Friday, November 28, 2025

નારણપુરામાં રામેશ્વર એપાર્ટમેન્ટમાં રિડેવલપમેન્ટની મંજૂરી મળતાં કરાઈ ભવ્ય ઉજવણી

spot_img
Share

અમદાવાદ : શહેરના નારણપુરા ખાતે આવેલ રામેશ્વર એપાર્ટમેન્ટનાં રિડેવલપમેન્ટની મંજૂરી મળતાં સોસાયટીના રહીશો દ્વારા એકબીજાને મીઠાઈ ખવડાવી, ઢોલ-શંખનાદ અને ગરબા અને રાતે ફટાકડાની આતશબાજી સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.2019 થી શરૂ થયેલ રિડેવલપમેન્ટ પ્રક્રિયા આખરે 2022માં પૂર્ણ થતા રહીશો ખુશખુશાલ જણાયા હતા.

ગત તા-07-09-2022 ને બુધવારના રોજ પ્રગતિનગર ખાતે આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડની ઓફિસ ખાતે શુભમુહર્તમાં રામેશ્વર એપાર્ટમેન્ટ એસોસિયેશન અને શ્રીધર ઈન્ફ્રાકોન તથા ગુજરાત હાઉસીંગ બોર્ડ એમ ત્રણે પક્ષનો રિડેવલપમેન્ટ માટે ત્રી-પક્ષીય કરાર હાઉસીંગ બોર્ડની કચેરી ખાતે કરવામાં આવ્યો હતો.જેમાં સોસાયટીના એસોસિયેશનના સભ્યો અને રહીશો ઉપસ્થિત રહ્યા હતા.

રામેશ્વર એપાર્ટમેન્ટના પ્રમુખ સંદિપ ત્રિવેદીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે 312 મકાનની અને 1200 થી વધુ રહીશોવાળી સોસાયટીમાં 90 ટકા થી વધુ સકારાત્મક વલણથી સંમત સભ્યોએ ભેગા મળી સોસાયટીને રિડેવલપમેન્ટમાં લઇ જઇ ભગીરથ કાર્યને પાર પાડયું છે. જેમાં એસોસિએશન કારોબારી સભ્યો, રહીશો અને બિલ્ડર બધાની સુઝબુઝથી પોલિસીની મર્યાદામાં રહી વધારાની માંગણીઓ સિવાય આ પ્રક્રિયામાં સુંદર ડીલ કરી એકતાના સંદેશ સાથે મોટી સોસાયટીને સમૂહ સાથે સ્વેચ્છાએ રિડેવલપમેન્ટમાં લઇ જઈ ઇતિહાસ રચીને અન્ય રિડેવલપમેન્ટ ઇચ્છતી સોસાયટીઓ માટે પ્રેરણાદાયી દાખલો બેસાડ્યો છે.

તેઓએ રિડેવલપમેન્ટ અંગે વધુમાં જણાવ્યું હતું કે કુલ 14 માળના 15 ટાવર બનશે તથા હાલમાં રહીશો જે બાજુ કે જગ્યા પર છે ત્યાં જ તેમને ફાળવણી અને વૈક્લ્પીક વ્યવસ્થા પેટે ખાલી કરેલ તારીખથી મકાન ભાડું નવા મકાનનું પઝેશન મળે ત્યાં સુધી વાર્ષિક વધારા સાથે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. હયાત વિસ્તાર કરતા 40% વિસ્તારનું મકાન મળશે. હાલ 2 બીએચકે છે તેની જગાએ 3બીએચકે મકાન અદ્યતન સુવીધાઓ અને સગવડ સાથે 3 વર્ષ બાદ મળશે.

રામેશ્વર એપાર્ટમેન્ટમાં રિડેવલપમેન્ટની મંજૂરી બાદ ઐતીહાસીક કાર્યની સફળતાની ઉજવણીના ભાગરૂપ સોસાયટીમાં સાંજે રહીશો અને હોદેદારો દ્વારા એકબીજાને મીઠાઈ ખવડાવી ગળ્યું મોંઢુ કરાયું હતું. સાથે સાથે ઢોલ-શંખનાદ અને ગરબા સાથે ફટાકડાની આતશબાજી કરીને રિડેવલપમેન્ટની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...