Wednesday, March 4, 2026

નવા વાડજની આ શાળાના વિદ્યાર્થીઓએ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં વિવિધ મોડલો રજૂ કરી ઉત્તમ વૈજ્ઞાનિક પ્રતિભા દર્શાવી

spot_img
Share

અમદાવાદ : બાળકોમાં સંશોધનની જીજ્ઞાસા વધવા, નવી ટેક્નોલોજીનો પરિચય મળે અને પાંગરતી પ્રતિભાના વિકાસ માટે વિશાળ મંચ મળે તે હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ વિષયક વિવિધ કક્ષાએ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવે છે. તે અનુસંધાને સપ્તર્ષિ શાળા વિકાસ સંકુલ નંબર–6 દ્વારા શ્રી ન્યુ વિદ્યાવિહાર સ્કૂલ ફોર ગર્લ્સ ખાતે સફળતા પૂર્વક યોજાયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલ શ્રી ન્યુ વિદ્યાવિહાર સ્કૂલ ફોર ગર્લ્સ ખાતે સપ્તર્ષિ શાળા વિકાસ સંકુલ નંબર–6 દ્વારા ગત 18-11-2025 ને મંગળવારના રોજ બાળ વૈજ્ઞાનીક પ્રદર્શનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આ અવસરે નવા વાડજમાં આવેલ લાયોનેસ કર્ણાવતી એમ.એચ. હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલ ના બાળ વૈજ્ઞાનિકોએ પાંચેય વિભાગોમાં તેમના મોડલો રજૂ કરી ઉત્તમ વૈજ્ઞાનિક પ્રતિભા દર્શાવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અને આ બાળ વૈજ્ઞાનીક પ્રદર્શનનું ઉદઘાટન અમદાવાદ શહેરના DEO શ્રી આર.એમ. ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.

વિશેષ નોંધનીય વાત એ છે કે આ વર્ષે કોમર્સ વિભાગના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને તેમના સર્જનાત્મક વિચારોને આકર્ષક મોડલોના માધ્યમથી રજૂ કર્યા હતા. તેમના આ નવોપક્રમે કાર્યક્રમમાં નવી ઊર્જા અને પ્રેરણા પૂરાઈ હતી.

આ સમગ્ર પ્રદર્શન દરમિયાન લાયોનેસ કર્ણાવતી એમ.એચ. હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલના ટ્રસ્ટી ડૉ. અનિતાબેન પટેલ અને પ્રિન્સિપલ શ્રી દીપકભાઈ પટેલ વિદ્યાર્થીઓને હિંમત આપવા સતત હાજર રહ્યા હતા. તેમના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...