Thursday, March 12, 2026

કાલુપુર રેલવે ઓવરબ્રિજ પર 7 દુકાનો ધરાશાયી, ફાયર વિભાગ ઘટના સ્થળે, કોઈ જાનહાનિ નહિ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના કાલુપુર રેલવે ઓવરબ્રિજ પાસેથી એક દુર્ઘટના સામે આવી છે, જ્યાં વર્ષો જૂની અને જર્જરીત દુકાનો ધરાશાયી થઈ ગઈ છે. ફાયરબ્રિગેડને જાણ થતાં ઘટનાસ્થળે બે ગાડીઓ પહોંચી ગઈ છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અંદાજીત 7થી 8 જેટલી જૂની જર્જરીત દુકાનો ધરાશાયી થઈ છે.પોલીસ અને ફાયર સેક્ટરની ટીમો હવેથી કામગીરીમાં વ્યસ્ત છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કાલુપુર રેલવે ઓવરબ્રિજ ઉપર વર્ષો જૂની દુકાનો આવેલી હતી. એક રૂમ જેટલી નાનકડી અંદાજિત 15 દુકાનો આવેલી છે. જે વર્ષોથી ખૂબ જ જર્જરીત હાલતમાં છે. આ દુકાનોમાં પ્લાસ્ટિક અને ઘરવખરીના સામાન અંગેની ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હતું. આજે સાંજના સમયે અચાનક જ દુકાનો સ્લેબ સાથે પડી હતી.

કાલુપુર રેલવે ઓવરબ્રિજના કાલુપુર તરફના છેડા ઉપર શરૂઆતમાં આવેલી અંદાજિત સાતેક જેટલી દુકાનો પડી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. બ્રિજ પર આવેલી દુકાનોની પાછળના ભાગે કાલુપુર રેલવે સ્ટેશન અને બુલેટ ટ્રેનની કામગીરી માટેનો RMC પ્લાન્ટ ચાલી રહ્યો છે અને તેના માટેની ત્યાં કામગીરી ચાલી રહી છે જેથી ત્યાં કામગીરીના પગલે પણ વાઇબ્રેશન થતા આ દુકાનો પડી હોવાનું સ્થાનિક સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

દુર્ઘટનાના તુરંત પછી સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક નિયંત્રણ શરૂ કર્યું છે. પીક અવર્સમાં આ ઘટના બનવાને કારણે ઓવરબ્રિજ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો છે. લોકોને અત્યારે વિસ્તૃત માર્ગ વિકલ્પ અપનાવવાની સલાહ આપવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...