Friday, October 3, 2025

નારણપુરાના સુર્યા એપાર્ટમેન્ટનું કોર્ટનું જજમેન્ટ હાઉસિંગના રહીશો માટે બેન્ચમાર્ક સાબિત થશે

Share

અમદાવાદ : તાજેતરમાં નારણપુરાના સોલારોડ વિસ્તારમાં આવેલ ગુ.હા.બોર્ડની કોલોની 132 એમઆઈજી, સુર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2માં લગભગ 29 મુદતો બાદ હાઈકોર્ટ દ્વારા અસંમત સભ્યોના વિરુદ્ધમાં વકીલને કોર્ટનો સમય બગાડવા અને રિડેવલપમેન્ટમાં ખોટા રોડા ઊભા કરવા બદલ 1,00,000 રૂપિયા આર્થિક દંડ કર્યો અને સ્ટે અરજી નકારી દીધી હતી. કોર્ટના આ વલણથી હાઉસિંગ રિડેવલપમેન્ટના કાર્યમાં નવો સોનાનો સુરજ ઉગશે.

પ્રાપ્ત વિગતો મુજબ, નારણપુરાના સોલારોડ વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોર્ડની કોલોની 132 એમઆઈજી, સુર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2 દ્વારા સરકારની રિડેવલપમેન્ટ પોલિસી 2016 અને તેના કાયદાકીય નિયમો અન્વયે કુલ 132 સભ્યોમાંથી કાયદાકીય રીતે 108 (82%) સભ્યો એ રિડેવલપમેન્ટ માટે લેખિત સહમતી આપી હતી તેમજ બિલ્ડર સાથે દ્વિપક્ષીય એમઓયુ કરેલા અને વર્ષ-2024 માં 100(75.75%) સભ્યોના ભાડા પણ શરૂ થઈ ગયા હતા, તેમજ ખાલી મકાન તોડવા માટેની કાર્યવાહી કરાઈ હતી.

આ દરમ્યાન 25% સુધીના કેટલાક અસહમત સભ્યો દ્વારા નામદાર હાઈકોર્ટેમાં રીડેવલપમેન્ટ વિરુદ્ધ કેસ દાખલ કરાયેલ, કોર્ટ કેસ દરમ્યાન સ્ટે આવતા આગળની કાર્યવાહી રોકાયેલ જેને લગભગ 29 મુદ્દતો બાદ અસહમત સભ્યોના વકીલ દ્વારા પરત ખેંચાયેલ તેમજ તે સ્ટે તા.22-09-2025 ના રોજ સમાપ્ત થયો હતો.અસહમત સભ્યોના વકીલ થકી તા.23-09-25 ના રોજ ફરીથી નામદાર હાઈકોર્ટના દરવાજા સ્ટે લેવા માટે ખટખટાવતા, નામદાર હાઈકોર્ટ દ્વારા અસંમત સભ્યોના વકીલ ને કોર્ટનો સમય બગડવા અને રીડેવલપમેન્ટમાં ખોટા રોડા ઊભા કરવા બદલ 1,00,000 રૂપિયા આર્થિક દંડ કર્યો અને સ્ટે અરજી નકારી દીધી હતી.

નામદાર હાઈકોર્ટે 1.00 લાખની કોસ્ટ કરેલ છે પરંતુ તેઓ દ્વારા ટ્રાયલ કોર્ટને એ પણ સૂચના આપેલ છે કે જ્યાં સુધી 1.00 લાખની કોસ્ટ અસંમત સભ્યો દ્વારા ભરપાઈ કરવામાં ના આવે ત્યાં સુધી નીચેની અદાલતમાં અસંમત સભ્યોએ કરેલ દાવાને ચલાવવો નહીં.સિવિલ કોર્ટમાં જમીન હક્ક બાબત અસહમત સભ્યોના વકીલ દ્વારા કેસ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રાપ્ત માહિતી મુજબ અસહમત સભ્યોએ ભેગા મળી કુલ રૂપિયા 26 લાખ(સભ્ય દીઠ અંદાજ એક લાખ રૂપિયા ઉપર) ની આસપાસ રકમ (વર્તમાન જંત્રી દર આધારે જમીન કિંમતના 20% થી 25% કે તેની સ્ટેમ્પ ડ્યુટી) પેટે રકમ કોર્ટમાં ભરવાની અને ત્યારબાદ કેસ આગળ ચાલે…

ગુ.હા.બોર્ડ દ્વારા તા.29-09-2025ના રોજ કાયદાકીય રીતે 17મકાનો કબ્જો લઈ લીધો છે અને તે મકાનો બિલ્ડરને તોડવા આપી દીધા છે. જેમાં હાલમાં બિલ્ડર દ્વારા મકાનો તોડવાની કામગીરી ચાલી રહી છે.આ ઉપરાંત ફ્રન્ટેજ લાભ વાળા અન્ય 8 સભ્યોને પણ ગુ હા બોર્ડ એક્ટ કલમ 60(અ) મુજબ ઇવીક્શન નોટિસ આપી દીધી છે હવે એમાંય મોટા ભાગના સહમતી આપીને રિડેવલપમેન્ટના કાર્યમાં જાેડાવવા તૈયાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આમ નારણપુરાના સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2 ના કોર્ટ કેસનો હુકમ એ બેન્ચમાર્ક સાબિત થશે…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...