Thursday, January 8, 2026

સાબરમતી રિવરફ્રન્ટ પર વિરાંજલી કાર્યક્રમ મૌકૂફ રખાયો, હવે પછી આ તારીખે યોજાશે

spot_img
Share

અમદાવાદ : ગુરુવારે શહીદ દીને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આજે વિરાંજલી સમિતિ દ્વારા વિરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ મોડી સાંજે ભારે પવન સાથે શહેરમાં વરસાદ શરૂ થયો હતો.વરસાદને કારણે ગ્રાઉન્ડ અને સ્ટેજ પર પાણી ભરાયું હતું. સાઉન્ડ સિસ્ટમમાં પણ પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે વિરાંજલી કાર્યક્રમને રદ કરવો પડ્યો હતો.વિરાંજલી કાર્યક્રમની નવી તારીખ 20 એપ્રિલ ગુરુવારે રાખવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ આજે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 100 જેટલા કલાકારો દ્વારા ભવ્ય વિરાંજલી કાર્યક્રમ યોજવાનો હતો. પરંતુ મોડી સાંજે પડેલા વરસાદના કારણે સ્ટેજ ઉપર પાણી ભરાઈ ગયું હતું તેમજ બેસવાની વ્યવસ્થામાં પણ પાણી ભરાયું હતું. સાઉન્ડ સિસ્ટમ પણ પાણી ભરાયું છે. 100 જેટલા કલાકારો એક સાથે સ્ટેજ ઉપર પર્ફોર્મન્સ કરવાના હતા પરંતુ ભારે વરસાદને ધ્યાનમાં રાખી અને કાર્યક્રમને રદ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમના નવી તારીખ 20 એપ્રિલ ગુરુવારે સાબરમતી રિવરફ્રન્ટ પર રાખવામાં આવેલ છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાંજે સાત વાગ્યાથી જ મોટી સંખ્યામાં લોકો સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે કાર્યક્રમ જોવા માટે પહોંચ્યા હતા. ભાજપના તમામ વોર્ડમાંથી 50થી વધુ કાર્યકર્તાઓને આ વિરાંજલી કાર્યક્રમમાં ભાગ લેવા માટે કોર્પોરેટરોને સૂચના આપવામાં આવી હતી, પરંતુ વરસાદના કારણે રદ થતા અધવચ્ચેથી જ તેઓને પરત ફરવું પડ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....

ગિફ્ટ સિટીમાં દારૂના નિયમોમાં મોટો ફેરફાર, વિદેશી પ્રવાસીઓ તથા અન્ય રાજ્યના ઓળખપત્ર બતાવી મેળવી શકશે દારૂ

ગાંધીનગર : ગિફ્ટ સિટીના મુલાકાતીઓ અને કર્મચારીઓને ક્રિસમસ અને નવા વર્ષની શાનદાર ભેટ સમાન નિર્ણયમાં રાજ્ય સરકારે દારૂબંધીના નિયમમાં વધુ રાહત આપતું જાહેરનામું બહાર...

GSRTCની નવી પહેલ, હવે ST બસમાં મુસાફરી દરમિયાન મળશે ગરમાગરમ ભોજન, જાણો કઈ રીતે કરશો ઓર્ડર

ગાંધીનગર : ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. હાઈ-ટેક બસો બાદ હવે નિગમે મુસાફરોની જઠરાગ્નિ...

ઇમ્પેક્ટ ફીની મુદતમાં પાંચમી વખત છ માસનો વધારો, ગેરકાયદેસર બાંધકામ થઈ જશે કાયદેસર

ગાંધીનગર : ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કાયદા 2022 હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની સમયમર્યાદા આગામી 6 મહિના...

મોંઘવારીનો વધુ એક માર, વાહનોનું PUC કઢાવવું હવે મોંઘું થશે ! ટુ-વ્હીલર, ફોર-વ્હીલરના નવા ભાવ જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકારે વાહનો માટે પીયુસીના દરમાં વધારો કર્યો છે. વાહનો માટે ફરજિયાત પોલ્યુશન અન્ડર કંટ્રોલ સર્ટિફિકેટ (પીયુસી) મેળવવા હવે વાહન માલિકોને વધુ...