Thursday, November 13, 2025

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું આ થીમ પર રિડેવલપ કરવાનો નિર્ણય, જાણો થીમની ખાસીયતો ?

spot_img
Share

અમદાવાદ : ભારતીય રેલવેએ અમદાવાદના છ સહિત રાજ્યમાં 87 સ્ટેશનોનો પુનર્વિકાસનું કામ હાથ ધર્યું છે. અમદાવાદ જંક્શન (કાલુપુર) સ્ટેશનનો પુનર્વિકાસ કામગીરી દિવાળી સુધીમાં શરુ થવાની સંભાવના છે. અમદાવાદના અન્ય પાંચ સ્ટેશનો સાબરમતી, ગાંધીગ્રામ, મણિનગર, ચાંદલોડિયા અને અસારવા રિડેવલપ કરવાના છે.

જેમાં અમદાવાદના સૌથી ભરચક એવા કાલુપુર રેલવે સ્ટેશનને મોઢેરાના સૂર્યમંદિરની થીમ પર નવેસરથી રિડેવલપ કરવાનો નિર્ણય લેવાયો છે. જે કામગીરી 36 મહિનામાં પૂરી થશે. કાલુપુર બ્રિજથી સારંગપુર બ્રિજ સુધીના વિસ્તારમાં ડેવલપ થનારા આ સ્ટેશન પર એલિવેટેડ રોડ નેટવર્કથી બુલેટ-મેટ્રો ટ્રેન, બીઆરટીએસ કનેક્ટિવિટી મળશે.

મીડિયા રિપોર્ટ મુજબ આ પ્રોજેક્ટમાં મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ, મલ્ટિ લેવલ કાર પાર્કિંગ, સ્કાયવોક, લેન્ડસ્કેપ પ્લાઝા હશે. કાલુપુર તરફ મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ બિલ્ડિંગનું ટાવર શહેર માટે એક નવું લેન્ડમાર્ક બનશે. આ ઉપરાંત ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા બન્ને ઝુલતા મિનારાને સ્ટેશન પરિસરમાં જ સાંકળી લેવામાં આવશે. તેની સાથે જ આ સ્ટેશનની ડિઝાઇનમાં અડાલજની વાવની થીમ પર એક ઓપન સ્પેસ એમ્ફીથિયેટર તૈયાર કરાશે.

રેલવે ટ્રેકની ઉપર 15 એકર એરિયામાં કોન્કોર્સ પ્લાઝા પેસેન્જરો માટે વેઈટિંગ એરિયા હશે. જેમાં શૌચાલય, પીવાનું પાણી, ફૂડ કોર્ટ, રિટેલ આઉટલેટ્સ, કિઓસ્ક, બેબી ફીડિંગ રૂમ વગેરે જેવી સુવિધાઓ હશે. સ્ટેશન પરિસરમાં ભીડ કર્યા વગર સરળતાથી અવરજવર કરી શકશે. તેની સાથે અંડરગ્રાઉન્ડ પાર્કિંગની સુવિધા સાથે સ્ટેશન પરિસરમાં લિફ્ટ અને એસ્કેલેટર લગાવવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...