Thursday, September 18, 2025

મેટ્રીમોનિયલ સાઇટથી પરિવારો શોધતા સાવધાન : સિંધુ ભવનની હોટલ તાજ સ્કાયમાં ગુગલની મહિલા કર્મચારી પર દુષ્કર્મ

Share

Share

અમદાવાદ : શહેરના સિંધુ ભવન રોડ પરની સિંધુ ભવનની હોટલ તાજ સ્કાયમાં ગુગલમાં કામ કરતી ૨૭ વર્ષીય યુવતી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. મેટ્રીમોનિયલ સાઇટ બંને યુવક યુવતી વચ્ચે પરિચય થયો હતો. અને બાદમાં પરિવારજનોએ મળીને સગાઇ પણ નક્કી કરી દીધી હતી. જોકે યુવકે ચા મા કેફી પીણું પીવડાવી બળાત્કાર ગુજારી સગાઈ તોડી નાખી હોવાની ફરિયાદ નોંધાઈ છે. જે અંગે સરખેજ પોલીસે ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મૂળ હૈદરાબાદની યુવતી અમદાવાદ આઈઆઈએમ ખાતે સેમિનારમાં ભાગ લેવા અમદાવાદ આવી હતી. google કંપનીમાં કામ કરતી યુવતી હોટલ તાજ સ્કાય લાઈનમાં રોકાઈ હતી. તે સમયે મેટ્રોમોનિયલ સાઈટ પરથી પરિચયમાં આવેલા યુવક આમીર અકિલ શેખ તેને મળવા આવ્યો અને સગાઈ નક્કી થઈ હોવાથી તેણે યુવતીને ડિનર ડેટ માટે ઓફર કરી હતી. બીજા દિવસે યુવકે હોટલ પર જઈ યુવતીની ચા મા કેફી પીણું પીવડાવી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. જે અંગેની જાણ હૈદરાબાદ જઈ પરિવારને કરતા પરિવારે હૈદરાબાદના સાયબરાબાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ ઝીરો નંબરથી સરખેજ પોલીસ મથકમાં ટ્રાન્સફર થતા પોલીસે બળાત્કારી યુવકની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે.

ઝડપાયેલા આરોપી આમિર શેખ આઈટીસી કંપનીમાં એક્સીક્યુટીવ તરીકે કામ કરે છે અને તેની ફિયાન્સની મરજી વિના તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. ફરિયાદમાં કરેલા આક્ષેપો મુજબ ચા પીધા બાદ યુવતી બેભાન થઈ ગઈ હતી. જ્યારે તે ભાનમાં આવી ત્યારે તેના શરીર પર કપડાં ન હતા. સાથે જ આમિર તેની સાથે સૂતો હતો. જેથી યુવતીએ તેનો વિરોધ કરતા હોટલમાં હોબાળો પણ થયો હતો. જોકે યુવતીએ હૈદરાબાદ જઈને આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ઉપરાંત યુવક અને તેના પરિવાર એ જ્યોતિ સાથેની સગાઈ તોડી નાખતા યુવતીએ આત્મહત્યાની કોશિશ કરી હોવાની પણ હકીકત સામે આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...