Saturday, January 31, 2026

સાબરમતી રિવરફ્રન્ટ પર વિરાંજલી કાર્યક્રમ મૌકૂફ રખાયો, હવે પછી આ તારીખે યોજાશે

spot_img
Share

અમદાવાદ : ગુરુવારે શહીદ દીને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આજે વિરાંજલી સમિતિ દ્વારા વિરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ મોડી સાંજે ભારે પવન સાથે શહેરમાં વરસાદ શરૂ થયો હતો.વરસાદને કારણે ગ્રાઉન્ડ અને સ્ટેજ પર પાણી ભરાયું હતું. સાઉન્ડ સિસ્ટમમાં પણ પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે વિરાંજલી કાર્યક્રમને રદ કરવો પડ્યો હતો.વિરાંજલી કાર્યક્રમની નવી તારીખ 20 એપ્રિલ ગુરુવારે રાખવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ આજે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 100 જેટલા કલાકારો દ્વારા ભવ્ય વિરાંજલી કાર્યક્રમ યોજવાનો હતો. પરંતુ મોડી સાંજે પડેલા વરસાદના કારણે સ્ટેજ ઉપર પાણી ભરાઈ ગયું હતું તેમજ બેસવાની વ્યવસ્થામાં પણ પાણી ભરાયું હતું. સાઉન્ડ સિસ્ટમ પણ પાણી ભરાયું છે. 100 જેટલા કલાકારો એક સાથે સ્ટેજ ઉપર પર્ફોર્મન્સ કરવાના હતા પરંતુ ભારે વરસાદને ધ્યાનમાં રાખી અને કાર્યક્રમને રદ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમના નવી તારીખ 20 એપ્રિલ ગુરુવારે સાબરમતી રિવરફ્રન્ટ પર રાખવામાં આવેલ છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાંજે સાત વાગ્યાથી જ મોટી સંખ્યામાં લોકો સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે કાર્યક્રમ જોવા માટે પહોંચ્યા હતા. ભાજપના તમામ વોર્ડમાંથી 50થી વધુ કાર્યકર્તાઓને આ વિરાંજલી કાર્યક્રમમાં ભાગ લેવા માટે કોર્પોરેટરોને સૂચના આપવામાં આવી હતી, પરંતુ વરસાદના કારણે રદ થતા અધવચ્ચેથી જ તેઓને પરત ફરવું પડ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...