Saturday, January 24, 2026

નવા વાડજમાં આ વિસ્તાર સહિતના વિસ્તારો ‘ઢોરમુક્ત ઝોન’ જાહેર કરવામાં આવ્યા, ઘાસ વેચવા પર પણ પ્રતિબંધ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં ભવિષ્યમાં કોમનવેલ્થ ગેમ્સ તથા ઓલિમ્પિકની યજમાનીને તંત્રએ ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું છે. આ બંને ઇવેન્ટના કારણે વારંવાર વી.આઈ.પી. તથા વી.વી.આઈ.પીની મુવમેન્ટ રહેતી હોય છે. જેને લઈ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મુખ્ય જાહેર વિસ્તારોમાંથી રખડતા ઢોરને હટાવવાનું શરૂ કરી દીધું છે.જો કોઈપણ ઢોર આ વિસ્તારમાં રખડતું જોવા મળશે તો તેના માલિક વિરુદ્ધ પોલીસ કમિશનર જાહેરનામા ભંગ બદલ પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર પોલીસ કમિશનરે ન્યૂ વાડજ, નારણપુરા અને સ્ટેડિયમ વોર્ડના કેટલાક વિસ્તારોને ‘નો-કેટલ’ (ઢોરમુક્ત) ઝોન જાહેર કર્યા છે. જો આ વિસ્તારોમાં રખડતા ઢોર જોવા મળશે, તો તેમના માલિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં, હવે જાહેર સ્થળો પર ઘાસ કે પશુ આહાર વેચવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.ઢોર ત્રાસ અંકુશ વિભાગ (C.N.C.D.) ના સંકલનમાં રહી આ જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ કાનુની કાર્યવાહી કરવામાં આવશે.

કેમ લેવામાં આવ્યો નિર્ણય
શહેરમાં દર અઠવાડિયે રખડતા ઢોરના કારણે માર્ગ અકસ્માતો થતા રહે છે. ઢોરની ટક્કરથી રાહદારીઓ કે ટુ-વ્હીલર સવારો ઘાયલ થયા હોય અથવા મૃત્યુ પામ્યા હોય તેવા અનેક કિસ્સાઓ નોંધાયા છે. આ લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાને ઉકેલવા અને મોટી ઇવેન્ટ્સ દરમિયાન વાહનોની સરળ અવરજવર સુનિશ્ચિત કરવા માટે, પોલીસે પસંદગીના વિસ્તારોમાં ઢોર પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.

રજિસ્ટ્રેશન ફરજિયાત
જાહેર નોટિસ મુજબ, ગાય અને ભેંસના માલિકો સહિત શહેરના તમામ ઢોર માલિકોએ 60 દિવસની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પાસે તેમના પશુઓની નોંધણી કરાવવી પડશે. દરેક પશુને રજિસ્ટ્રેશન ચિપ અથવા ટેગ લગાવવો પડશે. ઉપરાંત જો પશુની માલિકીમાં ફેરફાર થાય, તો તેની જાણ પણ AMC ને કરવી પડશે.

ઢોરમુક્ત જાહેર કરાયેલા વિસ્તારો
આ નોટિસમાં પશ્ચિમ ઝોનના મહત્વપૂર્ણ સ્થળોની યાદી આપવામાં આવી છે, જ્યાં ભીડ ભેગી થાય છે અને ટ્રાફિકને રખડતા ઢોરના કારણે અસર થતી હોય છે. આ વિસ્તારો હવે સત્તાવાર રીતે ‘ઢોરમુક્ત ઝોન’ તરીકે જાહેર કરાયા છે.

રિવરફ્રન્ટ
હેપ્પી સ્ટ્રીટ
ગુજરાત યુનિવર્સિટી
સીજી રોડ
ફ્લાવર પાર્ક
સરદાર પટેલ સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
ન્યૂ વાડજ વોર્ડમાં ભરવાડવાસ
શિવમ શાકમાર્કેટ
નિર્ણયનગર કેનાલ વિસ્તાર
જૂનો રાણીપ વિસ્તાર
સરદાર પટેલ સ્ટેડિયમ વિસ્તાર
નારણપુરા વોર્ડમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની આસપાસનો વિસ્તાર

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...