Saturday, February 28, 2026

નારણપુરા બાદ હવે નવા વાડજમાં પણ હાઉસિંગ બોર્ડની અનેક સોસાયટીઓ રીડેવલપમેન્ટના માર્ગે…!!

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં પૂર્વની સરખામણીમાં પશ્ચિમના અનેક વિસ્તારોમાં આવેલ હાઉસીંગ બોર્ડની હાઉસીંગ કોલોનીઓમાં છેલ્લાં એકાદ-બે વર્ષાેથી જાગૃતિમાં મોટો જુવાળ આવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. જેનું મુખ્ય કારણ એ છે કે મોટાભાગની સોસાયટીઓમાં 40 થી 45 વધુ વર્ષ જુની અને જર્જરિત થઈ છે. સોસાયટીઓમાં રોડ, લાઈટ, પાણી અને પાર્કિંગ સહિતની સમસ્યાઓ વિકરાળ બની રહી છે. જેના કારણે હાઉસીંગ બોર્ડની અનેક સોસાયટીઓ રિડેવલપમેન્ટમાં જાેડાઈ રહી છે ત્યારે નારણપુરા, સોલા બાદ હવે નવા વાડજમાં પણ નંદનવન એપાર્ટમેન્ટ, હરીઓમ એપાર્ટમેન્ટ, ગગનવિહાર એપાર્ટમેન્ટ જેવી હાઉસિંગ સોસાયટીઓ રીડેવલપમેન્ટ માટે વાટાઘાટો નિર્ણાયક તબક્કામાં હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.આ સિવાય બીજી અનેક સોસાયટીઓમાં રીડેવલપમેન્ટને લઈને રહીશોમાં ચર્ચાઓ શરૂ થઈ છે અને રહીશો સ્થાનિક એસોસિયેશન સમક્ષ રીડેવલપમેન્ટની માગણી કરી રહ્યા છે.

હાઉસીંગ બોર્ડના સુત્રો મુજબ, નવા વાડજ વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોડની નંદનવન એપાર્ટમેન્ટમાં ટેન્ડર થઈ ગયું છે, ડેવલપર સાથે વાટાઘાટો નિર્ણાયક તબક્કામાં હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય પલક એપાર્ટમેન્ટની બાજુમાં આવેલ ગગનવિહાર એપાર્ટમેન્ટમાં પણ ટેન્ડર થઈ ગયું છે, કેટલાંક અસંમત સભ્યોને બાદ કરતા બહુમતી સભ્યો રીડેવલપમેન્ટમાં જાેડાવવાનું મન બનાવી દીધું છે. અહીં પણ સોસાયટીના રહીશો અને આગેવાનોની ડેવલપર સાથે વાટાઘાટો નિર્ણાયક તબક્કામાં હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય હરીઓમ એપાર્ટમેન્ટમાં ટેન્ડર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

નવા વાડજ વિસ્તારમાં ઉત્સવ એપાર્ટમેન્ટમાં પણ એકવાર ટેન્ડર કેન્સલ થતા ફરીવાર સંમતિની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.જેમાં સંમતિ થતા ફરી ટેન્ડર પ્રક્રિયા શરૂ થવાની શક્યતાઓ જાેવાઈ રહી છે.આ સિવાય નવા વાડજમાં અખબારનગર પાસે આવેલ શિવશક્તિ એપાર્ટમેન્ટ અને આકાશદીપ એપાર્ટેન્ટમાં રીડેવલપેન્ટને લઈને સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે.સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયે રીડેવલપમેન્ટની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.આ ઉપરાંત શિવમ એપાર્ટમેન્ટ અને આનંદનગર એપાર્ટમેન્ટમાં સોસાયટીના રહીશો જર્જરિત બાંધકામ સહિતના પ્રશ્ને રીડેવલપમેન્ટની માંગ કરી રહ્યા છે.

હાલમાં નવા કુલ 126 કોલોનીઓના 65 જેટલા પ્રોજેકટ આયોજન હેઠળ અને ટેન્ડર સ્ટેજ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં 10 કોલોનીના 09 ટેન્ડર પ્રસિદ્ધ થઈ કાર્યવાહી હેઠળે છે.જયારે અન્ય 56 પ્રોજેકટની કામગીરી વિવિધ તબક્કે કાર્યવાહી હેઠળ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...