Saturday, November 15, 2025

નારણપુરા બાદ હવે નવા વાડજમાં પણ હાઉસિંગ બોર્ડની અનેક સોસાયટીઓ રીડેવલપમેન્ટના માર્ગે…!!

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં પૂર્વની સરખામણીમાં પશ્ચિમના અનેક વિસ્તારોમાં આવેલ હાઉસીંગ બોર્ડની હાઉસીંગ કોલોનીઓમાં છેલ્લાં એકાદ-બે વર્ષાેથી જાગૃતિમાં મોટો જુવાળ આવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. જેનું મુખ્ય કારણ એ છે કે મોટાભાગની સોસાયટીઓમાં 40 થી 45 વધુ વર્ષ જુની અને જર્જરિત થઈ છે. સોસાયટીઓમાં રોડ, લાઈટ, પાણી અને પાર્કિંગ સહિતની સમસ્યાઓ વિકરાળ બની રહી છે. જેના કારણે હાઉસીંગ બોર્ડની અનેક સોસાયટીઓ રિડેવલપમેન્ટમાં જાેડાઈ રહી છે ત્યારે નારણપુરા, સોલા બાદ હવે નવા વાડજમાં પણ નંદનવન એપાર્ટમેન્ટ, હરીઓમ એપાર્ટમેન્ટ, ગગનવિહાર એપાર્ટમેન્ટ જેવી હાઉસિંગ સોસાયટીઓ રીડેવલપમેન્ટ માટે વાટાઘાટો નિર્ણાયક તબક્કામાં હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.આ સિવાય બીજી અનેક સોસાયટીઓમાં રીડેવલપમેન્ટને લઈને રહીશોમાં ચર્ચાઓ શરૂ થઈ છે અને રહીશો સ્થાનિક એસોસિયેશન સમક્ષ રીડેવલપમેન્ટની માગણી કરી રહ્યા છે.

હાઉસીંગ બોર્ડના સુત્રો મુજબ, નવા વાડજ વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોડની નંદનવન એપાર્ટમેન્ટમાં ટેન્ડર થઈ ગયું છે, ડેવલપર સાથે વાટાઘાટો નિર્ણાયક તબક્કામાં હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય પલક એપાર્ટમેન્ટની બાજુમાં આવેલ ગગનવિહાર એપાર્ટમેન્ટમાં પણ ટેન્ડર થઈ ગયું છે, કેટલાંક અસંમત સભ્યોને બાદ કરતા બહુમતી સભ્યો રીડેવલપમેન્ટમાં જાેડાવવાનું મન બનાવી દીધું છે. અહીં પણ સોસાયટીના રહીશો અને આગેવાનોની ડેવલપર સાથે વાટાઘાટો નિર્ણાયક તબક્કામાં હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય હરીઓમ એપાર્ટમેન્ટમાં ટેન્ડર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

નવા વાડજ વિસ્તારમાં ઉત્સવ એપાર્ટમેન્ટમાં પણ એકવાર ટેન્ડર કેન્સલ થતા ફરીવાર સંમતિની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.જેમાં સંમતિ થતા ફરી ટેન્ડર પ્રક્રિયા શરૂ થવાની શક્યતાઓ જાેવાઈ રહી છે.આ સિવાય નવા વાડજમાં અખબારનગર પાસે આવેલ શિવશક્તિ એપાર્ટમેન્ટ અને આકાશદીપ એપાર્ટેન્ટમાં રીડેવલપેન્ટને લઈને સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે.સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયે રીડેવલપમેન્ટની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.આ ઉપરાંત શિવમ એપાર્ટમેન્ટ અને આનંદનગર એપાર્ટમેન્ટમાં સોસાયટીના રહીશો જર્જરિત બાંધકામ સહિતના પ્રશ્ને રીડેવલપમેન્ટની માંગ કરી રહ્યા છે.

હાલમાં નવા કુલ 126 કોલોનીઓના 65 જેટલા પ્રોજેકટ આયોજન હેઠળ અને ટેન્ડર સ્ટેજ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં 10 કોલોનીના 09 ટેન્ડર પ્રસિદ્ધ થઈ કાર્યવાહી હેઠળે છે.જયારે અન્ય 56 પ્રોજેકટની કામગીરી વિવિધ તબક્કે કાર્યવાહી હેઠળ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...