Thursday, January 15, 2026

અમદાવાદમાં પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા નિવારવા AMC એક્શન મોડમાં, ઝીરો ટોલરન્સ ઝોન જાહેર કરાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરનાં વિસ્તરણ અને વિકાસને પગલે તમામ જાહેર માર્ગો ઉપર દબાણો તેમજ ટ્રાફિકજામની ગંભીર સમસ્યા સર્જાઇ છે, તેમાંય અનેક કોમર્શિયલ કોમ્પ્લેક્સ, સંસ્થાઓ તેમજ મોલ વગેરે જગ્યાઓએ મુલાકાતીઓને વાહન પાર્ક કરવા દેવાતા નથી તેના કારણે લોકો રોડ ઉપર વાહન પાર્ક કરતાં હોવાનુ જણાયા બાદ મ્યુનિ.સત્તાધીશોએ જે કોઇ કોમર્શિયલ કોમ્પ્લેકસ કે સંસ્થા મુલાકાતીઓને વાહન પાર્ક નહિ કરવા દે તેની સામે દંડનીય પગલાં લેવાની નિતી ઘડીને તેનો અમલ કરશે.શહેરવાસીઓને ટ્રાફિક અને પાર્કિંગની અસુવિધામાંથી કાયમી રાહત મળે તે હેતુસર કોર્પોરેશને કડક અને અસરકારક પગલાં લેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરનાં તમામ વિસ્તારોનાં જાહેર માર્ગો ઉપર આવેલાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ, મિક્સ ડેવલપમેન્ટ, વિવિધ સંસ્થાઓ, મોલ વગેરે જગ્યાએ મુલાકાતીઓ માટે પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી, તેના કારણે લોકો રોડ અને ફૂટપાથ ઉપર વાહન પાર્ક કરી પોતાનાં કામકાજ પતાવવા જતાં હોવાનુ એસ્ટેટ ખાતાનાં સર્વેમાં પણ પૂરવાર થયુ છે. રોડ અને ફૂટપાથ ઉપર વાહન પાર્કિંગ થવાનાં કારણે રોડ ઉપર ટ્રાફિકને અડચણ થાય છે તેમજ ફૂટપાથ ઉપર વાહન પાર્કિંગનાં કારણે રાહદારીઓને અડચણ થાય છે. આ બન્ને બાબતને ગંભીરતાથી લઇ મ્યુનિ. સત્તાધીશોએ જે કોઇ કોમ્પ્લેક્સમાં મુલાકાતીઓને વાહન પાર્કિંગ નહિ કરવા દેવાય તેની સામે પગલાં લેવાનો નિર્ણય લીધો છે.તેમનો ઉપયોગ જાહેર જનતા કરી શકે તે હેતુથી રેવન્યુ શેરીંગ દ્વારા પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવા સંમત થાય તે માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા બંને એજન્સીઓને સિંધુભવન રોડ, રાજપથ રંગોલી રોડ અને બોપલ આંબલી રોડને ઝીરો ટોલરન્સ રોડ જાહેર કરી, આ રોડ પર પાર્કિંગ ન થાય તે માટે અમલીકરણનાં ભાગરૂપે વાહનચાલકો ઉપલબ્ધ મલ્ટીલેવલ કાર પાર્કિંગ કે કોર્પોરેશન દ્વારા સૂચિત કરેલી પાર્કિંગની જગ્યા પર પાર્ક કરે તેના માટે લોકો સુધી માહિતી પહોંચાડવાની વ્યવસ્થા કરવાની પણ સૂચના આપવામાં આવી. આ મુખ્ય રોડ ઉપર આવેલી 10 કે તેથી વધુ દુકાનો ધરાવતા વાણિજ્યક સ્થાનો પર યોગ્ય સ્થાનમાં વાહન પાર્ક થાય તે માટે કોઈ વ્યક્તિ મૂકવાની વ્યવસ્થા ગોઠવવા, રસ્તા પર ઓન-સ્ટ્રીટ પાર્કિંગ પર વધુ ચાર્જ વસુલવા, અનઅધિકૃત રીતે પાર્ક કરતા વાહન ચાલકો પાસેથી ભારે દંડ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...