Wednesday, January 14, 2026

ન્યુ રાણીપનો અંડરપાસ બન્યો સ્વિમિંગ પૂલ, લોકો જીવના જોખમે ક્રોસ કરી રહ્યા છે રેલવે ટ્રેક

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ન્યૂ રાણીપ અને રાણીપનો જોડતા જીએસટી અંડરપાસ વરસાદી માહોલને કારણે સ્વિમિંગ પુલ બન્યો છે. છેલ્લા 15 દિવસથી આની આજ સ્થિતિ છે. પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા નથી. એક તરફ લોકો જીવના જોખમે ક્રોસ કરી રહ્યા છે રેલવે ટ્રેક અને બીજી તરફ પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે.

આ અંડરપાસ આખો પાણીમાં ગરકાવ થયો હોવાથી લોકોએ અવરજવરમાં તકલીફ પડી રહી છે. આથી તેઓ રેલવે ટ્રેક પરથી પસાર થવા મજબૂર બન્યા છે. રેલિંગ પણ તૂટી ગયેલી હોવાને કારણે શાળાના બાળકો સહિત મહિલાઓ અને વૃદ્ધો ટ્રેક ક્રોસ કરતા નજરે પડી રહ્યા છે. આવામાં જો કોઇ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ?

ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષની અંડરપાસની કામગીરી દરમ્યાન ક્યારેક કામ ચાલે તો ક્યારેક બંધ થઇ જાય છે જેને કારણે આખરે કંટાળીને લોકોએ જાતે જ અંડરપાસનું લોકાર્પણ કરી દીધુ હતું. સ્થાનિકોનું કહેવુ છે કે આ અંડરપાસ બંધ રહેવાથી અમારે 3 કિલોમીટર ફરીને જવુ પડે છે. વિદ્યાર્થીઓને પણ શાળાએ જવા મુશ્કેલી વેઠવવાનો વારો આવે છે. આથી પરંતુ તંત્ર પણ બાકી કામગીરી પુરી કરવા કોઇ તસ્દી લઇ રહ્યું નથી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...