Wednesday, February 11, 2026

અમદાવાદની કોર્ટમાં ચોંકાવનારી ઘટના: ફરિયાદીએ જજ પર ફેંક્યું ચપ્પલ, પોલીસે આરોપીની અટકાયત કરી

spot_img
Share

અમદાવાદ : સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ પર એક વકીલે જૂતું ફેકવાની ઘટના બાદ હવે અમદાવાદ સેશન્સ કોર્ટમાં પણ જજ પર જૂતું ફેકવાની શરમજનક ઘટના બની છે. ન્યાયતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ ઘટનામાં આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના એડિશનલ પ્રિન્સિપલ જજ એમ. પી. પુરોહિતની કોર્ટમાં એક કેસની સુનાવણી ચાલી રહી હતી. આ દરમિયાન, કેસના એક ફરિયાદીએ અચાનક ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો અને પોતાનો કાબૂ ગુમાવી જજ તરફ ચપ્પલ ફેંક્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફરિયાદીની અપીલ કાઢી નાખવામાં આવી હોવાથી તેણે આ હરકત કરી હતી. ચપ્પલ ફેંકતા પહેલા ફરિયાદીની જજ સાથે બોલાચાલી પણ થઈ હોવાનું કહેવાય છે. પોલીસે જૂતું ફેકનાર આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અગાઉ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા બીઆર ગવઈ પર શરમજનક હુમલો થયો હતો. સુપ્રીમ કોર્ટમાં એક સુનાવણી દરમિયાન CJI પર એક વકીલે જૂતું ફેકવાનો પ્રયાસ કર્યો હતો. જૂતું ફેંકનારો શખ્સ 60 વર્ષીય વકીલ હતો જેનું નામ રાકેશ કિશોર છે. પોલીસે વકીલની અટકાયત કરી હતી. આ મામલે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બી.આર.ગવઇએ નિવેદન આપ્યું હતું કે, મને આ પ્રકારના કૃત્યોથી કોઇ ફરક પડતો નથી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...