Thursday, March 12, 2026

અમદાવાદમાં પતિએ પત્નીને સરાજાહેર છરીના ઘા ઝીંક્યા, 75 ટાંકા આવ્યા, 2024માં જ કર્યા હતા પ્રેમ લગ્ન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નિકોલ વિસ્તારમાં ખોડિયારનગર પાસે આવેલી દૂધ સાગર ડેરી નજીક સોમવારે મોડી રાત્રે ચોંકાવનારી ઘટના બની હતી. પતિએ તેની 27 વર્ષીય પત્ની પર જાહેરમાં છરી વડે હુમલો કર્યો હતો, જેના કારણે મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આરોપીની ઓળખ મયંક પટેલ તરીકે થઈ છે. સોમવારે સાંજે પતિ મયંકે પત્નીને વાળ પકડીને જાહેર રોડ પર ઢસડી હતી અને બાદમાં ગળામાં તેમજ શરીર પર ઉપરાછાપરી છરીના ઘા માર્યા હતા. હુમલા સમયે ત્રણ વ્યક્તિએ વચ્ચે પડીને છોડાવવાનો પ્રયાસ કર્યો છતાં પતિએ પત્નીને છોડી નહોતી અને મારતો રહ્યો હતો. હાલમાં યુવતીની અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ સ્થિર છે. તબીબોએ ગળા-ખભાના ભાગે 75 ટાંકા લીધા હતા.

આ યુવતીએ આશરે દોઢ-બે વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા અને સાથે રહેતા હતા. જોકે, સાસરિયા પક્ષના કથિત ત્રાસને કારણે મહિલા છેલ્લા ચાર મહિનાથી તેના પિયરમાં રહેવા ચાલી ગઈ હતી. પીડિત મહિલાએ અગાઉ પણ તેના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ માનસિક અને શારીરિક ત્રાસ આપવાની ફરિયાદો નોંધાવી હતી. ઘટનાના દિવસે મહિલા કોઈ અંગત કામે બહાર નીકળી હતી. તે સમયે પતિએ તેને રોકી હતી અને તેના પર તૂટી પડ્યો હતો. છરીના ઘાના કારણે સ્થળ પર લોહીનાં ખાબોચિયાં ભરાઈ ગયાં હતાં.

બે વર્ષ પહેલાં કૃષ્ણનગર ખાતે રહેતો યુવક પીડિત યુવતીના ઘરે આવ્યો હતો. યુવકની માતા ટૂરનું કામ કરતી હોવાથી તે અવારનવાર યુવતીના ઘરે આવતી હતી. યુવકે યેન કેન પ્રકારેણ યુવતીનો મોબાઈલ નંબર મેળવી લીધો હતો અને ફોન પર વાતો કરવાની શરૂ કરી હતી. જોતજોતાંમાં યુવક અને યુવતી વચ્ચે પ્રેમ થઈ જતાં તેમને 29 જાન્યુઆરી, 2024ના રોજ પ્રેમલગ્ન કરી લીધા હતા. પ્રેમલગ્ન કર્યા બાદ યુવતી સાસરીમાં રહેવા માટે જતી રહી હતી. યુવતીને એક વર્ષ સુધી સાસરિયાંએ સારી રીતે રાખી હતી, પરંતુ બાદમાં નાની-નાની બાબતે મેણાટોણા મારવાના શરૂ કરી દીધા હતા.

સાસરિયા યુવતીને એટલી હદ સુધી માનસિક ત્રાસ આપતા હતા તે સમગ્ર હકીકત તેના પતિને કહી દેતી હતી. પતિ પણ પત્નીનો સાથ ન આપીને તેની સાથે મારઝૂડ કરતો હતો. એક સમયે યુવતી પર હુમલો કરીને સાસરિયાંએ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી.યુવતીએ જણાવ્યું હતું કે મારા પતિને છૂટાછેડા આપવા હતા, પરંતુ મેં ના પાડી હતી, જેથી મારા પતિએ મારા પર પાછળથી હુમલો કર્યો હતો. એ બાદ મારું ગળું કાપી નાખ્યું હતું. લોકોએ મને છોડાવી હોસ્પિટલ મોકલી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...