Thursday, April 16, 2026

નારણપુરામાં રામેશ્વર એપાર્ટમેન્ટમાં રિડેવલપમેન્ટની મંજૂરી મળતાં કરાઈ ભવ્ય ઉજવણી

spot_img
Share

અમદાવાદ : શહેરના નારણપુરા ખાતે આવેલ રામેશ્વર એપાર્ટમેન્ટનાં રિડેવલપમેન્ટની મંજૂરી મળતાં સોસાયટીના રહીશો દ્વારા એકબીજાને મીઠાઈ ખવડાવી, ઢોલ-શંખનાદ અને ગરબા અને રાતે ફટાકડાની આતશબાજી સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.2019 થી શરૂ થયેલ રિડેવલપમેન્ટ પ્રક્રિયા આખરે 2022માં પૂર્ણ થતા રહીશો ખુશખુશાલ જણાયા હતા.

ગત તા-07-09-2022 ને બુધવારના રોજ પ્રગતિનગર ખાતે આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડની ઓફિસ ખાતે શુભમુહર્તમાં રામેશ્વર એપાર્ટમેન્ટ એસોસિયેશન અને શ્રીધર ઈન્ફ્રાકોન તથા ગુજરાત હાઉસીંગ બોર્ડ એમ ત્રણે પક્ષનો રિડેવલપમેન્ટ માટે ત્રી-પક્ષીય કરાર હાઉસીંગ બોર્ડની કચેરી ખાતે કરવામાં આવ્યો હતો.જેમાં સોસાયટીના એસોસિયેશનના સભ્યો અને રહીશો ઉપસ્થિત રહ્યા હતા.

રામેશ્વર એપાર્ટમેન્ટના પ્રમુખ સંદિપ ત્રિવેદીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે 312 મકાનની અને 1200 થી વધુ રહીશોવાળી સોસાયટીમાં 90 ટકા થી વધુ સકારાત્મક વલણથી સંમત સભ્યોએ ભેગા મળી સોસાયટીને રિડેવલપમેન્ટમાં લઇ જઇ ભગીરથ કાર્યને પાર પાડયું છે. જેમાં એસોસિએશન કારોબારી સભ્યો, રહીશો અને બિલ્ડર બધાની સુઝબુઝથી પોલિસીની મર્યાદામાં રહી વધારાની માંગણીઓ સિવાય આ પ્રક્રિયામાં સુંદર ડીલ કરી એકતાના સંદેશ સાથે મોટી સોસાયટીને સમૂહ સાથે સ્વેચ્છાએ રિડેવલપમેન્ટમાં લઇ જઈ ઇતિહાસ રચીને અન્ય રિડેવલપમેન્ટ ઇચ્છતી સોસાયટીઓ માટે પ્રેરણાદાયી દાખલો બેસાડ્યો છે.

તેઓએ રિડેવલપમેન્ટ અંગે વધુમાં જણાવ્યું હતું કે કુલ 14 માળના 15 ટાવર બનશે તથા હાલમાં રહીશો જે બાજુ કે જગ્યા પર છે ત્યાં જ તેમને ફાળવણી અને વૈક્લ્પીક વ્યવસ્થા પેટે ખાલી કરેલ તારીખથી મકાન ભાડું નવા મકાનનું પઝેશન મળે ત્યાં સુધી વાર્ષિક વધારા સાથે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. હયાત વિસ્તાર કરતા 40% વિસ્તારનું મકાન મળશે. હાલ 2 બીએચકે છે તેની જગાએ 3બીએચકે મકાન અદ્યતન સુવીધાઓ અને સગવડ સાથે 3 વર્ષ બાદ મળશે.

રામેશ્વર એપાર્ટમેન્ટમાં રિડેવલપમેન્ટની મંજૂરી બાદ ઐતીહાસીક કાર્યની સફળતાની ઉજવણીના ભાગરૂપ સોસાયટીમાં સાંજે રહીશો અને હોદેદારો દ્વારા એકબીજાને મીઠાઈ ખવડાવી ગળ્યું મોંઢુ કરાયું હતું. સાથે સાથે ઢોલ-શંખનાદ અને ગરબા સાથે ફટાકડાની આતશબાજી કરીને રિડેવલપમેન્ટની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...