Sunday, March 1, 2026

નારણપુરામાં રામેશ્વર એપાર્ટમેન્ટમાં રિડેવલપમેન્ટની મંજૂરી મળતાં કરાઈ ભવ્ય ઉજવણી

spot_img
Share

અમદાવાદ : શહેરના નારણપુરા ખાતે આવેલ રામેશ્વર એપાર્ટમેન્ટનાં રિડેવલપમેન્ટની મંજૂરી મળતાં સોસાયટીના રહીશો દ્વારા એકબીજાને મીઠાઈ ખવડાવી, ઢોલ-શંખનાદ અને ગરબા અને રાતે ફટાકડાની આતશબાજી સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.2019 થી શરૂ થયેલ રિડેવલપમેન્ટ પ્રક્રિયા આખરે 2022માં પૂર્ણ થતા રહીશો ખુશખુશાલ જણાયા હતા.

ગત તા-07-09-2022 ને બુધવારના રોજ પ્રગતિનગર ખાતે આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડની ઓફિસ ખાતે શુભમુહર્તમાં રામેશ્વર એપાર્ટમેન્ટ એસોસિયેશન અને શ્રીધર ઈન્ફ્રાકોન તથા ગુજરાત હાઉસીંગ બોર્ડ એમ ત્રણે પક્ષનો રિડેવલપમેન્ટ માટે ત્રી-પક્ષીય કરાર હાઉસીંગ બોર્ડની કચેરી ખાતે કરવામાં આવ્યો હતો.જેમાં સોસાયટીના એસોસિયેશનના સભ્યો અને રહીશો ઉપસ્થિત રહ્યા હતા.

રામેશ્વર એપાર્ટમેન્ટના પ્રમુખ સંદિપ ત્રિવેદીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે 312 મકાનની અને 1200 થી વધુ રહીશોવાળી સોસાયટીમાં 90 ટકા થી વધુ સકારાત્મક વલણથી સંમત સભ્યોએ ભેગા મળી સોસાયટીને રિડેવલપમેન્ટમાં લઇ જઇ ભગીરથ કાર્યને પાર પાડયું છે. જેમાં એસોસિએશન કારોબારી સભ્યો, રહીશો અને બિલ્ડર બધાની સુઝબુઝથી પોલિસીની મર્યાદામાં રહી વધારાની માંગણીઓ સિવાય આ પ્રક્રિયામાં સુંદર ડીલ કરી એકતાના સંદેશ સાથે મોટી સોસાયટીને સમૂહ સાથે સ્વેચ્છાએ રિડેવલપમેન્ટમાં લઇ જઈ ઇતિહાસ રચીને અન્ય રિડેવલપમેન્ટ ઇચ્છતી સોસાયટીઓ માટે પ્રેરણાદાયી દાખલો બેસાડ્યો છે.

તેઓએ રિડેવલપમેન્ટ અંગે વધુમાં જણાવ્યું હતું કે કુલ 14 માળના 15 ટાવર બનશે તથા હાલમાં રહીશો જે બાજુ કે જગ્યા પર છે ત્યાં જ તેમને ફાળવણી અને વૈક્લ્પીક વ્યવસ્થા પેટે ખાલી કરેલ તારીખથી મકાન ભાડું નવા મકાનનું પઝેશન મળે ત્યાં સુધી વાર્ષિક વધારા સાથે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. હયાત વિસ્તાર કરતા 40% વિસ્તારનું મકાન મળશે. હાલ 2 બીએચકે છે તેની જગાએ 3બીએચકે મકાન અદ્યતન સુવીધાઓ અને સગવડ સાથે 3 વર્ષ બાદ મળશે.

રામેશ્વર એપાર્ટમેન્ટમાં રિડેવલપમેન્ટની મંજૂરી બાદ ઐતીહાસીક કાર્યની સફળતાની ઉજવણીના ભાગરૂપ સોસાયટીમાં સાંજે રહીશો અને હોદેદારો દ્વારા એકબીજાને મીઠાઈ ખવડાવી ગળ્યું મોંઢુ કરાયું હતું. સાથે સાથે ઢોલ-શંખનાદ અને ગરબા સાથે ફટાકડાની આતશબાજી કરીને રિડેવલપમેન્ટની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...