Monday, January 19, 2026

અમદાવાદમાં ભારત એક ગાથા થીમ પર વિશ્વનો સૌથી મોટો ફ્લાવર શો, તસવીરો જોઈ મોજ પડશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે પણ સાબરમતી રિવરફ્રન્ટ પર ભવ્ય ઇન્ટરનેશનલ ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવ્યું છે. 1 જાન્યુઆરીના રોજ સવારે 9 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ મહોત્સવનું ઉદ્ઘાટન કરાયું, જે 25 જાન્યુઆરી સુધી ચાલશે. આ વખતે ફ્લાવર શૉ સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠે સરદાર બ્રિજથી સ્વામી વિવેકાનંદ બ્રિજની વચ્ચે આવેલા ઇવેન્ટ સેન્ટર અને ફ્લાવર ગાર્ડનમાં કુલ 73,000 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં પથરાયેલો છે.

આ ફ્લાવર શો વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો અને લાંબા સમય સુધી ચાલનારો ફ્લાવર શો હોવાનું કહેવાય છે. દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો આ શોની મુલાકાત લે છે, અને આ વર્ષે પણ રેકોર્ડબ્રેક આવકની આયોજકોને અપેક્ષા છે. પાછલા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી, જે તેની વધતી લોકપ્રિયતા દર્શાવે છે.

આ 14મા આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોમાં અનેક નવા આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે. ભારત એક ગાથા થીમને અનુરૂપ, અહીં 30 મીટર વ્યાસવાળું ભવ્ય ફૂલ મંડળથી સરદાર પટેલનું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે, જે ગિનીસ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવી શકે છે. આ ઉપરાંત હાઈ-સ્પીડ રેલ, નવીનીકરણીય ઉર્જા, સ્પોર્ટ્સ ક્ષેત્રે ભારતની સિદ્ધિઓ, અંતરિક્ષ ટેકનોલોજી અને શિક્ષણ ક્ષેત્રે પ્રાપ્ત પ્રગતિને ફૂલોના સ્કલ્પચર દ્વારા રજૂ કરવાનો પ્રયાસ કરાયો છે.

બાળકોના મનોરંજન અને જ્ઞાનવર્ધન માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કુચીપુડી, ભાંગડા, ગરબા, કથકલી જેવા વિવિધ ભારતીય નૃત્યોના સ્કલ્પચર અને લોકપ્રિય કાર્ટૂન કેરેક્ટરના ફૂલ શિલ્પો પ્રદર્શિત કરાયા છે. સમુદ્રમંથન જેવા પૌરાણિક પ્રસંગોના સ્કલ્પચર દ્વારા બાળકોને ભારતની ધરોહર અને સંસ્કૃતિ વિશે જાણકારી આપવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં આજથી આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોની ભવ્ય શરૂઆત થઈ ગઈ છે. 22 જાન્યુઆરી સુધી ચાલનારા આ ફ્લાવર શોનું આયોજન ‘ભારત એક ગાથા’ થીમ હેઠળ કરવામાં આવ્યું છે. વિસ્તારની દ્રષ્ટિએ આ ફ્લાવર શો વિશ્વનો સૌથી મોટો ઈન્ટરનેશનલ ફ્લાવર શો માનવામાં આવે છે, જેમાં દેશ-વિદેશના લાખો મુલાકાતીઓને આકર્ષવાની ક્ષમતા છે.

આ ફ્લાવર શોમાં વિવિધ પ્રકારના રંગબેરંગી ફૂલો, આકર્ષક ફૂલની રચનાઓ અને ભારતની સંસ્કૃતિ તથા વારસાને રજૂ કરતી અનોખી કલાત્મક રજૂઆતો જોવા મળશે. ‘ભારત એક ગાથા’ થીમ અંતર્ગત ભારતીય ઇતિહાસ, પરંપરા અને સાંસ્કૃતિક વૈવિધ્યને ફૂલોની મદદથી જીવંત રીતે રજૂ કરવામાં આવ્યું છે, જે મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.

ફ્લાવર શોની ટિકિટના દર પણ જાહેર કરવામાં આવ્યા છે. સોમવારથી શુક્રવાર દરમિયાન મુલાકાતીઓ માટે ટિકિટનો દર 80 રૂપિયા રાખવામાં આવ્યો છે, જ્યારે શનિવાર, રવિવાર અને જાહેર રજાના દિવસોમાં ટિકિટ માટે 100 રૂપિયા ચૂકવવા પડશે. આ ઉપરાંત વિશેષ પ્રાઈમ સ્લોટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પ્રાઈમ સ્લોટ સવારે 8થી 9 વાગ્યા સુધી અને રાત્રે 10થી 11 વાગ્યા સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન ઓછા ભીડમાં શો નિહાળવાની તક મળશે. પ્રાઈમ સ્લોટ માટે મુલાકાતીઓને 500 રૂપિયાની ટિકિટ ચૂકવવી પડશે.

અમદાવાદનો આ આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો કુદરત પ્રેમીઓ, પ્રવાસીઓ અને પરિવાર સાથે ફરવા ઇચ્છતા લોકો માટે એક અનોખો અને યાદગાર અનુભવ સાબિત થવાનો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...