Tuesday, September 16, 2025

સાબરમતી રિવરફ્રન્ટ પર વિરાંજલી કાર્યક્રમ મૌકૂફ રખાયો, હવે પછી આ તારીખે યોજાશે

Share

Share

અમદાવાદ : ગુરુવારે શહીદ દીને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આજે વિરાંજલી સમિતિ દ્વારા વિરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ મોડી સાંજે ભારે પવન સાથે શહેરમાં વરસાદ શરૂ થયો હતો.વરસાદને કારણે ગ્રાઉન્ડ અને સ્ટેજ પર પાણી ભરાયું હતું. સાઉન્ડ સિસ્ટમમાં પણ પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે વિરાંજલી કાર્યક્રમને રદ કરવો પડ્યો હતો.વિરાંજલી કાર્યક્રમની નવી તારીખ 20 એપ્રિલ ગુરુવારે રાખવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ આજે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 100 જેટલા કલાકારો દ્વારા ભવ્ય વિરાંજલી કાર્યક્રમ યોજવાનો હતો. પરંતુ મોડી સાંજે પડેલા વરસાદના કારણે સ્ટેજ ઉપર પાણી ભરાઈ ગયું હતું તેમજ બેસવાની વ્યવસ્થામાં પણ પાણી ભરાયું હતું. સાઉન્ડ સિસ્ટમ પણ પાણી ભરાયું છે. 100 જેટલા કલાકારો એક સાથે સ્ટેજ ઉપર પર્ફોર્મન્સ કરવાના હતા પરંતુ ભારે વરસાદને ધ્યાનમાં રાખી અને કાર્યક્રમને રદ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમના નવી તારીખ 20 એપ્રિલ ગુરુવારે સાબરમતી રિવરફ્રન્ટ પર રાખવામાં આવેલ છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાંજે સાત વાગ્યાથી જ મોટી સંખ્યામાં લોકો સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે કાર્યક્રમ જોવા માટે પહોંચ્યા હતા. ભાજપના તમામ વોર્ડમાંથી 50થી વધુ કાર્યકર્તાઓને આ વિરાંજલી કાર્યક્રમમાં ભાગ લેવા માટે કોર્પોરેટરોને સૂચના આપવામાં આવી હતી, પરંતુ વરસાદના કારણે રદ થતા અધવચ્ચેથી જ તેઓને પરત ફરવું પડ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...