Sunday, November 16, 2025

સાબરમતી રિવરફ્રન્ટ પર વિરાંજલી કાર્યક્રમ મૌકૂફ રખાયો, હવે પછી આ તારીખે યોજાશે

spot_img
Share

અમદાવાદ : ગુરુવારે શહીદ દીને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આજે વિરાંજલી સમિતિ દ્વારા વિરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ મોડી સાંજે ભારે પવન સાથે શહેરમાં વરસાદ શરૂ થયો હતો.વરસાદને કારણે ગ્રાઉન્ડ અને સ્ટેજ પર પાણી ભરાયું હતું. સાઉન્ડ સિસ્ટમમાં પણ પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે વિરાંજલી કાર્યક્રમને રદ કરવો પડ્યો હતો.વિરાંજલી કાર્યક્રમની નવી તારીખ 20 એપ્રિલ ગુરુવારે રાખવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ આજે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 100 જેટલા કલાકારો દ્વારા ભવ્ય વિરાંજલી કાર્યક્રમ યોજવાનો હતો. પરંતુ મોડી સાંજે પડેલા વરસાદના કારણે સ્ટેજ ઉપર પાણી ભરાઈ ગયું હતું તેમજ બેસવાની વ્યવસ્થામાં પણ પાણી ભરાયું હતું. સાઉન્ડ સિસ્ટમ પણ પાણી ભરાયું છે. 100 જેટલા કલાકારો એક સાથે સ્ટેજ ઉપર પર્ફોર્મન્સ કરવાના હતા પરંતુ ભારે વરસાદને ધ્યાનમાં રાખી અને કાર્યક્રમને રદ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમના નવી તારીખ 20 એપ્રિલ ગુરુવારે સાબરમતી રિવરફ્રન્ટ પર રાખવામાં આવેલ છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાંજે સાત વાગ્યાથી જ મોટી સંખ્યામાં લોકો સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે કાર્યક્રમ જોવા માટે પહોંચ્યા હતા. ભાજપના તમામ વોર્ડમાંથી 50થી વધુ કાર્યકર્તાઓને આ વિરાંજલી કાર્યક્રમમાં ભાગ લેવા માટે કોર્પોરેટરોને સૂચના આપવામાં આવી હતી, પરંતુ વરસાદના કારણે રદ થતા અધવચ્ચેથી જ તેઓને પરત ફરવું પડ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...