Monday, October 13, 2025

નારણપુરામાં સોસાયટીના રિડેવલપમેન્ટ માટે બિલ્ડરોમાં પડાપડી…!!

Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં એકતરફ નવા ફલેટના બુકિંગ મળતું નથી, બીજી તરફ શહેરના નારણપુરા વિસ્તારમાં અનેક નાની મોટી ખાનગી અને હાઉસિંગની સોસાયટીઓમાં રિડેવલપમેન્ટ માટે બિલ્ડર્સમાં તીવ્ર સ્પર્ધા જાેવા મળી રહી છે, અને તેમાં પણ ખાસ કરીને 132 ફુટ રીંગ રોડ અને અંકુર વિસ્તાર જેવા પ્રાઈમ વિસ્તારોમાં આવેલી સોસાયટીઓ માટે તો આ સ્પર્ધા વધારે તીવ્ર બની રહી છે. બિલ્ડરો પોતાના ખર્ચે સોસાયટીના સભ્યો સાથે મીટિંગ યોજે છે. આવી જ એક મીટિંગ તાજેતરમાં યોજાવાની છે જેમાં સોસાયટીના સભ્યોને આકર્ષવા માટે ત્રણ બિલ્ડર્સ પોતાની ઓફર્સ રજૂ કરવાના હોવાનું ચર્ચા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, હાલમાં અમદાવાદ શહેરમાં અન્ય વિસ્તારોની સરખામણીમાં રિડેવલપમેન્ટનો ક્રેઝ એક અલગ જ લેવલે પહોંચી ગયો છે, નારણપુરામાં હાઉસિંગ બોર્ડના અનેક ફલેટોમાં રિડેવલપમેન્ટ અન્ય વિસ્તારોની સરખાણી કરતા વધુ તેજીથી ચાલી રહ્યું છે, તેવી જ રીતે પ્રાઈવેટ સોસાયટીઓમાં રિડેવલપમેન્ટના અનેક પ્રોજેકટ ચાલી રહ્યાં છે, જયારે અનેક સોસાયટીઓના રિડેવલપેન્ટના પ્રોજેકટ અંતિમ તબક્કામાં હોવાનું જાણવા મળ્યું છે.

હાઉસિંગ એપાર્ટમેન્ટ રિડેવલપમેન્ટ ફેડરેશનના સભ્ય સંદિપ ત્રિવેદીના જણાવ્યા મુજબ, નારણપુરામાં હાઉસિંગ બોર્ડની સોસાયટી મોટી સંખ્યામાં હોવાને કારણે રિડેવલપમેન્ટ માટે બિલ્ડર્સમાં તીવ્ર સ્પર્ધા જાેવા મળી રહી છે, અને તેમાં પણ ખાસ કરીને 132 ફુટ રીંગ રોડ પર આવેલ સોસાયટીઓ રિડેવલપેન્ટમાં જાેડાઈ રહી છે, સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ફક્ત નારણપુરામાં હાઉસિંગ બોર્ડની 8 થી વધુ સોસાયટીઓમાં કન્સ્ટ્રકશન લેવલે, 5 થી વધુ ડીમોલીશન લેવલે, જયારે ટેન્ડર થઈ ગયા હોય તેવી 15 થી 20 વધુ સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે.

URHSWA (અર્બન રિડેવલપમેન્ટ હાઉસિંગ સોસાયટી વેલફેર એસોસિયેશન)ના સ્થાપક જિતેન્દ્ર શાહે જણાવ્યું છે કે, અમદાવાદ શહેરમાં હાલમાં પ્રાઈવેટ સોસાયટીઓમાં 150 થી વધુ રિડેવલેપમેન્ટ પ્રોજેકટ ચાલી રહ્યા છે ત્યારે નારણપુરામાં 8 થી 10 પુરા થવાના આરે છે, જયારે વધુ 10 થી વધુ પ્રોજેકટ પાઈપલાઈનમાં હોવાનું જણાવે છે. જયારે 25 થી વધુ સોસાયટીઓમાં રિડેવલપમેન્ટ અંગે ચર્ચા વિચારણા ચાલી રહી છે.

અનુભવી રિડેવલપમેન્ટ એક્સપર્ટ સોહમ ભાવસાર જણાવે છે કેે, અમદાવાદ શહેરમાં છેવાડાના વિસ્તારમાં જમીનોના ભાવ આસમાને પહોંચેલા છે જેને લીધે બિલ્ડર્સ રિડેવલપમેન્ટનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે. એક વખત બિલ્ડર સોસાયટીઓના સભ્યોને સમજાવવામાં સફળ રહે ત્યારબાદ તેની પાસે જમીનનો કંટ્રોલ આવી જાય છે અને તેમને હાઈ FSI સાથે મહત્વનો ફ્રી સેલ એરિયા પણ મળી જાય છે. એટલે બિલ્ડર્સ રિડેવલપમેન્ટનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે.

બિલ્ડર્સ નારણપુરા ઉપરાંત નવરંગપુરા, આંબાવાડી, થલતેજ, વાડજ, ગુરુકુળ, મેમનગર અને વાસણા જેવા મહત્વના વિસ્તારોમાં આગામી રિડેવલપમેન્ટના પ્રોજેક્ટ્સ બિલ્ડર્સ 3 BHK એપાર્ટમેન્ટના બાંધકામને પ્રાથમિકતા આપતા જાેઈ રહ્યા છે. આ એકમોની કિંમત રૂ. 90 લાખથી રૂ. 1.5 કરોડની સુધી હોવાની ચર્ચા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...