Saturday, April 25, 2026

નવા વાડજમાં આ વિસ્તાર સહિતના વિસ્તારો ‘ઢોરમુક્ત ઝોન’ જાહેર કરવામાં આવ્યા, ઘાસ વેચવા પર પણ પ્રતિબંધ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં ભવિષ્યમાં કોમનવેલ્થ ગેમ્સ તથા ઓલિમ્પિકની યજમાનીને તંત્રએ ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું છે. આ બંને ઇવેન્ટના કારણે વારંવાર વી.આઈ.પી. તથા વી.વી.આઈ.પીની મુવમેન્ટ રહેતી હોય છે. જેને લઈ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મુખ્ય જાહેર વિસ્તારોમાંથી રખડતા ઢોરને હટાવવાનું શરૂ કરી દીધું છે.જો કોઈપણ ઢોર આ વિસ્તારમાં રખડતું જોવા મળશે તો તેના માલિક વિરુદ્ધ પોલીસ કમિશનર જાહેરનામા ભંગ બદલ પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર પોલીસ કમિશનરે ન્યૂ વાડજ, નારણપુરા અને સ્ટેડિયમ વોર્ડના કેટલાક વિસ્તારોને ‘નો-કેટલ’ (ઢોરમુક્ત) ઝોન જાહેર કર્યા છે. જો આ વિસ્તારોમાં રખડતા ઢોર જોવા મળશે, તો તેમના માલિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં, હવે જાહેર સ્થળો પર ઘાસ કે પશુ આહાર વેચવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.ઢોર ત્રાસ અંકુશ વિભાગ (C.N.C.D.) ના સંકલનમાં રહી આ જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ કાનુની કાર્યવાહી કરવામાં આવશે.

કેમ લેવામાં આવ્યો નિર્ણય
શહેરમાં દર અઠવાડિયે રખડતા ઢોરના કારણે માર્ગ અકસ્માતો થતા રહે છે. ઢોરની ટક્કરથી રાહદારીઓ કે ટુ-વ્હીલર સવારો ઘાયલ થયા હોય અથવા મૃત્યુ પામ્યા હોય તેવા અનેક કિસ્સાઓ નોંધાયા છે. આ લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાને ઉકેલવા અને મોટી ઇવેન્ટ્સ દરમિયાન વાહનોની સરળ અવરજવર સુનિશ્ચિત કરવા માટે, પોલીસે પસંદગીના વિસ્તારોમાં ઢોર પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.

રજિસ્ટ્રેશન ફરજિયાત
જાહેર નોટિસ મુજબ, ગાય અને ભેંસના માલિકો સહિત શહેરના તમામ ઢોર માલિકોએ 60 દિવસની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પાસે તેમના પશુઓની નોંધણી કરાવવી પડશે. દરેક પશુને રજિસ્ટ્રેશન ચિપ અથવા ટેગ લગાવવો પડશે. ઉપરાંત જો પશુની માલિકીમાં ફેરફાર થાય, તો તેની જાણ પણ AMC ને કરવી પડશે.

ઢોરમુક્ત જાહેર કરાયેલા વિસ્તારો
આ નોટિસમાં પશ્ચિમ ઝોનના મહત્વપૂર્ણ સ્થળોની યાદી આપવામાં આવી છે, જ્યાં ભીડ ભેગી થાય છે અને ટ્રાફિકને રખડતા ઢોરના કારણે અસર થતી હોય છે. આ વિસ્તારો હવે સત્તાવાર રીતે ‘ઢોરમુક્ત ઝોન’ તરીકે જાહેર કરાયા છે.

રિવરફ્રન્ટ
હેપ્પી સ્ટ્રીટ
ગુજરાત યુનિવર્સિટી
સીજી રોડ
ફ્લાવર પાર્ક
સરદાર પટેલ સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
ન્યૂ વાડજ વોર્ડમાં ભરવાડવાસ
શિવમ શાકમાર્કેટ
નિર્ણયનગર કેનાલ વિસ્તાર
જૂનો રાણીપ વિસ્તાર
સરદાર પટેલ સ્ટેડિયમ વિસ્તાર
નારણપુરા વોર્ડમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની આસપાસનો વિસ્તાર

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...