Wednesday, July 15, 2026

નારણપુરામાં સોસાયટીના રિડેવલપમેન્ટ માટે બિલ્ડરોમાં પડાપડી…!!

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં એકતરફ નવા ફલેટના બુકિંગ મળતું નથી, બીજી તરફ શહેરના નારણપુરા વિસ્તારમાં અનેક નાની મોટી ખાનગી અને હાઉસિંગની સોસાયટીઓમાં રિડેવલપમેન્ટ માટે બિલ્ડર્સમાં તીવ્ર સ્પર્ધા જાેવા મળી રહી છે, અને તેમાં પણ ખાસ કરીને 132 ફુટ રીંગ રોડ અને અંકુર વિસ્તાર જેવા પ્રાઈમ વિસ્તારોમાં આવેલી સોસાયટીઓ માટે તો આ સ્પર્ધા વધારે તીવ્ર બની રહી છે. બિલ્ડરો પોતાના ખર્ચે સોસાયટીના સભ્યો સાથે મીટિંગ યોજે છે. આવી જ એક મીટિંગ તાજેતરમાં યોજાવાની છે જેમાં સોસાયટીના સભ્યોને આકર્ષવા માટે ત્રણ બિલ્ડર્સ પોતાની ઓફર્સ રજૂ કરવાના હોવાનું ચર્ચા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, હાલમાં અમદાવાદ શહેરમાં અન્ય વિસ્તારોની સરખામણીમાં રિડેવલપમેન્ટનો ક્રેઝ એક અલગ જ લેવલે પહોંચી ગયો છે, નારણપુરામાં હાઉસિંગ બોર્ડના અનેક ફલેટોમાં રિડેવલપમેન્ટ અન્ય વિસ્તારોની સરખાણી કરતા વધુ તેજીથી ચાલી રહ્યું છે, તેવી જ રીતે પ્રાઈવેટ સોસાયટીઓમાં રિડેવલપમેન્ટના અનેક પ્રોજેકટ ચાલી રહ્યાં છે, જયારે અનેક સોસાયટીઓના રિડેવલપેન્ટના પ્રોજેકટ અંતિમ તબક્કામાં હોવાનું જાણવા મળ્યું છે.

હાઉસિંગ એપાર્ટમેન્ટ રિડેવલપમેન્ટ ફેડરેશનના સભ્ય સંદિપ ત્રિવેદીના જણાવ્યા મુજબ, નારણપુરામાં હાઉસિંગ બોર્ડની સોસાયટી મોટી સંખ્યામાં હોવાને કારણે રિડેવલપમેન્ટ માટે બિલ્ડર્સમાં તીવ્ર સ્પર્ધા જાેવા મળી રહી છે, અને તેમાં પણ ખાસ કરીને 132 ફુટ રીંગ રોડ પર આવેલ સોસાયટીઓ રિડેવલપેન્ટમાં જાેડાઈ રહી છે, સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ફક્ત નારણપુરામાં હાઉસિંગ બોર્ડની 8 થી વધુ સોસાયટીઓમાં કન્સ્ટ્રકશન લેવલે, 5 થી વધુ ડીમોલીશન લેવલે, જયારે ટેન્ડર થઈ ગયા હોય તેવી 15 થી 20 વધુ સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે.

URHSWA (અર્બન રિડેવલપમેન્ટ હાઉસિંગ સોસાયટી વેલફેર એસોસિયેશન)ના સ્થાપક જિતેન્દ્ર શાહે જણાવ્યું છે કે, અમદાવાદ શહેરમાં હાલમાં પ્રાઈવેટ સોસાયટીઓમાં 150 થી વધુ રિડેવલેપમેન્ટ પ્રોજેકટ ચાલી રહ્યા છે ત્યારે નારણપુરામાં 8 થી 10 પુરા થવાના આરે છે, જયારે વધુ 10 થી વધુ પ્રોજેકટ પાઈપલાઈનમાં હોવાનું જણાવે છે. જયારે 25 થી વધુ સોસાયટીઓમાં રિડેવલપમેન્ટ અંગે ચર્ચા વિચારણા ચાલી રહી છે.

અનુભવી રિડેવલપમેન્ટ એક્સપર્ટ સોહમ ભાવસાર જણાવે છે કેે, અમદાવાદ શહેરમાં છેવાડાના વિસ્તારમાં જમીનોના ભાવ આસમાને પહોંચેલા છે જેને લીધે બિલ્ડર્સ રિડેવલપમેન્ટનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે. એક વખત બિલ્ડર સોસાયટીઓના સભ્યોને સમજાવવામાં સફળ રહે ત્યારબાદ તેની પાસે જમીનનો કંટ્રોલ આવી જાય છે અને તેમને હાઈ FSI સાથે મહત્વનો ફ્રી સેલ એરિયા પણ મળી જાય છે. એટલે બિલ્ડર્સ રિડેવલપમેન્ટનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે.

બિલ્ડર્સ નારણપુરા ઉપરાંત નવરંગપુરા, આંબાવાડી, થલતેજ, વાડજ, ગુરુકુળ, મેમનગર અને વાસણા જેવા મહત્વના વિસ્તારોમાં આગામી રિડેવલપમેન્ટના પ્રોજેક્ટ્સ બિલ્ડર્સ 3 BHK એપાર્ટમેન્ટના બાંધકામને પ્રાથમિકતા આપતા જાેઈ રહ્યા છે. આ એકમોની કિંમત રૂ. 90 લાખથી રૂ. 1.5 કરોડની સુધી હોવાની ચર્ચા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...