Wednesday, April 15, 2026

નારણપુરાના સુર્યા એપાર્ટમેન્ટનું કોર્ટનું જજમેન્ટ હાઉસિંગના રહીશો માટે બેન્ચમાર્ક સાબિત થશે

spot_img
Share

અમદાવાદ : તાજેતરમાં નારણપુરાના સોલારોડ વિસ્તારમાં આવેલ ગુ.હા.બોર્ડની કોલોની 132 એમઆઈજી, સુર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2માં લગભગ 29 મુદતો બાદ હાઈકોર્ટ દ્વારા અસંમત સભ્યોના વિરુદ્ધમાં વકીલને કોર્ટનો સમય બગાડવા અને રિડેવલપમેન્ટમાં ખોટા રોડા ઊભા કરવા બદલ 1,00,000 રૂપિયા આર્થિક દંડ કર્યો અને સ્ટે અરજી નકારી દીધી હતી. કોર્ટના આ વલણથી હાઉસિંગ રિડેવલપમેન્ટના કાર્યમાં નવો સોનાનો સુરજ ઉગશે.

પ્રાપ્ત વિગતો મુજબ, નારણપુરાના સોલારોડ વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોર્ડની કોલોની 132 એમઆઈજી, સુર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2 દ્વારા સરકારની રિડેવલપમેન્ટ પોલિસી 2016 અને તેના કાયદાકીય નિયમો અન્વયે કુલ 132 સભ્યોમાંથી કાયદાકીય રીતે 108 (82%) સભ્યો એ રિડેવલપમેન્ટ માટે લેખિત સહમતી આપી હતી તેમજ બિલ્ડર સાથે દ્વિપક્ષીય એમઓયુ કરેલા અને વર્ષ-2024 માં 100(75.75%) સભ્યોના ભાડા પણ શરૂ થઈ ગયા હતા, તેમજ ખાલી મકાન તોડવા માટેની કાર્યવાહી કરાઈ હતી.

આ દરમ્યાન 25% સુધીના કેટલાક અસહમત સભ્યો દ્વારા નામદાર હાઈકોર્ટેમાં રીડેવલપમેન્ટ વિરુદ્ધ કેસ દાખલ કરાયેલ, કોર્ટ કેસ દરમ્યાન સ્ટે આવતા આગળની કાર્યવાહી રોકાયેલ જેને લગભગ 29 મુદ્દતો બાદ અસહમત સભ્યોના વકીલ દ્વારા પરત ખેંચાયેલ તેમજ તે સ્ટે તા.22-09-2025 ના રોજ સમાપ્ત થયો હતો.અસહમત સભ્યોના વકીલ થકી તા.23-09-25 ના રોજ ફરીથી નામદાર હાઈકોર્ટના દરવાજા સ્ટે લેવા માટે ખટખટાવતા, નામદાર હાઈકોર્ટ દ્વારા અસંમત સભ્યોના વકીલ ને કોર્ટનો સમય બગડવા અને રીડેવલપમેન્ટમાં ખોટા રોડા ઊભા કરવા બદલ 1,00,000 રૂપિયા આર્થિક દંડ કર્યો અને સ્ટે અરજી નકારી દીધી હતી.

નામદાર હાઈકોર્ટે 1.00 લાખની કોસ્ટ કરેલ છે પરંતુ તેઓ દ્વારા ટ્રાયલ કોર્ટને એ પણ સૂચના આપેલ છે કે જ્યાં સુધી 1.00 લાખની કોસ્ટ અસંમત સભ્યો દ્વારા ભરપાઈ કરવામાં ના આવે ત્યાં સુધી નીચેની અદાલતમાં અસંમત સભ્યોએ કરેલ દાવાને ચલાવવો નહીં.સિવિલ કોર્ટમાં જમીન હક્ક બાબત અસહમત સભ્યોના વકીલ દ્વારા કેસ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રાપ્ત માહિતી મુજબ અસહમત સભ્યોએ ભેગા મળી કુલ રૂપિયા 26 લાખ(સભ્ય દીઠ અંદાજ એક લાખ રૂપિયા ઉપર) ની આસપાસ રકમ (વર્તમાન જંત્રી દર આધારે જમીન કિંમતના 20% થી 25% કે તેની સ્ટેમ્પ ડ્યુટી) પેટે રકમ કોર્ટમાં ભરવાની અને ત્યારબાદ કેસ આગળ ચાલે…

ગુ.હા.બોર્ડ દ્વારા તા.29-09-2025ના રોજ કાયદાકીય રીતે 17મકાનો કબ્જો લઈ લીધો છે અને તે મકાનો બિલ્ડરને તોડવા આપી દીધા છે. જેમાં હાલમાં બિલ્ડર દ્વારા મકાનો તોડવાની કામગીરી ચાલી રહી છે.આ ઉપરાંત ફ્રન્ટેજ લાભ વાળા અન્ય 8 સભ્યોને પણ ગુ હા બોર્ડ એક્ટ કલમ 60(અ) મુજબ ઇવીક્શન નોટિસ આપી દીધી છે હવે એમાંય મોટા ભાગના સહમતી આપીને રિડેવલપમેન્ટના કાર્યમાં જાેડાવવા તૈયાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આમ નારણપુરાના સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2 ના કોર્ટ કેસનો હુકમ એ બેન્ચમાર્ક સાબિત થશે…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...