Wednesday, September 17, 2025

અમદાવાદના ઇસ્કોનબ્રિજ પરથી રિક્ષાચાલક વૃદ્ધની મોતની છલાંગ, ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

Share

Share

અમદાવાદ : અમદાવાદના SG હાઈવેના ઇસ્કોનબ્રિજ પર આજે બપોરે એક સિનિયર સિટિઝને મોતની છલાંગ લગાવી હતી. નીચે પડતાંની સાથે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. ટ્રાફિક સિગ્નલ ખૂલ્યા બાદ બ્રિજ નીચેથી ભરચક વાહનો પસાર થઈ રહ્યાં હતાં. આ સમયે જો આ સિનિયર સિટિઝન કોઈ વાહનચાલક પર પડ્યા હોત તો તેમને પણ ગંભીર ઇજા થઈ હોત. વૃદ્ધની મોતની છલાંગના સમગ્ર બનાવના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસે આ સમગ્ર મામલે અકસ્માતે મોત નોંધીને તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા ક્રિષ્નાધામ ઔડાના મકાનમાં રહેતા અને રિક્ષા ચલાવતા માંગીલાલ ખટિક નામના વૃદ્ધ આજે રાબેતા મુજબ રિક્ષા લઈને ઘરેથી નીકળ્યા હતા, બપોરના સમયે તેઓ રિક્ષા લઈને ઈસ્કોન બ્રિજ પર પહોંચ્યા હતા અને ત્યાં બ્રિજ પર સાઈડમાં રિક્ષા ઉભી રાખી બાદમાં બ્રિજ ઉપર પડતું મૂક્યું હતું. ભરબપોરે માંગીલાલે બ્રિજ ઉપરથી કૂદકો મારતાં તેઓ નીચે પટકાયા હતા અને તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

આ બનાવની જાણ થતાં પોલીસ બનાવના સ્થળે પહોંચી હતી અને તપાસ કરતાં માંગીલાલના સ્વજનો ત્યાં આવી પહોંચ્યા હતા. જેમણે પોલીસને જણાવ્યું હતું કે માંગીલાલ ઘણા સમયથી બીમાર હતા અને તેઓ આત્મહત્યા કરશે એવું જરા પણ લાગતું ન હતું. તેઓ રાબેતા મુજબ સવારે પોતાની રિક્ષા લઈને નીકળ્યા હતા અને તેમના આત્મહત્યા કરવાના સમાચાર ઘરે આવ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...