Tuesday, October 14, 2025

કાલુપુર રેલવે ઓવરબ્રિજ પર 7 દુકાનો ધરાશાયી, ફાયર વિભાગ ઘટના સ્થળે, કોઈ જાનહાનિ નહિ

Share

અમદાવાદ : અમદાવાદના કાલુપુર રેલવે ઓવરબ્રિજ પાસેથી એક દુર્ઘટના સામે આવી છે, જ્યાં વર્ષો જૂની અને જર્જરીત દુકાનો ધરાશાયી થઈ ગઈ છે. ફાયરબ્રિગેડને જાણ થતાં ઘટનાસ્થળે બે ગાડીઓ પહોંચી ગઈ છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અંદાજીત 7થી 8 જેટલી જૂની જર્જરીત દુકાનો ધરાશાયી થઈ છે.પોલીસ અને ફાયર સેક્ટરની ટીમો હવેથી કામગીરીમાં વ્યસ્ત છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કાલુપુર રેલવે ઓવરબ્રિજ ઉપર વર્ષો જૂની દુકાનો આવેલી હતી. એક રૂમ જેટલી નાનકડી અંદાજિત 15 દુકાનો આવેલી છે. જે વર્ષોથી ખૂબ જ જર્જરીત હાલતમાં છે. આ દુકાનોમાં પ્લાસ્ટિક અને ઘરવખરીના સામાન અંગેની ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હતું. આજે સાંજના સમયે અચાનક જ દુકાનો સ્લેબ સાથે પડી હતી.

કાલુપુર રેલવે ઓવરબ્રિજના કાલુપુર તરફના છેડા ઉપર શરૂઆતમાં આવેલી અંદાજિત સાતેક જેટલી દુકાનો પડી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. બ્રિજ પર આવેલી દુકાનોની પાછળના ભાગે કાલુપુર રેલવે સ્ટેશન અને બુલેટ ટ્રેનની કામગીરી માટેનો RMC પ્લાન્ટ ચાલી રહ્યો છે અને તેના માટેની ત્યાં કામગીરી ચાલી રહી છે જેથી ત્યાં કામગીરીના પગલે પણ વાઇબ્રેશન થતા આ દુકાનો પડી હોવાનું સ્થાનિક સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

દુર્ઘટનાના તુરંત પછી સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક નિયંત્રણ શરૂ કર્યું છે. પીક અવર્સમાં આ ઘટના બનવાને કારણે ઓવરબ્રિજ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો છે. લોકોને અત્યારે વિસ્તૃત માર્ગ વિકલ્પ અપનાવવાની સલાહ આપવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...