Wednesday, January 14, 2026

ગરમીનો પારો એકદમ વધતા શાળાનો સમય બદલવાની માંગ : પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ

spot_img
Share

ગાંધીનગર : ગુજરાતમાં માર્ચ મહિનામાં જ મે મહિના જેવી ગરમીની ઈફેક્ટ આવી ગઈ છે. ગુજરાતમાં આગામી બે દિવસ આકરી ગરમીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે. તો આગામી દિવસોમાં 37 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. આવામાં રાજ્યની પ્રાથમિક શાળાનો સમય સવારનો કરવાની માંગ ઉઠી છે. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા સરકારને પત્ર લખી શાળાનો સમય બદલવા માંગ કરાઈ છે.

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે પત્રમાં લખ્યું કે, ચાલુ વર્ષે ગરમીનું પ્રમાણ ખૂબ જ છે અને હાલ ગરમીનો પારો એકદમ વધી રહ્યો છે. સવારે 11.00 કલાકથી જ ગરમીનું પ્રમાણ એકદમ વધે છે અને વિદ્યાર્થીઓ લૂ લાગવાથી બીમાર પડતા હોય છે. આવા અનેક કિસ્સા જોવા મળે છે. ગરમીના કારણે વિદ્યાર્થીઓની હાજરીમાં શૈક્ષણિક કાર્યમાં પણ તેની અસર જોવા મળે છે. ચાલુ વર્ષે પણ વધારે ગરમી અને પાણીની સમસ્યાના કારણે રાજ્યની પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની વિનંતી છે.

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાતે પત્ર લખી રાજ્યની પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરવાની માંગ કરી છે. સવારે 11 વાગ્યાથી ગરમી વધતી હોવાથી વિદ્યાથીઓને લૂ લાગવાની સંભાવના છે. જેનાથી બાળકો બીમાર પડી શકે છે. કેટલાક જિલ્લાઓમાં પાણીના સ્તર પણ નીચા જવાથી પાણી સમસ્યા સર્જાઈ શકે છે, તેથી શાળાનો સમય સવારનો કરવામાં આવે એવી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માંગ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...