Wednesday, January 14, 2026

નારણપુરામાં સોસાયટીના રિડેવલપમેન્ટ માટે બિલ્ડરોમાં પડાપડી…!!

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં એકતરફ નવા ફલેટના બુકિંગ મળતું નથી, બીજી તરફ શહેરના નારણપુરા વિસ્તારમાં અનેક નાની મોટી ખાનગી અને હાઉસિંગની સોસાયટીઓમાં રિડેવલપમેન્ટ માટે બિલ્ડર્સમાં તીવ્ર સ્પર્ધા જાેવા મળી રહી છે, અને તેમાં પણ ખાસ કરીને 132 ફુટ રીંગ રોડ અને અંકુર વિસ્તાર જેવા પ્રાઈમ વિસ્તારોમાં આવેલી સોસાયટીઓ માટે તો આ સ્પર્ધા વધારે તીવ્ર બની રહી છે. બિલ્ડરો પોતાના ખર્ચે સોસાયટીના સભ્યો સાથે મીટિંગ યોજે છે. આવી જ એક મીટિંગ તાજેતરમાં યોજાવાની છે જેમાં સોસાયટીના સભ્યોને આકર્ષવા માટે ત્રણ બિલ્ડર્સ પોતાની ઓફર્સ રજૂ કરવાના હોવાનું ચર્ચા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, હાલમાં અમદાવાદ શહેરમાં અન્ય વિસ્તારોની સરખામણીમાં રિડેવલપમેન્ટનો ક્રેઝ એક અલગ જ લેવલે પહોંચી ગયો છે, નારણપુરામાં હાઉસિંગ બોર્ડના અનેક ફલેટોમાં રિડેવલપમેન્ટ અન્ય વિસ્તારોની સરખાણી કરતા વધુ તેજીથી ચાલી રહ્યું છે, તેવી જ રીતે પ્રાઈવેટ સોસાયટીઓમાં રિડેવલપમેન્ટના અનેક પ્રોજેકટ ચાલી રહ્યાં છે, જયારે અનેક સોસાયટીઓના રિડેવલપેન્ટના પ્રોજેકટ અંતિમ તબક્કામાં હોવાનું જાણવા મળ્યું છે.

હાઉસિંગ એપાર્ટમેન્ટ રિડેવલપમેન્ટ ફેડરેશનના સભ્ય સંદિપ ત્રિવેદીના જણાવ્યા મુજબ, નારણપુરામાં હાઉસિંગ બોર્ડની સોસાયટી મોટી સંખ્યામાં હોવાને કારણે રિડેવલપમેન્ટ માટે બિલ્ડર્સમાં તીવ્ર સ્પર્ધા જાેવા મળી રહી છે, અને તેમાં પણ ખાસ કરીને 132 ફુટ રીંગ રોડ પર આવેલ સોસાયટીઓ રિડેવલપેન્ટમાં જાેડાઈ રહી છે, સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ફક્ત નારણપુરામાં હાઉસિંગ બોર્ડની 8 થી વધુ સોસાયટીઓમાં કન્સ્ટ્રકશન લેવલે, 5 થી વધુ ડીમોલીશન લેવલે, જયારે ટેન્ડર થઈ ગયા હોય તેવી 15 થી 20 વધુ સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે.

URHSWA (અર્બન રિડેવલપમેન્ટ હાઉસિંગ સોસાયટી વેલફેર એસોસિયેશન)ના સ્થાપક જિતેન્દ્ર શાહે જણાવ્યું છે કે, અમદાવાદ શહેરમાં હાલમાં પ્રાઈવેટ સોસાયટીઓમાં 150 થી વધુ રિડેવલેપમેન્ટ પ્રોજેકટ ચાલી રહ્યા છે ત્યારે નારણપુરામાં 8 થી 10 પુરા થવાના આરે છે, જયારે વધુ 10 થી વધુ પ્રોજેકટ પાઈપલાઈનમાં હોવાનું જણાવે છે. જયારે 25 થી વધુ સોસાયટીઓમાં રિડેવલપમેન્ટ અંગે ચર્ચા વિચારણા ચાલી રહી છે.

અનુભવી રિડેવલપમેન્ટ એક્સપર્ટ સોહમ ભાવસાર જણાવે છે કેે, અમદાવાદ શહેરમાં છેવાડાના વિસ્તારમાં જમીનોના ભાવ આસમાને પહોંચેલા છે જેને લીધે બિલ્ડર્સ રિડેવલપમેન્ટનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે. એક વખત બિલ્ડર સોસાયટીઓના સભ્યોને સમજાવવામાં સફળ રહે ત્યારબાદ તેની પાસે જમીનનો કંટ્રોલ આવી જાય છે અને તેમને હાઈ FSI સાથે મહત્વનો ફ્રી સેલ એરિયા પણ મળી જાય છે. એટલે બિલ્ડર્સ રિડેવલપમેન્ટનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે.

બિલ્ડર્સ નારણપુરા ઉપરાંત નવરંગપુરા, આંબાવાડી, થલતેજ, વાડજ, ગુરુકુળ, મેમનગર અને વાસણા જેવા મહત્વના વિસ્તારોમાં આગામી રિડેવલપમેન્ટના પ્રોજેક્ટ્સ બિલ્ડર્સ 3 BHK એપાર્ટમેન્ટના બાંધકામને પ્રાથમિકતા આપતા જાેઈ રહ્યા છે. આ એકમોની કિંમત રૂ. 90 લાખથી રૂ. 1.5 કરોડની સુધી હોવાની ચર્ચા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...