણીમાં આજે મહત્ત્વનો હુકમ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. આ સુનવણી દરમિયાન ખાસ હુકમ એ કરવામાં આવ્યો છે કે, હવે પછી ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતાં લોકો જણાશે તો તેના માટે જવાબદાર સ્થાનિક પોલીસ ઈન્સ્પેક્ટર રહેશે. જે તે ટ્રાફિક વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનો સખત આદેશ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...