Thursday, March 12, 2026

2024ની લોકસભાની ચૂંટણીમાં કોઇ સ્‍પર્ધા નથી, સમગ્ર દેશ PM મોદી સાથે છે : અમિત શાહ

spot_img
Share

નવી દિલ્હી : મંગળવારના રોજ એક વાતચીત દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું કે, આ વર્ષે જે પણ રાજ્યોમાં ચૂંટણી થવાની છે તેમાં ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશે. આટલુ જ નહીં, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વર્ષ 2024માં આયોજિત લોકસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીની કોઈ સ્પર્ધા નથી, કારણકે દેશના લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન આપી રહ્યા છે.

ન્યુઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં અમિત શાહે જણાવ્યું કે, 8 વર્ષના ટૂંકા ગાળામાં અમે 60 કરોડ ગરીબ લોકોના જીવનધોરણમાં સુધાર લાવવાનો પ્રયત્ન કર્યો છે. અમે ઘણી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. રેલવેમાં મોટા સુધારા કરવામાં આવ્યા છે, સ્પેસ સેક્ટરમાં નવી પોલિસી લાવવામાં આવી છે અને અમે આ ક્ષેત્રમાં સૌથી આગળ પહોંચવાની તૈયારી કરી રહ્યા છીએ. ડ્રોન સેક્ટરમાં પણ આપણે આગળ વધી રહ્યા છીએ.તેમણે કહ્યું કે આ સરકારે પોતાના 8 વર્ષમાં ઘણું કામ કર્યું છે. તેથી જ આજે જનતાએ લોકસભામાં મુખ્‍ય વિરોધ પક્ષનું લેબલ કોઈને આપ્‍યું નથી.

આટલુ જ નહીં, અમિત શાહે કર્ણાટક, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 2024ની ચૂંટણીનો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ કહ્યું કે, ભારતે લગભગ તમામ ક્ષેત્રોમાં વૃદ્ધિ કરી છે અને આપણી અત્યંત ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા છે. આંતરિક સુરક્ષાથી લઈને દેશને ઉત્પાદનના હબ બનાવવા સુધી, અનેક ક્ષેત્રોમાં પ્રગતિ થઈ છે. ડિફેન્સ ક્ષેત્રમાં આપણી અન્ય દેશો પરથી નિર્ભરતામાં ઘટાડો થયો છે. અમિત શાહે વધુમાં જણાવ્યું કે, ભારતની સફળતાની નોંધ વૈશ્વિક ધોરણે લેવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...