Wednesday, January 14, 2026

નારણપુરા બાદ હવે નવા વાડજમાં પણ હાઉસિંગ બોર્ડની અનેક સોસાયટીઓ રીડેવલપમેન્ટના માર્ગે…!!

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં પૂર્વની સરખામણીમાં પશ્ચિમના અનેક વિસ્તારોમાં આવેલ હાઉસીંગ બોર્ડની હાઉસીંગ કોલોનીઓમાં છેલ્લાં એકાદ-બે વર્ષાેથી જાગૃતિમાં મોટો જુવાળ આવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. જેનું મુખ્ય કારણ એ છે કે મોટાભાગની સોસાયટીઓમાં 40 થી 45 વધુ વર્ષ જુની અને જર્જરિત થઈ છે. સોસાયટીઓમાં રોડ, લાઈટ, પાણી અને પાર્કિંગ સહિતની સમસ્યાઓ વિકરાળ બની રહી છે. જેના કારણે હાઉસીંગ બોર્ડની અનેક સોસાયટીઓ રિડેવલપમેન્ટમાં જાેડાઈ રહી છે ત્યારે નારણપુરા, સોલા બાદ હવે નવા વાડજમાં પણ નંદનવન એપાર્ટમેન્ટ, હરીઓમ એપાર્ટમેન્ટ, ગગનવિહાર એપાર્ટમેન્ટ જેવી હાઉસિંગ સોસાયટીઓ રીડેવલપમેન્ટ માટે વાટાઘાટો નિર્ણાયક તબક્કામાં હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.આ સિવાય બીજી અનેક સોસાયટીઓમાં રીડેવલપમેન્ટને લઈને રહીશોમાં ચર્ચાઓ શરૂ થઈ છે અને રહીશો સ્થાનિક એસોસિયેશન સમક્ષ રીડેવલપમેન્ટની માગણી કરી રહ્યા છે.

હાઉસીંગ બોર્ડના સુત્રો મુજબ, નવા વાડજ વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોડની નંદનવન એપાર્ટમેન્ટમાં ટેન્ડર થઈ ગયું છે, ડેવલપર સાથે વાટાઘાટો નિર્ણાયક તબક્કામાં હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય પલક એપાર્ટમેન્ટની બાજુમાં આવેલ ગગનવિહાર એપાર્ટમેન્ટમાં પણ ટેન્ડર થઈ ગયું છે, કેટલાંક અસંમત સભ્યોને બાદ કરતા બહુમતી સભ્યો રીડેવલપમેન્ટમાં જાેડાવવાનું મન બનાવી દીધું છે. અહીં પણ સોસાયટીના રહીશો અને આગેવાનોની ડેવલપર સાથે વાટાઘાટો નિર્ણાયક તબક્કામાં હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય હરીઓમ એપાર્ટમેન્ટમાં ટેન્ડર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

નવા વાડજ વિસ્તારમાં ઉત્સવ એપાર્ટમેન્ટમાં પણ એકવાર ટેન્ડર કેન્સલ થતા ફરીવાર સંમતિની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.જેમાં સંમતિ થતા ફરી ટેન્ડર પ્રક્રિયા શરૂ થવાની શક્યતાઓ જાેવાઈ રહી છે.આ સિવાય નવા વાડજમાં અખબારનગર પાસે આવેલ શિવશક્તિ એપાર્ટમેન્ટ અને આકાશદીપ એપાર્ટેન્ટમાં રીડેવલપેન્ટને લઈને સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે.સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયે રીડેવલપમેન્ટની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.આ ઉપરાંત શિવમ એપાર્ટમેન્ટ અને આનંદનગર એપાર્ટમેન્ટમાં સોસાયટીના રહીશો જર્જરિત બાંધકામ સહિતના પ્રશ્ને રીડેવલપમેન્ટની માંગ કરી રહ્યા છે.

હાલમાં નવા કુલ 126 કોલોનીઓના 65 જેટલા પ્રોજેકટ આયોજન હેઠળ અને ટેન્ડર સ્ટેજ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં 10 કોલોનીના 09 ટેન્ડર પ્રસિદ્ધ થઈ કાર્યવાહી હેઠળે છે.જયારે અન્ય 56 પ્રોજેકટની કામગીરી વિવિધ તબક્કે કાર્યવાહી હેઠળ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...