Sunday, January 25, 2026

અમદાવાદમાં ફિલ્મને ટક્કર મારે તેવી ઘટના : દિલ તૂટ્યું ને ચોરીનો રસ્તો, પત્નીની બેવફાઈ અને પતિ બન્યો એક્ટિવા ચોર

spot_img
Share

અમદાવાદ: અમદાવાદમાંથી એક એવો રીઢો વાહનચોર પકડાયો છે, જેના ગુનાહિત ઈતિહાસની સાથે જીવનની પણ એક કહાની ફિલ્મી જેવી છે. LCB ઝોન 1 એ હિતેશ જૈન નામના રીઢા વાહન ચોરને પાંચ ટુ-વ્હીલર સાથે ઝડપી લીધો છે. 3 વર્ષ, 150 એક્ટિવા અને 71 ગુના.. આ કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટ નથી, પણ એક અમદાવાદ શહેરમાં અગાઉ 100 વખત પકડાયા બાદ ફરી એની એ જ ઘટનાને અંજામ આપી હાલ 101 વાર પકડાયેલા આરોપીની હકીકત છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ LCB ઝોન 1 એ પૂર્વ બાતમીને આધારે બાઈક ચોરીના કેસમાં અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલ કિરણ અપાર્ટમેન્ટમાં રહેલા 48 વર્ષિય હિતેશ જૈનની ધરપકડ કરી છે. પોલીસને બાતમી મળી હતી કે, શાહીબાગનો રહેવાસી આ હિતેશ જૈન અગાઉ ઘણીબધી વાર વાહન ચોરીના કેસમાં પકડાયો છે અને હાલમાં પણ ચોરાયેલા કેટલાક વાહનો તેની પાસે રહેલા છે. જેથી આ બાતમીના આધારે LCB ઝોન 1 તેની તપાસ કરતા તેની પાસેથી 4 એક્ટિવા સહિત કુલ 5 વાહનો મળી આવ્યા હતા.

બાદમાં તેની પૂછપરછમાં જે તથ્યો બહાર આવ્યા તે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી છે અને પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે છેલ્લા 3 વર્ષમાં તેણે 100 થી વધુ એક્ટિવા ચોર્યા છે. જેમાંથી 71 જેટલા ચોરાયેલા વાહન તો પોલીસના રેકોર્ડમાં પણ દાખલ છે. આટલું જ નહીં તે અત્યાર સુધી તે 100થી વધુ વાર પોલીસના હાથે પકડાઈ ચૂક્યો છે, પણ જેલમાંથી બહાર આવતા જ ફરી એ જ ‘એક્ટિવા મિશન’ પર નીકળી પડતો હતો.

જોકે ટુ-વ્હીલર જ ચોરી કરવા પાછળનું કારણ એવું સામે આવ્યું છે કે તેની પત્નીની બેવફાઇના લીધે તે આ રવાડે ચઢ્યો હતો. તેણે તેની પત્નીને ટુ-વ્હીલર ભેટમાં આપ્યું તે ટુ-વ્હીલર લઈ પત્ની તેના પ્રેમીને મળવા જતી હતી. જેથી હિતેશને એટલી નફરત થઈ ગઈ તે સ્કૂટર ચોર બની ગયો. તે એક જગ્યાએથી ટુ-વ્હીલર ચોરી કરતો અને પેટ્રોલ પૂરું થઇ જાય ત્યાં જ બિનવારસી મૂકીને બીજેથી નવું ટુ-વ્હીલર ચોરીને શહેરમાં ફરતો હતો.

હાલ હિતેશની કડક પૂછપરછમાં ચોરીના એક્ટિવાના રાઝ તો ખુલ્યા છે અને તેની પાસેથી ચોરેલા 5 એક્ટિવા જપ્ત કરાયા છે. જોકે હિતેશે અમદાવાદ સિવાય ગુજરાતના અન્ય જિલ્લામાં વાહન ચોરીને અંજામ આપ્યો છે કે કેમ? તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. આમ, હાલ તો અમદાવાદ પોલીસે હિતેશના આ ‘એક્ટિવા કનેક્શન’ પર બ્રેક લગાવી દીધી છે. પણ સવાલ એ છે કે, શું જેલમાંથી છૂટ્યા પછી હિતેશનો આ બદલો શાંત થશે કે ફરી કોઈ નવું એક્ટિવા ચોરાશે?

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...